1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

શેરબજારમાં તેજી પર બ્રેક: રોકાણકારોના 2.62 લાખ કરોડનું ધોવાણ

મુંબઈ, 5 ફેબ્રુઆરી 2026: છેલ્લા ત્રણ દિવસથી શેરબજારમાં જોવા મળી રહેલી હરિયાળી પર ગુરુવારે અચાનક બ્રેક લાગી ગઈ છે. સતત ઉપર ચઢી રહેલા બજારે સપ્તાહના ચોથા કારોબારી દિવસે યુ-ટર્ન લેતા રોકાણકારોને સંભળવાની તક પણ મળી ન હતી. બજારમાં જોવા મળેલી આ જબરદસ્ત વેચવાલીને કારણે રોકાણકારોની મહેનતની કમાણીના અંદાજે રૂ. 2.62 લાખ કરોડ ધોવાઈ ગયા છે. […]

ઓવૈસીના પક્ષના નેતાએ 300 હિન્દુ મહિલાઓનું જીવન બરબાદ કર્યું, મામલો પહોંચ્યો સીએમ યોગી સુધી

લખનૌ, 5 ફેબ્રુઆરી, 2026 – 300 Hindu women દેશમાં અનેક ક્ષેત્રમાંથી વારંવાર ધર્માંતર, હિન્દુ મહિલાઓ સાથે છેતરપિંડી, દુષ્કર્મ, લવ જેહાદના સમાચાર આવ્યા જ કરે છે. આવા જ એક સમાચાર ઉત્તરપ્રદેશના બસ્તી ગામમાંથી આવ્યા છે. અહીં અસદુદ્દીન ઓવૈસીના પક્ષના એક નેતાએ ખૂબ મોટા પાયે હિન્દુ મહિલાઓ સાથે ગંભીર છેતરપિંડી અને ધર્માંતરનું એક મોટું કૌભાંડ છતું થયું […]

અમદાવાદ રેલવે ડિવિઝને 10 મહિનામાં પ્રવાસીઓ પાસેથી 25.72 કરોડનો દંડ વસૂલ્યો

અમદાવાદ, 5 ફેબ્રુઆરી 2026:  પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન દ્વારા છેલ્લા 10 મહિનામાં ટિકિટ વગર મુસાફરી કરતાં, ગંદકી ફેલાવતા તથા રેલવે સ્ટેશન- ટ્રેનમાં થૂંકતા પ્રવાસીઓ સામે કાર્યવાહી કરી કુલ 25.72 કરોડનો દંડ વસૂલ્યો હતો. જે ગત વર્ષની સરખામણીએ 54 ટકા વઘુ છે. એટલું જ નહીં જાન્યુઆરીમાં તો દર કલાકે તંત્રએ આવા 43 લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરી […]

મેઘાલયના તાશ્ખાઈ વિસ્તારમાં કોલસાની ખાણમાં વિસ્ફોટ, 4 મજૂરોના મોત

નવી દિલ્હી, 05 ફેબ્રુઆરી 2026: મેઘાલયના તાશ્ખાઈ વિસ્તારમાં કોલસાની ખાણમાં જોરદાર વિસ્ફોટ થયો છે. આ દુર્ઘટનામાં 4 મજૂરોના મોત થયાના અહેવાલ છે. અકસ્માત બાદ સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસે બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. રાહત અને બચાવ કામગીરી શરૂ એવી શંકા છે કે બધા મૃતક મજૂરો આસામના રહેવાસી હતા, જોકે વહીવટીતંત્ર દ્વારા સત્તાવાર પુષ્ટિની પ્રક્રિયા […]

ધોળકા-બગોદરા હાઈવે પર ટ્રક અજાણ્યા વાહનની પાછળ અથડાતા 3નાં મોત

અમદાવાદ, 5 ફેબ્રુઆરી 2026:  રાજ્યમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ આજે વહેલી ધોળકા-બગોદરા હાઈવે પર સર્જાયો હતો. પૂરફાટ ઝડપે આઈસર ટ્રક કોઈ અજાણ્યા વાહનની પાછળ અથડાતા ટ્રકમાં પ્રવાસ કરી રહેલા પતિ-પત્ની અને તેમના  પુત્રનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજતા સમગ્ર પંથકમાં અરેરાટી છવાઈ ગઇ છે. અકસ્માત એટલો ભયાનક હતો […]

