1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

અમદાવાદઃ તહેવારોમાં રેલવે સ્ટેશન ઉપર મુસાફરોના ઘસારાને ધ્યાનમાં રખાઈ ખાસ વ્યવસ્થા

ગાંધીનગરઃ અમદાવાદ રેલવે વિભાગે મુસાફરોની સંખ્યામાં વધારો થવાને ધ્યાનમાં રાખીને સલામત અને વ્યવસ્થિત મુસાફરી સુનિશ્ચિત કરવા માટે વ્યાપક તૈયારીઓ કરી છે. આગામી દિવાળી અને છઠ પૂજાના તહેવારો દરમિયાન મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવાની ધારણાને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલ્વેના અમદાવાદ વિભાગે સલામત, સુગમ અને કાર્યક્ષમ ટ્રેન સંચાલન સુનિશ્ચિત કરવા માટે વ્યાપક ભીડ વ્યવસ્થાપન અને મુસાફરોની સુવિધાના […]

વિદેશ ભાગતા ગુનોગારોને રાકવા માટે ઓનલાઈન લૂકઆઉટ નોટિસ પોર્ટલ કાર્યરત કરાયું

પોર્ટલ શરૂ કરાતા મેન્યુઅલ અને ઈ-મેલ આધારિત પ્રક્રિયાનો અંત આવશે, ઓનલાઈન પ્રક્રિયાના સુચારુ સંચાલન માટે નોડલ ઓફિસરની નિમણૂક કરાશે, ભારત છોડી વિદેશ ભાગતા ગુનોગારોને માટે લૂટઆઉટ જાહેર કરવાની પ્રકિયા સરળ બની અમદાવાદઃ વિદેશ ભાગતા ગુનોગારોને રોકવા લુઆઉટની નોટિસ આપવામાં આવતી હોય છે. પણ મેન્યુઅલ કામગીરીને લીધે વિલંબ થતાં ઘણા ગુનેગારો વિદેશ નાસવામાં સફળ રહેતા હોય […]

બિહારમાં ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરવા ચૂંટણીપંચે તૈયાર કર્યો રોડમેપ

નવી દિલ્હીઃ ભારતીય ચૂંટણી પંચ (ECI) આજે, શુક્રવારે અમલીકરણ એજન્સીઓ/દળોના વડાઓ સાથે બેઠક કરી રહ્યું છે. બેઠક દરમિયાન, બિહાર વિધાનસભા ચૂંટણી માટે ન્યાયી અને પારદર્શક મતદાન સુનિશ્ચિત કરવા માટેની વ્યૂહરચનાઓની ચર્ચા કરવામાં આવશે. ઉપરાંત, ચૂંટણી દરમિયાન રોકડ, દારૂ, ડ્રગ્સ અને અન્ય પ્રલોભનોની હેરફેરનો સામનો કરવા માટેની વ્યૂહરચનાઓની ચર્ચા કરવામાં આવશે. બિહારના મુખ્ય સચિવ, પોલીસ મહાનિર્દેશક (DGP), […]

અમદાવાદમાં ફેરિયાઓને તાલીમ આપવાની ધીમી કામગીરીથી AMCના કમિશનર નારાજ

ફાયરના વોલિયન્ટર્સ પાસેથી કામ લેવા AMC કમિશનરે અગાઉ સુચના આપી હતી, મ્યુનિ.કમિશનરે અધિકારીઓને કહ્યુ ફાઇલ જોવાની ટેવ પાડો, સહી કરીને રવાના ન કરો, ફાયર વોલિયન્ટર્સ દ્વારા કયા વોર્ડમા કેટલા વેન્ડર્સને તાલીમ અપાઈ એ અંગે વિગત માગી, અમદાવાદઃ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં બેસતા ફેરીયાઓને ફાયર વિભાગના વોલિયન્ટર્સની તાલીમ આપવા અગાઉ મ્યુનિસિપલ કમિશનરે સુચના આપી હતી. […]

ગોધરા નજીક હાઈવે પર બે લકઝરી બસ વચ્ચે અકસ્માત, બે મહિલાના મોત, 15ને ઈજા

રાજકોટથી એમપી જઈ રહેલી લકઝરી બસને નડ્યો અકસ્માત, દિવાળી માટે વતન જઈ રહેલા લોકો અકસ્માતનો ભોગ બન્યા, અકસ્માતને લીધે હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો ગોધરાઃ ગુજરાતમાં હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે, ત્યારે અમદાવાદ-ઈન્દોર હાઈવે પર ગોધરા નજીક કંકુથાભલા પાસે ગત મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બે ખાનગી લક્ઝરી બસો વચ્ચે થયેલા આ […]

