1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

બિહારના મોતીહારીમાં શિવ મંદિરના પૂજારીની હત્યા, 2 ની ધરપકડ

બિહારના મોતીહારી જિલ્લાના પીપરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક શિવ મંદિરના પૂજારીની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. આજે સવારે મંદિર પરિસરમાં શિવ મંદિરના પૂજારીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ પછી, ગ્રામજનોની ભીડ ત્યાં એકઠી થઈ ગઈ હતી. આ કેસમાં પીપરા પોલીસે કાર્યવાહી કરી છે અને બે લોકોની ધરપકડ કરી છે. બે લોકોની ધરપકડ કરવામાં […]

વડોદરામાં મ્યુનિની સામાન્ય સભા ભાજપના મેયરે વિપક્ષને સાંભળ્યા પહેલા પૂર્ણ કરતા વિવાદ

શહેરના મેયરએ માત્ર 24 મીનીટમાં સભા પૂર્ણ કરતા વિપક્ષનો વિરોધ, વિપક્ષેને લોકોના પ્રશ્નો રજુ કરવાની તક પણ ન આપી, મેયર ઓફિસની બહાર કોંગ્રેસે પોસ્ટર સાથે ધારણા પર બેસી વિરોધ દર્શાવ્યો વડોદરાઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનની સામાન્ય સભામાં વિપક્ષની રજુઆતો સાંભળ્યા વિના જ માત્ર 24 મીનીટમાં સભા આટોપી દેતા મેયરની હરકતો સામે વિવાદ ઊભો થયો છે. લોકોના પ્રશ્નો […]

એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના: અકસ્માત પહેલા કોકપીટમાં શું થયું હતું? બ્લેક બોક્સમાંથી મહત્વપૂર્ણ ડેટા મળ્યો

અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 ના વિમાન દુર્ઘટના અંગે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એક મોટી અપડેટ જાહેર કરી છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, અકસ્માત બાદ તપાસ ઝડપથી કરવામાં આવી રહી છે અને બ્લેક બોક્સ (CVR અને FDR) બંનેમાંથી મહત્વપૂર્ણ ડેટા સફળતાપૂર્વક મેળવવામાં આવ્યો છે. હવે, ટેકનિકલ નિષ્ણાતોની દેખરેખ હેઠળ આની તપાસ કરવામાં આવી રહી છે, જેથી અકસ્માતના […]

વડોદરાના અંકોડિયામાં નર્મદા કેનાલમાં ડૂબી જતા બે તબીબી વિદ્યાર્થીના મોત

વડોદરાની ગોત્રી મેડિકલમાં ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ હતા, ચાર વિદ્યાર્થીઓ અંકોડીયા કેનાલ પાસે વરસાદી માહોલ જોઈને ફરવા ગયા હતા, ચપ્પલ કેનાલમાં પડી જતાં લેવા જતાં કરુણાંતિકા સર્જાઇ વડોદરાઃ શહેરના મેડિકલ કોલેજના ચાર વિદ્યાર્થીઓ વરસાદી સીઝનની મોજ માણવા માટે અંકોડિયા વિસ્તારમાં નર્મદા કેનાલ પર ફરવા માટે ગયા હતા. દરમિયાન કેનાલના કાંઠે ઊભેલા એક વિદ્યાર્થીનું ચપ્પલ કેનાલમાં પડતા […]

ઉધમપુરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, સૈનિકોએ વિસ્તારને ઘેરી લીધો; ગોળીબાર ચાલુ

ઉધમપુર જિલ્લાના બસંતગઢ વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. સુરક્ષા દળોએ આતંકવાદીઓને ઘેરી લીધા છે. બંને તરફથી ગોળીબાર થઈ રહ્યો છે. આઈજી જમ્મુ ભીમસેન તુતીએ જણાવ્યું હતું કે બસંતગઢ એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ જૈશ-એ-મોહમ્મદના ચાર આતંકવાદીઓને ઘેરી લીધા છે. મળતી માહિતી મુજબ, બસંતગઢના બિહાલી વિસ્તારમાં આતંકવાદીઓ જોવા મળ્યા હોવાની માહિતી મળતાં સુરક્ષા […]