સૌરાષ્ટ્રમાં વાહનોની અડફેટે સિંહ સહિત વન્ય પ્રાણીઓને બચાવવા એક્શન પ્લાન

રાજકોટ, 5 ફેબ્રુઆરી 2026:  સૌરાષ્ટ્રના 5 જિલ્લાઓના હાઈવે તેમજ રોડ-રસ્તાઓ પર અવાર-નવાર સિંહ સહિત વન્ય પ્રાણીઓ આવી જતા હોય છે. અને અકસ્માતનો ભોગ બનતા હોય છે. ત્યારે આવા અકસ્માતો રોકવા માટે વનવિભાગે કમર કસી છે. તાજેતરમાં અમરેલી જિલ્લામાં વાહન અકસ્માતમાં સિંહોના મૃત્યુની વધતી ઘટનાઓને પગલે પીસીસીએફ (PCCF) દ્વારા વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ વિડિયો કોન્ફરન્સ […]

એએમસીના ડ્રાફ્ટ બજેટમાં નવું કતલખાનું બનાવવાની દરખાસ્ત પાછી ખેંચાઈ

અમદાવાદ, 5 ફેબ્રુઆરી 2026:  અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ગઈકાલે 17018 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજુ કરાયુ હતું. જેમાં વિવિધ વિકાસના કામોમાં નવુ કતલખાનું બનાવવાની દરખાસ્ત પણ હતી. જેનો ભારે વિરોધ થતા આખરે કતલખાનાની દરખાસ્ત પરત ખેંચી લેવાઈ છે. ભાજપના જૈન ધારાસભ્ય અને પૂર્વ મેયરે આ અંગે વિરોધ દર્શાવ્યો હતો. 32 કરોડના ખર્ચે જૂનું કતલખાનું બંધ કરી નવું […]

વિદેશથી આવતા પ્રવાસીઓની સંખ્યામાં ગુજરાત દેશમાં ત્રીજું રાજ્ય બન્યું

ગાંધીનગર, 5 ફેબ્રુઆરી 2026: વર્ષ 2024માં ભારતના પ્રવાસન ક્ષેત્રમાં મજબૂત વિકાસ જોવા મળ્યો છે, જેમાં દેશમાં આવતા વિદેશી પ્રવાસીઓની સંખ્યા 99.5 લાખ સુધી પહોંચી છે. આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની સંખ્યા પણ વધીને 2.05 કરોડ થઇ છે જે કોવિડ પહેલાના વર્ષ 2019ની સરખામણીએ 14.85% નો વધારો દર્શાવે છે. રાષ્ટ્રીય સ્તરે નોંધાયેલી આ વૃદ્ધિમાં ગુજરાત પણ વિદેશી પ્રવાસીઓ માટે ત્રીજા […]

કચ્છના આરોગ્ય વિભાગમાં કર્મચારીઓની સામુહિક બદલીઓ સામે આંદોલન કરાશે

ભૂજ, 5 ફેબ્રુઆરી 2026:   કચ્છ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 400 જેટલાં કર્મચારીઓની સાગમટે બદલીઓ કરવામાં આવતા કર્મચારીઓમાં ભારે રોષ ફેલાયો છે. કર્મચારીઓએ બદલી સામે ભારે વિરોધ કરીને લડતનું એલાન કર્યું છે. અને કર્મચારીઓની લડતને ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘે ટેકો આપ્યો છે. જો બદલીઓ તાત્કાલિક સ્થગિત નહીં થાય અથવા યોગ્ય નિરાકરણ નહીં આવે તો 16 […]

બંગાળમાં SIRનો ખોફ: મતદાર યાદી સુધારણાના ડરથી 107 લોકોના મોતનો દાવો

કોલકાતા, 5 ફેબ્રુઆરી 2026: પશ્ચિમ બંગાળ વિધાનસભામાં ગુરુવાર, 5 ફેબ્રુઆરી 2026ના રોજ એક ચોંકાવનારો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. મમતા બેનર્જીની સરકારે દાવો કર્યો છે કે રાજ્યમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર) એટલે કે મતદાર યાદીની ખાસ ચકાસણીના ડર અને ગભરાટને કારણે અત્યાર સુધીમાં 107 લોકોએ જીવ ગુમાવ્યા છે. ટીએમસી સરકારે આ પ્રક્રિયાને એનઆરસી (એનઆરસી) લાવવાનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code