પાલનપુર નગરપાલિકાએ છેલ્લા 6 મહિનામાં 7.60 કરોડના વેરાની વસુલાત કરી

નગરપાલિકા દ્વારા 30 ડિસેમ્બર 2025 સુધી 10 ટકા વળતર આપવાની જાહેરાત કરી, વર્ષ 2025-26ના વર્ષ માટે કુલ રૂપિયા 18,70,19,261ના માગણા બીલ અપાયા, નગરપાલિકાએ આગામી 6 માસમાં રૂપિયા 11 કરોડના વેરો વસુલવાનો ટાર્ગેટ આપ્યો પાલનપુરઃ રાજ્યની ઘણીબધી નગરપાલિકાઓ યોગ્ય વેરા વસુલાતની કામગીરી કરી ન શકતી હોવાથી આર્થિક સમસ્યાનો સામનો કરતા હોય છે. ત્યારે પાલનપુર નગરપાલિકાએ વેરા […]

ઈન્ડિયન એરફોર્સને મળ્યું પ્રથમ સ્વદેશી ફાઈટર જેટ

નવી દિલ્હીઃ ભારતે વધુ એક ઉપલબ્ધિ હાંસલ કરી છે, દેશને પ્રથમ સ્વદેશી લડાકુ વિમાન મળ્યું છે. ભારતના સ્વદેશી લડાકુ વિમાન તેજક Mk1A એ શુક્રવારે સફળ ઉડાન ભરી હતી. તેમજના સફળ પરીક્ષણ હિંદુસ્તાન એયરોનોટિક્સ લીમીડેટ(HAL)ની નાસીકની ફેક્ટરીમાં કરવામાં આવ્યું હતું. HALના LCA (લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ) માટે ત્રીજી પ્રોડક્શન લાઈન અને એચટીટી-40 ટ્રેનર વિમાનની બીજી પ્રોડક્શન લાઈનનું […]

ભાવનગરના વલ્લભીપુર નગરપાલિકા કર્મચારીઓને 3 મહિનાથી પગાર મળ્યો નથી

દિવાળીના તહેવારો ટાણે જ પગાર ન મળતા કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાયા, કર્મચારીઓએ મામલતદારને આવેદનપત્ર આપી રોષ વ્યક્ત કર્યો, પાલિકાના પ્રમુખે ત્વરિત પગાર ચુકવી આપવાની કર્મચારીઓને ખાતરી આપી ભાવનગરઃ જિલ્લાના વલભીપુર નગરપાલિકામાં ફરજ બજાવતા વહીવટી અને સફાઇ કર્મચારીઓને છેલ્લા ત્રણ મહિનાથી પગાર નહીં મળતા દિવાળીના તહેવારો ટાણે જ કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. નગરપાલિકાના કર્મચારીઓ પગારની માંગણી સાથે […]

ભાવનગર માર્કેટ યાર્ડમાં કાલે 18મીથી 25મી ઓક્ટોબર સુધી હરાજી બંધ રહેશે

દિવાળીના તહેવારોને લીધે લેવાયો નિર્ણય, યાર્ડમાં શાકભાજી સિવાયની તમામ હરાજી બંધ રહેશે, 26મી ઓક્ટોબરથી માર્કેટ યાર્ડ પુનઃ ધમધમશે ભાવનગરઃ  મહારાજા કૃષ્ણકુમારસિંહજી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC)માં દિવાળીના તહેવારોને લીધે આવતી કાલ તા. 18 ઓક્ટોબરથી 25 ઓક્ટોબર સુધી શાકભાજી સિવાય તમામ હરાજી બંધ રહેશે. માર્કેટિંગ યાર્ડમાં 25મી ઓક્ટોબર સુધી અનાજ, કઠોળ, તેલીબીયા તથા કપાસ સહિત તમામ […]

નેચરલ હીરાની મંદીના માહોલમાં લેબગ્રોન ડાયમન્ડમાં તેજીથી રત્નકલાકારોની દિવાળી સુધરી

સુરતના હીરા ઉદ્યોગમાં 5 વર્ષમાં પહેલીવાર દિવાળી વેકેશન 10થી 15 દિવસનું રહેશે, લેબગ્રોન ડાયમંડની વધતી વૈશ્વિક માંગને કારણે હીરા ઉદ્યોગમાં ફરી એકવાર તેજી, અમેરિકા અને યુરોપ જેવા મુખ્ય બજારોમાં નેચરલ હીરાની માંગમાં ઘટાડો, સુરતઃ ગુજરાતમાં હીરા ઉદ્યોગ લાખો લોકોને રોજગારી આપતો ઉદ્યોગ છે. પણ છેલ્લા કેટલાક વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદીનો વ્યાપક દૌર ચાલી રહ્યો છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code