1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

મોઢેરાના સૂર્યમંદિર ખાતે કાલે શનિવારથી દ્વિદિવસીય ‘ઉત્તરાર્ધ મહોત્સવ યોજાશે

મહેસાણા, 16 જાન્યુઆરી 2026: રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશ્વ વિખ્યાત ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિરના પ્રાંગણમાં આવતી કાલે તા.17 અને 18 જાન્યુઆરીના રોજ ભવ્ય ઉત્તરાર્ધ મહોત્સવ-2026નું આયોજન કરવામાં આવ્યું છે. શાસ્ત્રીય નૃત્યોની ગુરુ-શિષ્ય પરંપરાને ઉજાગર કરતા આ દ્વિદિવસીય મહોત્સવમાં વિશ્વ વિખ્યાત શાસ્ત્રીય […]

વડોદરા-હાલોલ હાઈવે પર ઈકોકારે બાઈકને ટક્કર મારતા બેનાં મોત

 વડોદરા,16 જાન્યુઆરી 2026: રાજ્યમાં હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં આજે વડોદરા-હાલોલ હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો હતો, વડોદરા-હાલોલ હાઈવે પર જરોદ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા રેલીસ હોટલ નજીક ઈકો કાર અને બાઈક વચ્ચે થયેલા અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત થયા છે, જ્યારે ચાર લોકોને ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. આ […]

ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી: જાહેરનામું બહાર પડ્યું, જાણો ક્યારે થશે નવા સુકાનીની પસંદગી

નવી દિલ્હી, 16 જાન્યુઆરી, 2026: ભારતીય જનતા પાર્ટીએ તેના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટે સત્તાવાર જાહેરનામું (Notification) બહાર પાડ્યું છે. લાંબા સમયથી ચાલી રહેલી અટકળોનો અંત લાવીને પાર્ટીના ચૂંટણી અધિકારીઓએ ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. જેપી નડ્ડાનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ હવે પાર્ટી કોના હાથમાં કમાન સોંપશે, તેના પર સમગ્ર દેશની નજર ટકેલી છે. […]

સમગ્ર દેશમાં એક વર્ષ સુધી ઉજવાશે ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’

ગાંધીનગર,16 જાન્યુઆરી 2026: મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના તાજેતરના ત્રિ-દિવસીય ગુજરાત પ્રવાસની અભૂતપૂર્વ સફળતા અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી  જીતુભાઈ વાઘાણીએ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે, સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાયેલું ‘સોમનાથ સ્વાભિમાન […]

લોકોના પ્રશ્નોના ઝડપી અને પ્રામાણિક નિવારણ માટે કલેકટરોને મુખ્યમંત્રીએ કરી તાકીદ

ગાંધીનગર, 16 જાન્યુઆરી 2026:  મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યના જિલ્લા કલેકટરોને લોકોની રજૂઆતો સાંભળી તેના ઝડપી, પ્રામાણિક નિવારણ માટે જિલ્લા સ્તરે વધુ સુદ્રઢ વ્યવસ્થા વિકસાવવાની તાકીદ કરી છે. આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટ પણે જણાવ્યું કે, જિલ્લામાં રજૂઆતો માટે આવનારી વ્યક્તિની મુશ્કેલી સમજીને તેને સહાયરૂપ થવાની સંવેદનાથી જ લોકોનો ભરોસો-વિશ્વાસ સંપાદિત થઈ શકશે. તેમણે જિલ્લા કક્ષાએ નિવારણ […]

