1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ઓડિશાઃ 1.10 કરોડનું ઈનામ ધરાવતો ટોપ માઓવાદી કમાન્ડર ગણેશ ઠાર મરાયો

ભુવનેશ્વર, 25 ડિસેમ્બર 2025: OdishaEncounter દેશમાં નક્સલવાદને નાથવા માટે સુરક્ષાદળો દ્વારા અભિયાન શરૂ કર્યું છે. સુરક્ષાદળોની કાર્યવાહીને પગલે અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે. દરમિયાન ઓડિશા પોલીસને આજે મોટી સફળતા મળી છે. ટોચના માઓવાદી નેતા ગણેશ ઉઈકેને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર  ઓડિશાના કંધમાલ જિલ્લામાં ગુરુવારે સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે […]

નાયબ મામલતદારે ED સમક્ષ વટાણા વેરી દીધા, કરોડોના કૌભાંડની તપાસમાં ACBએ પણ ઝંપલાવ્યું

અમદાવાદ તા.25 ડિસેમ્બર 2025:  ACB probes Surendranagar district land scam સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં ગાંધીનગર ઈ.ડી.ની અલગ અલગ આઠથી વધુ ટીમો દ્વારા મંગળવારે વહેલી સવારથી દરોડા પાડયા હતા. બે દિવસ સર્ચ ઓપરેશન હાથ ધર્યા બાદ ઈ.ડી.ની ટીમ દ્વારા આ મામલે સુરેન્દ્રનગર એસીબી પોલીસ મથકે જિલ્લા કલેક્ટર ડો.રાજેન્દ્રકુમાર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, પી.એ. જયરાજસિંહ […]

ભારતે 3500 કિમીની સ્ટ્રાઈક રેન્જ ધરાવતી K-4 બેલિસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ

નવી દિલ્હી 25 ડિસેમ્બર 2025: Successful test of K-4 ballistic missile ભારતે સ્ટીલ્થી સબમરીન-લોન્ચ બેલિસ્ટિક મિસાઇલ (SLBM) નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. આ પરીક્ષણ બંગાળની ખાડીમાં થયું હોવાનું કહેવાય છે. ભારતે 3,500 કિલોમીટરની રેન્જ ધરાવતી 17 ટનની K-4 બેલિસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું છે, જેનાથી તેના દુશ્મનોમાં ચિંતાનો માહોલ છે. આ મિસાઇલ ભારતની લશ્કરી શક્તિને વધુ મજબૂત […]

અમદાવાદમાં એસજી હાઈવે પર ડમ્પરે કારને ટક્કર કાર ડિવાઈડર પર ચડી ગઈ

અમદાવાદ તા.25 ડિસોમ્બર 2025:  dumper hits car on SG Highway  શહેરમાં પૂરફાટ ઝડપે દોડતા ડમ્પરોને લીધે અકસ્માતોના બનાવો બની રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ શહેરના એસજી હાઈવે પર રાજપથ કલબ પાસે સર્જાયો હતો. એસજી હાઈવે પર ગત મોડી રાત્રે રાજપથ ક્લબ પાસે એક બેફામ ડમ્પરે કારને પાછળથી જોરદાર ટક્કર મારતા કાર રોડના ડિવાઈડર […]

આજથી કાંકરીયા કાર્નિવેલનો પ્રારંભ, લોકોત્સવમાં કાલે પ્રભાતિયાનું આયોજન

અમદાવાદ તા.25 ડિસેમ્બર 2025: Kankaria Carnival begins  શહેરમાં કાંકરિયા લેક ખાતે દર વર્ષની જેમ આજથી કાંકરિયા કાર્નિવેલ-2025નો રંગેચંગે પ્રારંભ કરાયો છે. આજે સાંજે 7 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રંગારંગ કાર્યક્રમોનો શુભારંભ કરાવશે. તા. 31મી ડિસેમ્બર સુધી યોજાનારા કાર્નિવેલમાં લોકડાયરા સહિત અવનવા અનેક કાર્યક્રમોનું આયોજન કરાયુ છે. કાલે લોકોત્સવમાં રામસભામાં અમે રમવાને ગ્યાં’તાં ” પ્રભાતિયાનું પર્વ […]

