1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

હિમાચલના સિરમૌરમાં બસ ખીણમાં પડી જતાં 9 લોકોના મોત

સિરમૌર 09 જાન્યુઆરી 2026: હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. રેણુકાજી વિધાનસભા મતવિસ્તારના હરિપુરધારમાં એક ખાનગી બસે કાબુ ગુમાવ્યો અને 400 મીટર લાંબી ખીણમાં ખાબકી ગઈ. આ અકસ્માતમાં 9 લોકોના મોત થયાના અહેવાલ છે. આ દુ:ખદ અકસ્માતમાં લગભગ એક ડઝન લોકો ઘાયલ થયા છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે. અત્યાર સુધીમાં અંદાજે […]

વડોદરામાં 14 વર્ષની સગીરા પર ગેન્ગરેપની ઘટનામાં બે આરોપીની ધરપકડ

વડોદરા, 9 જાન્યુઆરી 2026: શહેરના નવા યાર્ડ વિસ્તારમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મના બનાવ બાદ પોલીસે તાત્કાલિક પગલા લઈ બે આરાપીને દબોચી લીધા છે. શહેરના નવા યાર્ડ વિસ્તારમાં રહેતી 14 વર્ષથી સગીરા ગઈકાલે દુકાને કોઈ ચીજ વસ્તુ લેવા ગઈ હતી તે દરમિયાન ત્યાં બેઠેલા બે યુવકોએ તેની સાથે વાતચીત કરીને નજીકના મકાનમાં લઈ ગયા હતા. ત્રણથી […]

સુરતની મ્યુનિ. શાળાની બે વિદ્યાર્થિનીઓ દૂબઈ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં પહોંચી

સુરત, 9 જાન્યુઆરી 2026: સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સુમન હાઈસ્કુલની બે વિદ્યાર્થિનીઓ સિલેક્ટ થતા આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવા માટે દૂબઈ પહોંચી છે. સુરતની સુમન મ્યુનિ. શાળામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), રોબોટિક્સ, ડ્રોન, 3-D પ્રિન્ટીંગ અને AR-VR ટેકનોલોજી સહિત શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આથી થોડા દિવસો પહેલાં અમદાવાદમાં યોજાયેલી WSRO 2025માં સુમન હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને ઉલ્લેખનીય સફળતા […]

ભારત-પાક સરહદ પર આવેલા નડાબેટમાં યાયાવર પક્ષીઓનો જમાવડો

થરાદ, 9 જાન્યુઆરી 2026: દર શિયાળાની સીઝનમાં વિદેશથી મોટી સંખ્યામાં પક્ષીઓ ગુજરાતની સહેલગાહે આવતા હોય છે. ત્યારે ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલા નડાબેટના રણમાં ભરાયેલા પાણીમાં છબછબિયા કરવા માટે મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓ મહેમાન બન્યા છે. 120થી વધુ પ્રજાતિના પક્ષીઓ લાખો કિલોમીટરનું અંતર કાપીને નડાબેટ પહોંચ્યા છે. આ યાયાવર પક્ષીઓ મુખ્યત્વે સેન્ટ્રલ એશિયન ફ્લાયવે (CAF) […]

થાનગઢના ખાખરાળી ગામ નજીક ગેરકાયદે કોલસાનું ખનન પકડાયું

સુરેન્દ્રનગર, 9 જાન્યુઆરી 2026: જિલ્લાના થાન તાલુકાના ખાખરાળી ગામ નજીક કોલસાના ગેરકાયદે ખનન સામે ચોટિલા પ્રાંત અધિકારી સહિત તેમની ટીમે દરોડો પાડતા કોલસા ખનન માટેના બે ચાલુ કૂવા મળી આવ્યા હતા. સ્થળ પરથી આશરે 70 ટન કોલસાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. ખનન માટે વપરાતો એક ચરખી સેટ પણ કબજે કરી તેને થાનગઢ મામલતદાર કચેરી […]

