1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

અમદાવાદમાં ચૂંટણીને લીધે પોલીસ એક્શન મુડમાં, 84 ચેકપોસ્ટ કાર્યરત, 74 આરોપીની ધરપકડ

અમદાવાદઃ  લોકસભા ચૂંટણીમાં આચાર સંહિતા સંદર્ભે પોલીસ વિભાગ એક્શન મોડમાં છે. શહેર પોલીસે વિવિધ ગુનાના નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે તા.16-03-24થી તા.13-04-24 સુધી ડ્રાઈવનું આયોજન કર્યુ હતું. આ ડ્રાઈવ દરમિયાન કુલ 71 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમજ 84 જેટલી ચેક-પોસ્ટ્સ ઊભી કરવામાં આવી છે. આ ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા કરવામાં આવતા ચેકિંગ દરમિયાન 12,718 લિટર […]

કચ્છમાં માંડવીના નાની ખાખર પાસે નર્મદા કેનાલમાં ગાબડું પડતાં ખેતરોમાં પાણી ફરી વળ્યાં

ભૂજઃ નર્મદા યોજનાથી કચ્છને સારોએવો લાભ મળ્યો છે. નર્મદાના કેનાલ દ્વારા સિંચાઈ માટે પણ સુવિધા આપવામાં આવી છે. નર્મદા કેનાલમાં ગાબડાં પડવાના બનાવો પણ અવાર-નવાર બનતા હોય છે. ત્યારે માંડવી તાલુકાના નાની ખાખર અને મુન્દ્રા તાલુકાના મોટી ખાખર ગામ વચ્ચે આવેલી નર્મદા કેનાલમાં મોટું ગાબડું પડતાં લાખો લીટર પાણી ખેતરોમાં ફરી વળ્યા છે. ભર ઉનાળે […]

ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે સામાજિક સમરસતા મંચ દ્વારા સામાજીક કાર્યક્રમો યોજાયા

અમદાવાદઃ ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે સામાજિક સમરસતા મંચ, ગુજરાત દ્વારા આજ રોજ સારંગપુર, અમદાવાદ ખાતે નિ:શુલ્ક છાસ વિતરણ. સમરસતા પ્રદર્શન તેમજ સાહિત્ય સ્ટોલનું ડો બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીના કુલપતિ અમીબેન ઉપાધ્યાય તેમજ રા. સ્વ. સંઘના સંઘચાલક મહેશભાઈ પરીખના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડો. અમીબેન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે ડો. બાબાસાહેબનું જીવન સૌને […]

બ્રિટને પાકિસ્તાનને ‘ટ્રાવેલ કરવા માટે ખૂબ જ જોખમી દેશો’ની યાદીમાં મૂક્યું, એડવાઈઝરી જાહેર કરી

નવી દિલ્હીઃ બ્રિટનની ફોરેન કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસ (FCDO)એ પાકિસ્તાનને પ્રવાસ માટે અત્યંત જોખમી દેશોની યાદીમાં સામેલ કર્યું છે. તાજેતરના અહેવાલમાં, FCDOએ બ્રિટિશ નાગરિકો માટે એક એડવાઈઝરી જારી કરી છે, જેમાં તેમને તોફાન, રોગચાળો, ભૂખમરો અને યુદ્ધથી પ્રભાવિત વિસ્તારોમાં જવાની મનાઈ ફરમાવી છે. પ્રતિબંધિત યાદીમાં અન્ય 8 દેશો રશિયા, યુક્રેન, ઈઝરાયેલ, ઈરાન, સુદાન, લેબેનોન, બેલારુસ […]

વિસાવદર ચૂંટણીમાં જીતેલા ભૂપત ભાયાણી સામે HCમાં કરાયેલી રિટમાં સુનાવણી 1લી મેએ યોજાશે

અમદાવાદઃ આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપીને પક્ષપલટો કરીને ભાજપમાં જોડાયા છે. એટલે રાજ્યમાં વિધાનસભાની પાંચ બેઠકોની પેટા ચૂંટણી સાથે વિસાવદર બેઠકની ચૂંટણી પણ યોજાવાની હતી. પણ ચૂંટણી પંચે વિસાવદરની ચૂંટણીમાં ભૂપત ભાયાણીની જીતને પડકારતી હાઈકોર્ટમાં રિટ થઈ હોવાથી પેટા ચૂંટણી જાહેર કરી નથી. દરમિયાન વિસાવદર બેઠકની ચૂંટણી અંગે હાઈકોર્ટમાં સુનાવણી ચાલી […]

