1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

સુરતમાં નબીરાએ પૂરફાટ ઝડપે કાર દોડાવીને 5 વાહનોને અડફેટે લીધા, ત્રણને ઈજા

સુરત,  2 ફેબ્રુઆરી 2026:  શહેરમાં રાતના સમયે નબીરાઓ પૂરફાટ ઝડપે વાહનો દોડાવીને રેસ લગાવતા હોય છે. આવા નબીરાઓને પોલીસનો પણ ડર લાગતો નથી. અને રોડ પર વાહનો તેજ ગતિથી દોડાવીને ભય ફેલાવતા હોય છે. ત્યારે આવો જ એક વધુ બનાવ બન્યો છે. શહેરના પોશ ગણાતા મગદલ્લા-ડુમસ વિસ્તારમાં આવેલા એરપોર્ટ રોડ પર અવધ ઉથોપિયા નજીક ગત […]

બાંગ્લાદેશઃ શેખ હસીનાને પૂર્બાચલ પ્લોટ કૌભાંડમાં 10 વર્ષની કેદ ફરમાવાઈ

નવી દિલ્હી, 2 ફેબ્રુઆરી 2026: બાંગ્લાદેશની એક વિશેષ અદાલતે પૂર્બાચલ પ્લોટ કૌભાંડના બે કેસોમાં પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને 10 વર્ષની જેલની સજા ફટકારી છે. આ સાથે જ કોર્ટે તેમની ભત્રીજી અને બ્રિટિશ સાંસદ ટ્યૂલિપ સિદ્દીકને 4 વર્ષની જેલની સજા સંભળાવી છે. ઢાકાની વિશેષ ન્યાયાધીશ અદાલત-4 ના જજ મોહમ્મદ રબીઉલ આલમે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. કોર્ટે […]

રાજકોટથી નોકરી પૂર્ણ કરીને રાત્રે બાઈક પર ઘેર જતા યુવાનને 4 શખસોએ લૂંટી લીધો

રાજકોટ,  2 ફેબ્રુઆરી 2026:  શહેરમાંથી નોકરી પરથી છૂટીને બાઈક પર પોતાના ઘર તરફ જઈ રહેલા બાઈકસવાર યુવાનને નારણકા ચોકડીથી સોળીયા જતા રોડ પર રોકીને ચાર અજાણ્યા શખસો રોકડ 12,700, મોબાઈલ અને બાઈક મળી કુલ 42,700 ની મત્તાની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા. આ બનાવની કોટડાસાંગાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. […]

નડિયાદના સંતરામ મંદિરમાં સાકર વર્ષા મહોત્સવમાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં

નડિયાદ,  2 ફેબ્રુઆરી 2026:  શહેરના વિશ્વપ્રસિદ્ધ સંતરામ મંદિર ખાતે રવિવારે મહાસુદ પૂનમના દિને સાકરવર્ષાનો ભવ્ય મહોત્સવ ઊજવાયો હતો. અવધૂત સંતરામ મહારાજની 195 વર્ષ જૂની પરંપરાને જાળવી રાખીને રવિવારે મંદિર પરિસરમાં હજારો મણ સાકર અને સુકા ટોપરાની વર્ષા કરવામાં આવી હતી. આ દિવ્ય ક્ષણના સાક્ષી બનવા માટે નડિયાદ શહેર સહિત સમગ્ર ગુજરાત અને દેશ-વિદેશમાંથી લાખોની મેદની […]

VIDEO: જનઆક્રોશ યાત્રાના ત્રીજા તબક્કાના પ્રારંભે કોંગ્રેસ પ્રમુખના ભાજપ સરકાર ઉપર પ્રહાર

અમદાવાદ, 2 ફેબ્રુઆરી, 2026 – Jan Aakrosh Yatra ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્ય સરકાર વિરુદ્ધ જનઆક્રોશ યાત્રાના ત્રીજા તબક્કાનો આજે બીજી ફેબ્રુઆરીને સોમવારથી પ્રારંભ થયો હતો. ત્રીજા ચરણની આ યાત્રામાં દક્ષિણ ગુજરાતના જિલ્લા અને ગામોને આવરી લેવામાં આવશે. જન આક્રોશ‎ યાત્રા દરમિયાન‎ કપરાડા‎ ખાતે ગુજરાત‎ પ્રદેશ‎ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાએ રાજ્યની ભાજપ સરકાર ઉપર આકરા […]