ન્યાયમૂર્તિ યશવંત વર્માને ફટકોઃ મહાભિયોગ સમિતિની રચનામાં કશું ખોટું નથી

સુપ્રીમ કોર્ટે જસ્ટિસ યશવંત વર્મા વિરુદ્ધની મહાભિયોગ તપાસ સમિતિને લીલી ઝંડી આપી નવી દિલ્હી, 16 જાન્યુઆરી, 2026: સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટના જજ જસ્ટિસ યશવંત વર્મા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે. જસ્ટિસ વર્માએ તેમની વિરુદ્ધ શરૂ કરવામાં આવેલી મહાભિયોગ (Impeachment) પ્રક્રિયા માટે રચાયેલી તપાસ સમિતિની બંધારણીયતાને પડકારી હતી. સુપ્રીમ કોર્ટની મુખ્ય ન્યાયમૂર્તિની અધ્યક્ષતાવાળી બેંચે […]

અમદાવાદમાં પાલડી વિસ્તારમાં વિવાદાસ્પદ સોસાયટીના ગેરકાયદે બંગલાનું ડિમોલિશન

અમદાવાદ, 16 જાન્યુઆરી 2026:   શહેરના પાલડી વિસ્તારમાં આવેલી વિવાદાસ્પદ નૂતન સર્વોદય સોસાયટીમાં એક ગેરકાયદેસર બંગલાને મ્યુનિના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ડિમોલિશન કરાયુ હતુ. નવો બંગલો બનાવવા માટે મ્યુનિના એસ્ટેટ વિભાગમાં કોઈ મંજૂરી લેવામાં આવી નહોતી, જેના પગલે એસ્ટેટની ટીમ દ્વારા નોટિસો આપવામાં આવી હતી, જે બાદ આજે 16 જાન્યુઆરીના રોજ વહેલી સવારે પોલીસ બંદોબસ્ત […]

ગુજરાત ઠંડીમાં ઠુંઠવાયુ, અમરેલીમાં 6 ડિગ્રી, ગિરનાર પર્વત પર 3.4 ડિગ્રી તાપમાન

અમદાવાદ, 16 જાન્યુઆરી 2026:  ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં લોકોએ કડકડતી ઠંડીનો અનુભવ કર્યો છે. ઠંડા પવનોને લીધે જન જીવન પર અસર પડી છે. આજે સૌથી ઓછુ તાપમાન અમરેલી ખાતે 6 ડિગ્રી નોંધાયુ હતું. જ્યારે ગિરનાર પર્વત પર લઘુત્તમ તાપમાન 3.4 ડિગ્રી નોંધાયુ છે. તેમજ નલિયા, જામનગર અને જુનાગઢ શહેરમાં સિંગલ ડિઝીટ સાથે કડકડતી ઠંડી […]

ભૂજથી વરસામેડી હાઈવેનું કામ અધૂરૂં છતાં ટોલટેક્સ લેવાનું શરૂ થતાં કરાયો વિરોધ

ભૂજ, 16 જાન્યુઆરી 2026:   ભૂજથી વરસાણા સુધીના 65 કિમીના  હાઇવે પર 9 કિમીનું કામ બાકી હોવા છતાં 15 જાન્યુઆરીથી બે ટોલ નાકાઓ પર ટોલ વસૂલાત શરૂ કરાતા વાહનચાલકો, ટ્રક માલિકો અને સ્થાનિક લોકોએ ભારે વિરોધ કર્યો છે. હાઈવેનું કામ પુરૂ થયુ નથી તો ટોલટેક્સ કેમ વસુલવામાં આવી રહ્યો છે. એવો પ્રશ્ન લોકોએ ઉઠાવ્યો છે. આ […]

કેશોદ હાઈવે પર વૃક્ષોને પાણી છાંટતા ટેન્કર પાછળ કાર ઘૂંસી જતા કારચાલકનું મોત

જુનાગઢ, 16 જાન્યુઆરી 2026:   હાઈવે પર પૂરફાટ ઝડપે દોડતા વાહનોને લીધે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે કેશોદ નેશનલ હાઈવે પર વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. કેશોદ નેશનલ હાઇ-વે પર ડિવાઈડરમાં વૃક્ષોને પાણી પાઈ રહેલા ટેન્કર સાથે પૂર ઝડપે આવેલી કાર ધડાકાભેર અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારચાલક યુવકનું ગંભીર ઈજાઓ થવાને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code