1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

11 પાકિસ્તાની માછીમારોની પૂછપરછ બાદ પોરબંદરના નવી બંદર પોલીસને સોંપાયા

ભારતીય જળ સીમામાં 11 માછીમારો માછીમારી કરતા પકડાયા હતા વિવિધ એજન્સીઓ દ્વારા કરાયેલી પૂછપરછમાં કશુ શંકાસ્પદ ન મળ્યુ પકડાયેલા પાક.માછીમારોને જખૌથી પોરબંદર લઈ જવાયા પોરબંદરઃ  ભારતીય તટરક્ષક દળે બુધવારે આંતરરાષ્ટ્રીય જળસીમા નજીકથી ભારતની સીમામાં અલ વલી બોટમાં ગેરકાયદેસર પ્રવેશેલા બે સગીર સહિત 11 પાકિસ્તાની માછીમારીઓને આંતરી ઝડપી લેવામાં આવ્યા હતા. ગઈકાલે ગુરુવારે વિવિધ એજન્સીઓ દ્વારા […]

ભાવનગરના કાળિયાબીડમાં થારના ચાલકે બે મહિલાને અડફેટે લીધા, એકનું મોત

પૂર ઝડપે થારના ચાલકે રાહદારી મહિલાઓ અને સ્કૂટરસવાર યુવતીને અડફેટે લીધા હતા અકસ્માત બાદ થારનો ચાલક ફરાર થઈ ગયો હતો પોલીસે થારના ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી ભાવનગરઃ  શહેરના કાળીયાબીડ વિસ્તારમાં મોડીરાતે પૂરઝડપે થારકારના ચાલકે રાહદારી મહિલાઓ અને બાઈકસવાર યુવતીને અડફેટે લીધી હતી. કારચાલકે બન્નેને ટક્કર મારી 70 ફૂટથી વધુ દુર પટકી […]

ઉત્તરાખંડના કાલાધુંગી-બાજપુર હાઇવે પર અકસ્માતમાં બે પ્રવાસીઓના મોત અને પાંચ ઘાયલ

કાલાધુંગી: કાલાધુંગી-બાજપુર હાઇવે પર એક માર્ગ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. ગાઝિયાબાદ (ઉત્તર પ્રદેશ) થી નૈનિતાલ જઈ રહેલા પ્રવાસીઓને લઈ જતી એક કારે કાબુ ગુમાવ્યો અને રસ્તાની બાજુમાં આવેલા ઝાડ સાથે અથડાઈ ગઈ. અકસ્માત એટલો ગંભીર હતો કે કાર સંપૂર્ણપણે નાશ પામી હતી. બે પ્રવાસીઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે બે બાળકો સહિત પાંચ […]

સુરતમાં મંડપના ગોદામમાં લાગેલી ભીષણ આગને બે કલાકની જહેમત બાદ કાબુમાં લેવાઈ

સુરતના કતારગામ જીઆઈડીસી નજીક પતરાના શેડવાળા ગોદામમાં બન્યો બનાવ ફાયરના જવાનોએ ગોદામમાંથી ગેસ ભરેલા બાટલાં બહાર કાઢતા જાનહાની ટળી ગોદામ પાછળ કચરો સળગાવાતા તેના તણખાને લીધે આગ લાગી હોવાનું અનુમાન સુરતઃ  શહેરના કતારગામ વિસ્તારમાં જીઆઈડીસી વિસ્તારમાં પતરાના શેંડમાં આવેલા એક મંડપના ગોદામમાં ભીષણ આગ લાગતા આ બનાવની ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડની 15 જેટલી […]

જાપાનમાં ફરી 6.7 ની તીવ્રતાનો ભૂકંપ, ઉત્તરપૂર્વીય દરિયાકાંઠે સુનામીની ચેતવણી જારી

નવી દિલ્હી: જાપાનમાં ફરી એક શક્તિશાળી ભૂકંપ આવ્યો. ભૂકંપ ઉત્તરપૂર્વીય કિનારા પર આવ્યો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.7 હતી. હવામાન એજન્સીએ તાત્કાલિક સુનામીની ચેતવણી જારી કરી. ભૂકંપ આ અઠવાડિયાની શરૂઆતમાં ઉત્તરમાં આવેલા 7.5 ની તીવ્રતાના ભૂકંપ પછી આવ્યો છે, જેમાં પેસિફિક કિનારા પર ઇજાઓ, નજીવું નુકસાન અને સુનામીનો ભય હતો. સોમવારે આવેલા 7.5 ની […]

