1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

પેટની સમસ્યાઓનો રામબાણ ઈલાજ છે ઉપવાસ: દવા વિના શરીર થશે ડિટોક્સ

કહેવાય છે કે જો માણસનું પેટ સાફ અને સ્વસ્થ હોય, તો અડધી બીમારીઓ આપોઆપ દૂર થઈ જાય છે. પરંતુ આજની બેઠાડુ અને અનિયમિત જીવનશૈલીને કારણે ભૂખ ન લાગવી, ગેસ, એસિડિટી અને અપચો જેવી સમસ્યાઓ હવે દરેક ઉંમરના લોકોમાં સામાન્ય બની ગઈ છે. જ્યારે દવાઓ કામ કરવાનું બંધ કરે, ત્યારે પ્રકૃતિ પાસે એક અદભૂત ઈલાજ છે […]

સુશાંતસિંહ રાજપૂતની કલ્ટ ક્લાસિક ફિલ્મના ડાયરેક્ટરે બદલાતી સિનેમા દુનિયા પર વ્યક્ત કરી ચિંતા

મુંબઈ, 16મી જાન્યુઆરી 2026: વર્ષ 2019માં રિલીઝ થયેલી અને ચંબલના કોતરોની વાસ્તવિકતા રજૂ કરતી ફિલ્મ ‘સોનચિડિયા’ ભલે તે સમયે બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હોય, પરંતુ આજે તેને હિન્દી સિનેમાની શ્રેષ્ઠ ફિલ્મોમાં ગણવામાં આવે છે. તાજેતરમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન આ ફિલ્મના દિગ્દર્શક અભિષેક ચૌબેએ આજના સિનેમાના માહોલ પર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, જો આજે […]

IPL: મુસ્તફિઝુર રહેમાન KKR સામે કાયદેસરની કાર્યવાહી નહીં કરે

કોલકાતા, 16 જાન્યુઆરી 2026: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે હાલમાં ચાલી રહેલા રાજકીય તણાવની સીધી અસર હવે રમતગમત અને ખાસ કરીને આઈપીએલ પર જોવા મળી રહી છે. બાંગ્લાદેશના સ્ટાર ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને આઈપીએલ 2026 માંથી રિલીઝ કરી દેવામાં આવ્યો છે. જોકે, આ વિવાદ વચ્ચે મુસ્તફિઝુરે ઉદારતા બતાવી ફ્રેન્ચાઈઝી સામે કોઈ પણ કાયદેસરની કાર્યવાહી કરવાનો ઈન્કાર […]

5 રાજ્યોમાં SIR પ્રક્રિયાની મુદત 19 જાન્યુઆરી સુધી લંબાવતુ ચૂંટણીપંચ

નવી દિલ્હી, 16 જાન્યુઆરી 2026: ભારતીય ચૂંટણીપંચ (ECI) દ્વારા મતદાર યાદી સુધારણાના કાર્યક્રમ ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR) ને લઈને એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. પંચે ગોવા, લક્ષદ્વીપ, રાજસ્થાન, પુડુચેરી અને પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી SIR પ્રક્રિયાની સમય મર્યાદા વધારીને હવે 19 જાન્યુઆરી, 2026 સુધી કરી દીધી છે. ચૂંટણીપંચે આ અંગે સત્તાવાર પત્ર જાહેર કરીને સંબંધિત […]

યુએન સુરક્ષા પરિષદમાં ઈરાને અમેરિકા ઉપર કર્યાં આકરા પ્રહાર

ન્યૂયોર્ક, 16 જાન્યુઆરી 2026: ઈરાનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો અને હિંસા મામલે યોજાયેલી UN સુરક્ષા પરિષદની બેઠકમાં ઈરાનના ઉપ રાજદૂત ગુલામ હુસેન ગાઝીને અમેરિકા પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે અમેરિકા ઈરાનમાં હિંસા અને અશાંતિ ફેલાવવા માટે સીધી રીતે ભાગીદાર છે અને તે તથ્યો છુપાવીને વિશ્વ સમક્ષ જુઠ્ઠાણું ફેલાવી રહ્યું છે. બીજી […]