PSI અને લોકરક્ષક સહિત પોલીસ વિભાગમાં ભરતી માટેની પરીક્ષાનું જાહેર કરાયું સમયપત્રક

અમદાવાદઃ ગુજરાતમાં પીએસઆઈ અને લોકરક્ષક, જેલ સિપાઈ સહિત વિવિધ ખાલી જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. જેમાં લોકરક્ષક ભરતીમાં અત્યાર સુધી 3.05 લાખથી વધુ અરજીઓ કન્ફર્મ થઈ છે.  છૂટ છાટમાં વય મર્યાદા પાછળથી પૂર્ણ કરનારા ઉમેદવારો ઓગસ્ટમાં પણ ફરી અરજી કરી શકશે જે બાબતે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટ કરીને માહિતી આપી […]

FY24માં ભારતનું કુલ ટોલ કલેક્શન રૂ. 64,810 કરોડે પહોંચ્યું, જેમાં 35 ટકાનો વધારો

નવી દિલ્હીઃ નાણાકીય વર્ષ 2023-24માં ભારતમાં કુલ ટોલ કલેક્શન રૂ. 64,809.86 કરોડ સુધી પહોંચ્યું છે. જેમાં ગત નાણાકીય વર્ષની સરખામણીમાં 35 ટકાનો વધારો થયો છે, અને વ્યાપારી પ્રવૃત્તિમાં તેજી આવતાં સરકારી અને ઉદ્યોગના અંદાજો કરતાં વધી ગયા. ટોલવાળા રસ્તાઓમાં તીવ્ર વધારો અને નવા ફાસ્ટેગ વપરાશકર્તાઓના ઉમેરાને કારણે કુલ ટોલ વસૂલાત વર્ષની શરૂઆતમાં સરકાર દ્વારા નિર્ધારિત […]

અમદાવાદમાં સોનું (99.9) 10 ગ્રામના ભાવ 75000 પહોંચ્યા, ચાંદી કિલોના 83000 થયાં

અમદાવાદઃ ભારતીય બુલિયન માર્કેટમાં શાનદાર તેજી જોવા મળી રહી છે.  અમદાવાદ ખાતે સોનાના ભાવ નવી ઊંચી સપાટીએ પહોંચતા 10 ગ્રામ સોનાનો ભાવ રૂપિયા 75000 પહોચ્યો છે. જ્યારે ચાંદીના ભાવ કિલોના 83000 આસપાસ રહ્યો હતો. અમદાવાદ સોનું (99.9) 10 ગ્રામનો ભાવ રૂપિયા 500 વધીને રૂપિયા 75,000 થયો છે. જ્યારે સોનું (99.5) 10 ગ્રામનો ભાવ રૂપિયા 500 […]

કોંગ્રેસના ઉમેદવારો ક્યારે ફોર્મ ભરશે જાણો, બાકીના ઉમેદવારો પણ જાહેર કરાયા

અમદાવાદઃ કોંગ્રેસે શનિવારે રાત્રે ગુજરાતના લોકસભાની ચૂંટણી માટેના બાકી રહેલા ચાર બેઠકોના ઉમેદવારોના નામ તેમજ વિધાનસભાની પેટા ચૂંટણીના પાંચ ઉમેદવારોના નામો જાહેર કર્યા છે. જેમાં મહેસાણા લોકસભાની બેઠક માટે રામજી ઠાકોર, અમદાવાદ પૂર્વ લોકસભાની બેઠક માટે હિંમતસિંહ પટેલ, તથા રાજકોટ લોકસભાની બેઠક માટે પરેશ ધાનાણી અને નવસારી લોકસભાની બેઠક માટે  નૈષધ દેસાઇને ટિકિટ આપી છે. […]

અરૂણ ગોવિલ આગામી દિવસોમાં ફિલ્મ જગતમાં એક્ટિવ રહે છે કે કેમ તેની ઉપર પ્રશંસકોની નજર

મુંબઈઃ રામાનંદ સાગરની ફેમસ સીરિયલ ‘રામાયણ’માં ભગવાન રામની ભૂમિકા ભજવીને દરેક ઘરમાં લોકપ્રિય બનેલા એક્ટર અરુણ ગોવિલ હાલ પોતાની નવી ભૂમિકા એટલે કે રાજનીતિને લઈને ચર્ચામાં છે. આનાથી તે ખૂબ જ ઉત્સાહિત છે. જોકે, તેમણે હજુ સુધી સ્પષ્ટતા કરી નથી કે તે રાજકારણની સાથે એક્ટિંગમાં પણ સક્રિય રહેશે કે નહીં. બીજી તરફ એવી ચર્ચા થઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code