અમદાવાદમાં વિવેકાનંદ કોલેજને BU અને FIRE સેફ્ટી ન હોવાથી સીલ મરાયા

કોલેજને સીલ વાગતા સવારે વિદ્યાર્થીઓને પરત ફરવાની ફરજ પડી મ્યુનિના એસ્ટેટ વિભાગ દ્વારા 6 ફુડકોર્ટને પણ સીલ મરાયા બીયુ પરમિશન-ફાયર સેફ્ટીને લઈને કડક પગલાં ભરવા કમિશનરે આપી સૂચના અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બીયુ પરવાનગી અને ફાયર સેફ્ટી વિનાની મિલકતો સામે સિલિંગ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. ત્યારે આજે વહેલી સવારે શહેરના રાયપુર વિસ્તારમાં આવેલી વિવેકાનંદ […]

રાજકોટમાં પોલીસ કમિશનર કચેરીમાં SRP જવાને રાયફલથી ગોળી મારી કર્યો આપઘાત

પોલીસ કમિશનર કચેરીના ગેટ નંબર ત્રણ પાસે મોડીરાતે બન્યો બનાવ પ્રદ્યુમનનગર પોલીસની ટીમ તપાસ માટે પોલીસ કમિશનર કચેરી પહોંચી SRP જવાને કયા કારણોથી આપઘાત કર્યો તે હજુ જાણવા મળ્યુ નથી રાજકોટઃ શહેરમાં પોલીસ કમિશનર કચેરીમાં ફરજ બજાવતા SRP જવાન ગજુભા જિલુભા રાઠોડે (ઉં.વ.50)  ફરજ દરમિયાન મધરાત બાદ 3 વાગ્યે પોતાની સર્વિસ રાઇફલથી છાતીમાં ગોળી મારી […]

અંકલેશ્વર- વાલિયા રોડ પર બાઈક અને રિક્ષા ટકરાતા રિક્ષામાં લાગી આગ, મહિલાનું મોત

અંકલેશ્વર-વાલિયા રોડ પર કોસમડી ગામ પાસે બન્યો બનાવ અકસ્માતને લીધે રિક્ષા અને બાઈકમાં આગ લાગી રિક્ષામાં પ્રવાસી કરી રહેલી મહિલા જીવતી ભૂંજાઈ, ત્રણને ગંભીર ઈજા ભરૂચઃ રાજ્યમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે અંકલેશ્વર નજીક વધુ એક અકસ્માતનો બનાવ બન્યો છે. અંકલેશ્વર-વાલિયા રોડ પર આવેલા કોસમડી ગામ નજીક આજે શુક્રવારે સવારના સમયે બાઇક અને […]

ગુજરાત મીડિયા ક્લબ આયોજિત ‘ભારતકૂલ અધ્યાય-૨’ કાર્યક્રમનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

દરેક ટીકા પાછળનો ભાવ હકારાત્મક અને લોકકલ્યાણનો હોવો જોઈએ: મુખ્યમંત્રી નેગેટિવિટીને પોઝિટિવિટીમાં બદલીને વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરીશું: મુખ્યમંત્રી સનાતન મૂલ્યોના જતન સાથે યુવા શક્તિ સમય સાથે કદમ મિલાવે: મુખ્યમંત્રી ગુજરાતના વિકાસમાં ‘ભાવ, રાગ અને તાલ’ નું મહત્ત્વ: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગાંધીનગર, 12 ડિસેમ્બર, 2025ઃ Bharatkool Chapter-2 Gujarat Media Club મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની […]

આધાર OTP દ્વારા તત્કાલ ટિકિટ બુકિંગ, 3 કરોડ નકલી યુઝર આઈડીનો પર્દાફાશ

નવી દિલ્હી: છેતરપિંડી અટકાવવા અને ન્યાયીપણા વધારવા માટે, 322 ટ્રેનોમાં ઓનલાઈન તત્કાલ ટિકિટ બુકિંગ માટે આધાર-આધારિત OTP ચકાસણી હવે લાગુ કરવામાં આવી છે. પરિણામે, આ વર્ષે અત્યાર સુધીમાં લગભગ ત્રણ કરોડ નકલી વપરાશકર્તાઓના ID નકારવામાં આવ્યા છે. પરિણામે, આ ટ્રેનોમાં કન્ફર્મ તત્કાલ ટિકિટનો ઉપલબ્ધતા સમય લગભગ 65 ટકા વધ્યો છે, સરકારે ગુરુવારે સંસદમાં માહિતી આપી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code