અમદાવાદના નિકોલમાં ડમ્પરે એક્ટિવાને અડફેટે લેતા એકટિવાચાલક મહિલાનું મોત

પૂરફાટ ઝડપે ડમ્પરે એક્ટિવાને અડફેટે લઈ 20 ફુટ ઢસડ્યું, અકસ્માત બાદ ડમ્પરચાલક નાસી ગયો, ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી અમદાવાદઃ  શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે નિકોલ વિસ્તારમાં વધુ એક અકસ્માત સર્જાયો હતો. શહેરના નિકોલમાં સાંજના સમયે ડમ્પર અને એક્ટિવા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ડમ્પરચાલકે મહિલા એક્ટિવાચાલકને ટક્કર […]

શુભાંશુ શુક્લાનું અવકાશમાંથી ‘નમસ્કાર’, કહ્યું- એવું લાગે છે કે હું બાળકની જેમ ચાલવાનું શીખી રહ્યો છું

અવકાશમાંથી પોતાના પહેલા કોલમાં, ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાએ બુધવારના પ્રક્ષેપણના અનુભવને યાદ કર્યો. તે ક્ષણને યાદ કરતા, તેમણે આ અનુભવને અવર્ણનીય ગણાવ્યો. અવકાશમાંથી ‘નમસ્તે’ સાથે અભિવાદન કરતા શુભાંશુ શુક્લાએ કહ્યું કે તે શૂન્ય ગુરુત્વાકર્ષણની આદત પાડી રહ્યો છે. તેમણે કહ્યું, ‘હું હજુ પણ શૂન્ય ગુરુત્વાકર્ષણનો ઉપયોગ કરી રહ્યો છું, જેમ બાળક ચાલવાનું શીખે છે, પોતાને […]

અમદાવાદમાં વરસાદને લીધે ડ્રેનેજમાં વહી ગયેલો એક અને અન્ય એક મૃતદેહ મળ્યા

શહેરના મણિનગરમાં 5 ઈંચ અને ઓઢવ અને રખિયાલમાં 4 ઈંચ વરસાદ નોંધાયો, દક્ષિણી, કુબેરનગર ITI અને મીઠાખળી અંડરપાસ બંધ કરાયા, ડ્રેનેજલાઇનમાં વહી ગયેલા આધેડનો 9 કલાક બાદ મૃતદેહ મળ્યો અમદાવાદઃ શહેરમાં છેલ્લા બેઃત્રણ દિવસથી સમયાંતરે વરસાદના ઝાપટાં પડી રહ્યા છે. જેમાં ગઈકાલે સાંજના સમયે શહેરના કેટલાક વિસ્તારોમાં  અચાનક ધોધમાર વરસાદ વરસ્યો હતો, ત્યારે સાંજના 7 […]

વડોદરા નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર 15 કિમીનો ટ્રાફિકજામ સર્જાયો

જાંબુવા બ્રિજના રોડ પર મોટા-મોટા ખાડા પડી જતા વાહનચાલકો પરેશાન, જાંબુવા બ્રિજ, પોર બ્રિજ અને બામણગામ બ્રિજ પર હેવી ટ્રાફિકજામની રોજિંદી સમસ્યા, હાઈવે ઓથોરિટી અને ટ્રાફિક પોલીસ પણ નિષ્ક્રિય વડોદરાઃ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે 24 કલાક ટ્રાફિકથી ધમધમતો હોય છે. ત્યારે આ નેશનલ હાઈવે પર જાબુવાં બ્રિજ, પોર બ્રિજ, અને બામણગામ બ્રિજ પર ટ્રાફિક જામની સમસ્યા […]

ગુજરાતમાં આજે બપોર સુધીમાં 144 તાલુકામાં વરસાદ પડ્યો, માળિયા હાટિનામાં 5 ઈંચથી વધુ

પાટણના માંડોત્રીમાં વીજળી પડતાં યુવકનું મોત, સુરતના મહુવા અને વિસાવદરમાં 4 ઈંચથી વધુ વરસાદ પડ્યો, રાજ્યમાં સીઝનનો 26.24 ટકાથી વધુ વરસાદ પડ્યો અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. આજે બપોરના 4 વાગ્યા સુધીમાં 144 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં જનાગઢના માળિયા હાટિનામાં 5.16 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે સુરતના મહુવામાં 4.76 ઈંચ, જુનાગઢના વિસાવદરમાં 4.65 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code