ગંગાસાગર મેળો : 1.30 કરોડ શ્રદ્ધાળુઓએ કર્યું પવિત્ર સ્નાન

કોલકાતા, 16 જાન્યુઆરી 2026: પશ્ચિમ બંગાળના દક્ષિણ 24-પરગણા જિલ્લામાં યોજાયેલ ગંગાસાગર મેળો પૂર્ણ થયો છે. મેળામાં 13 મિલિયનથી વધુ યાત્રાળુઓએ હાજરી આપી હતી. પશ્ચિમ બંગાળ પોલીસે શુક્રવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કર્યું હતું કે, “ગંગાસાગર મેળામાં સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉઠાવવાના કેટલાક લોકો પ્રયાસ કરી રહ્યા છે, જે તાજેતરમાં કોઈ અનિચ્છનીય ઘટના વિના […]

ગુજરાત વિધાનસભા બજેટ સત્રનો 16મી ફેબ્રુઆરીથી થશે પ્રારંભ, 17મી ફેબ્રુઆરીએ રજુ થશે બજેટ

ગાંધીનગર, 16 જાન્યુઆરી 2026: ગુજરાત વિધાનસભાના બજેટસત્રનો આગામી 16મી ફેબ્રુઆરીથી પ્રારંભ થશે. અને 17મી ફેબ્રુઆરીએ 2026-27ના વર્ષનું બજેટ ગૃહમાં નાણા મંત્રી દ્વારા રજુ કરવામાં આવશે. આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ 8માં સત્રનું આહ્વાન કર્યુ હતું. દરમિયાન મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં બજેટની તૈયારીઓ અગે ચર્ચા કરવામાં આવી હતી.  વિધાનસભાની કામકાજ સલાહકાર સમિતિની પુનઃ રચના પણ કરવામાં […]

કચ્છ-સૌરાષ્ટ્ર વાયબ્રન્ટ રિજનલ સમિટમાં રૂ. 5.78 લાખ કરોડના રોકાણ માટે MoU થયા

ગાંધીનગર,16 જાન્યુઆરી 2026: મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી  જીતુ વાઘાણીએ રાજકોટ ખાતે યોજાયેલી વાયબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટની સફળતા અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પૂર્વાધરૂપે યોજાયેલી કચ્છ-સૌરાષ્ટ્ર રીજનલ સમિટ રાજ્યના ઔદ્યોગિક વિકાસ માટે સીમાચિહ્નરૂપ સાબિત થઈ છે. આ બે દિવસીય રીજનલ સમિટ દરમિયાન […]

મોઢેરાના સૂર્યમંદિર ખાતે કાલે શનિવારથી દ્વિદિવસીય ‘ઉત્તરાર્ધ મહોત્સવ યોજાશે

મહેસાણા, 16 જાન્યુઆરી 2026: રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશ્વ વિખ્યાત ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિરના પ્રાંગણમાં આવતી કાલે તા.17 અને 18 જાન્યુઆરીના રોજ ભવ્ય ઉત્તરાર્ધ મહોત્સવ-2026નું આયોજન કરવામાં આવ્યું છે. શાસ્ત્રીય નૃત્યોની ગુરુ-શિષ્ય પરંપરાને ઉજાગર કરતા આ દ્વિદિવસીય મહોત્સવમાં વિશ્વ વિખ્યાત શાસ્ત્રીય […]

વડોદરા-હાલોલ હાઈવે પર ઈકોકારે બાઈકને ટક્કર મારતા બેનાં મોત

 વડોદરા,16 જાન્યુઆરી 2026: રાજ્યમાં હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં આજે વડોદરા-હાલોલ હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો હતો, વડોદરા-હાલોલ હાઈવે પર જરોદ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા રેલીસ હોટલ નજીક ઈકો કાર અને બાઈક વચ્ચે થયેલા અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત થયા છે, જ્યારે ચાર લોકોને ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code