હત્યાના ગણતરીના કલાકો પહેલા હમાસ ચીફ હાનિયાની જ નીતિન ગડકરી સાથે થઈ હતી મુલાકાત

નવી દિલ્હી, 25 ડિસેમ્બર 2025: Hamas-Israel war કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ એક કાર્યક્રમ દરમિયાન અત્યંત ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે, ગત વર્ષે ઈરાનમાં હમાસના વડા ઈસ્માઈલ હાનિયાની હત્યા થઈ તેના ગણતરીના કલાકો પહેલા જ તેમની સાથે મુલાકાત હતી. એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીએ આ રહસ્યમય ઘટનાક્રમ વિશે વિગતવાર […]

તમિલનાડુના કુડ્ડલોરમાં સરકારી બસ અકસ્માતમાં 9 ના મોતની આશંકા

નવી દિલ્હી 25 ડિસેમ્બર 2025: Bus accident in Tamil Nadu તમિલનાડુના કુડ્ડલોરમાં, એક સરકારી બસનું ટાયર ફાટવાથી તે બે વાહનો સાથે અથડાઈ ગઈ, જેમાં 9 લોકોના મોતની આશંકા છે. પોલીસના જણાવ્યા અનુસાર, બસ તિરુચિરાપલ્લીથી ચેન્નાઈ જઈ રહી હતી ત્યારે નેશનલ હાઈવે પર ટાયર ફાટ્યું હતું. તમિલનાડુના કુડ્ડલોરમાં એક સરકારી બસ રસ્તા પરથી ઉતરી ગઈ અને […]

અમિત શાહનું નવું મિશન, 2029 સુધીમાં ડ્રગ કાર્ટેલને જડમૂળથી ઉખેડી ફેંકવાનો સંકલ્પ

નવી દિલ્હી, 25 ડિસેમ્બર 2025: ViksitBharat કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે દેશની સુરક્ષા અને યુવાધનને બચાવવા માટે વધુ એક મોટા અભિયાનની જાહેરાત કરી છે. નક્સલવાદ વિરુદ્ધ નિર્ણાયક લડાઈ લડ્યા બાદ, હવે તેમનો આગામી ટાર્ગેટ ભારતને ‘ડ્રગ્સ ફ્રી’ બનાવવાનો છે. હરિયાણાના પંચકુલામાં આયોજિત એક કાર્યક્રમમાં શાહે સ્પષ્ટ કર્યું હતું કે વર્ષ 2029 સુધીમાં દેશમાંથી ડ્રગ્સના નેટવર્કને સંપૂર્ણપણે […]

કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લામાં માર્ગ અકસ્માતમાં નવ લોકોના મોત

નવી દિલ્હી 25 ડિસેમ્બર 2025: Road accident કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લામાં નેશનલ હાઇવે 48 પર બેંગલુરુથી શિવમોગા જતી સ્લીપર બસમાં એક લોરી સાથે અથડાયા બાદ આગ લાગી ગઈ. આ અકસ્માતમાં નવ લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. પીએમ મોદીએ ચિત્રદુર્ગ બસ અકસ્માતના પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લામાં […]

મોદીએ દિલ્હીના ચર્ચમાં નાતાલની પ્રાર્થનામાં લીધો ભાગ, શાંતિ અને સદભાવનો આપ્યો સંદેશ

નવી દિલ્હી, 25 ડિસેમ્બર 2025: Christmas વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે નાતાલના પર્વ નિમિત્તે દિલ્હીના પ્રતિષ્ઠિત ‘કેથેડ્રલ ચર્ચ ઓફ ધ રિડેમ્પશન’ ખાતે આયોજિત વિશેષ પ્રાર્થના સભામાં હાજરી આપી હતી. આ પ્રસંગે વડાપ્રધાને દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી અને સમાજમાં શાંતિ, પ્રેમ અને ભાઈચારાનો સંદેશ ફેલાવવાની અપીલ કરી હતી. નાતાલની સવારની આ પ્રાર્થના સભામાં દિલ્હી અને ઉત્તર ભારતના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code