સોમનાથના સ્વાભિમાન પર્વ માટે રવિવારે એસટીની 1800 બસો ફાળવાશે

રાજકોટ, 9 જાન્યુઆરી 2026: બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ ગણાતા સોમનાથ ખાતે સોમનાથ સ્વાભિમાન પર્વની ઊજવણી કરવામાં આવી રહી છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. 11મી જાન્યુઆરીને રવિવારે ઊજવણીમાં સહભાગી થશે. વડાપ્રધાનની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ત્યારે આ ઐતિહાસિક પર્વમાં સહભાગી થવા ગુજરાત સહિત દેશમાંથી ઉમટી પડનારા હજારો શ્રદ્ધાળુઓની સુવિધા માટે એસટી […]

શ્રી છોત્તેર ગોળ દરજી સમાજ દ્વારા 35માં સમુહલગ્નનું આયોજન

ગાંધીનગરઃ શ્રી છોત્તેર ગોળ દરજી જ્ઞાતિ સમાજ ટ્રસ્ટ દ્વારા 35માં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. 8 ફેબ્રુઆરીના રોજ ગાંધીનગર તાલુકાના વાસણીયા મહાદેવ ખાતે સમુહલગ્ન યોજાશે. શ્રી છોત્તેર ગોળ દરજી જ્ઞાતિ સમાજ ટ્રસ્ટના પ્રમુખ અશોકભાઈ વસંતલાલ પરમાર (વાસન), મંત્રી ધીરજભાઈ કચરાભાઈ દરજી (લાડોલ) અને કારોબારી સભ્ય જીતેન્દ્ર રમેશભાઈ દરજી (બદપુરા)એ જણાવ્યું હતું કે, આ સમુહલગ્નમાં […]

અમદાવાદમાં પાણીના જગ વેચનારાઓએ પાણીને ક્લોરીનથી શુદ્ધ કરીને વેચવું પડશે

અમદાવાદ, 9 જાન્યુઆરી 2026: રાજ્યના મહાનગરોમાં પાણીજન્ય રોગચાળાએ માથુ ઉંચકતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અધિકારીઓને તકેદારીના પગલાં લેવાની સુચના આપવામાં આવી છે. તેમજ શહેરમાં પાણીનાં જગ (મોટી બોટલો)ના સપ્લાયરો માટે  પાણીનાં પ્યોરિફિકેશન થાય તેના માટે ક્લોરીનેશન કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. તેમના ધંધાકીય એકમોમાં ક્લોરિફિકેશન થાય તે પ્રકારનું ઇન્સ્ટોલેશન કરાવવાનું રહેશે. જો આ પ્રકારનું ક્લોરીન […]

રાજકોટના ધોરાજી, જેતલસર સહિત વિસ્તારોમાં ભૂકંપના આંચકા

ધોરાજી-જેતપુરની તમામ શાળાઓમાં રજા જાહેર ઉપલેટાથી 30 કિલોમીટર દૂર કેન્દ્ર બિંદુ નોંધાયું રાજકોટ, 9 જાન્યુઆરી 2026: સૌરાષ્ટ્ર-કચ્છમાં અનારનવાર ભૂકંપના આંચકા અનુભવાતા હોય છે. ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુરમાં ગઇકાલ સાંજથી અત્યાર સુધી સાત જેટલા ભૂકંપના આંચકા અનુભવાયા છે. આજે વહેલી સવારથી બપોર સુધીમાં 6 આંચકા અનુભવાતા જેતલસર, પેઢલા અને સરધારપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોમાં ભય વ્યાપી […]

PM મોદી 10-11 જાન્યુ.એ સોમનાથની મુલાકાત લેશે, સ્વાભિમાન પર્વમાં ભાગ લેશે

ગાંધીનગર, 9 જાન્યુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10-11 જાન્યુઆરી, 2026ના રોજ ગુજરાતના સોમનાથની મુલાકાત લેશે અને સોમનાથ સ્વાભિમાન પર્વમાં ભાગ લેશે. 10 જાન્યુઆરીએ રાત્રે લગભગ 8 વાગ્યે, પ્રધાનમંત્રી ઓમકાર મંત્રના જાપમાં ભાગ લેશે, ત્યારબાદ સોમનાથ મંદિરમાં ડ્રોન શો યોજાશે. 11 જાન્યુઆરીએ સવારે લગભગ 9:45 વાગ્યે પ્રધાનમંત્રી શૌર્ય યાત્રામાં ભાગ લેશે, જે સોમનાથ મંદિરની રક્ષા માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code