સાયલા તાલુકાના મોટા કેરાળા ગામે ખનીજ વિભાગના દરોડા, 3 કરોડનો મુદ્દામાલ સીઝ

સુરેન્દ્રનગર,  2 ફેબ્રુઆરી 2026:   સુરેન્દ્રનગર જિલ્લો ખનીજચોરીમાં જાણીતો છે. ત્યારે તંત્રએ પણ ખનીજચોરો સામે લાલા આંખ કરી છે. દરમિયાન સાયલા તાલુકામાં ખનીજ માફિયાઓ પર તંત્રએ સતત ચોથા દિવસે તવાઈ બોલાવી છે. મોટા કેરાળા ગામ પાસે ભોગાવો નદી નજીક આવેલી બ્લેક ટ્રેપ પથ્થરની ખાણ પર ખનીજ વિભાગની ટીમે દરોડો પાડી અંદાજે 3 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો […]

તલાળા યાર્ડ દ્વારા કેસરી કેરી બાદ હવે દાડમ અને નાળિયેરની અમેરિકામાં નિકાસ

ગીર સોમનાથ,  2 ફેબ્રુઆરી 2026:  ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકની કેસર કેરી સ્વાદ રસિયાઓ માટે જાણીતી છે. તલાળા યાર્ડ દ્વારા કેસર કેરીની સફળ નિકાસ કર્યા બાદ હવે દાડમ અને નાળિયેરની પણ અમેરિકામાં નિકાસ શરૂ કરવામાં આવી છે. આ પગલું માત્ર તાલાલા નહીં પરંતુ સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના કૃષિ વિકાસ અને નિકાસ ક્ષમતાને નવી ઊંચાઈ પર […]

ગુજરાતમાં સરકારી કર્મચારીઓ સામે હવે સીધી પોલીસ ફરિયાદ કરી શકાશે નહીં

અમદાવાદ,  2 ફેબ્રુઆરી 2026:  ગુજરાત સરકારના કર્મચારી અને અધિકારીઓ સામે હવે સીધી પોલીસ ફરિયાદ કરી શકાશે નહીં. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં સરકારી કર્મચારી સામે કોઈ ફરિયાદ નોંધાવે તો પોલીસે તુરંત ગુનો નોંધવાને બદલે પહેલા પ્રાથમિક તપાસ અને ચકાસણી કરવી ફરજિયાત રહેશે. સૂત્રોના જણાવ્યા મુજબ  ગૃહ વિભાગ દ્વારા […]

અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ પૂર્ણ, 3 દિવસમાં 4 લાખ ભાવિકોએ લાભ લીધો

અંબાજી,  2 ફેબ્રુઆરી 2026:  સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ત્રિ દિવસીય એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ રવિવારે પૂર્ણ થયો છે. પરિક્રમાના અંતિમ દિવસે લાખો શ્રદ્ધાળુઓ સાથે ત્રણ દિવસમાં કુલ 4 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પરિક્રમા કરી ધન્યતા અનુભવી હતી. બીજી તરફ પૂનમને લઇ મા અંબાજી મંદિર પણ માઇભક્તોથી ઉભરાઇ ગયું હતુ. આદ્ય શક્તિપીઠ અંબાજીના ગબ્બર ખાતે ત્રિદિવસીય એકાવન શક્તિપીઠ […]

પાકિસ્તાની હિન્દુ શરણઆર્થીઓને નાગરિકતાની સાથે ઘર પણ મળવું જોઈએઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી, 2 ફેબ્રુઆરી 2026: સુપ્રીમ કોર્ટે સોમવારે પાકિસ્તાનથી આવેલા અનુસૂચિત જાતિના હિન્દુ શરણાર્થીઓના હિતમાં એક મોટો અને મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. કોર્ટે કેન્દ્ર સરકારને નિર્દેશ આપતા જણાવ્યું છે કે, પાકિસ્તાનથી પીડિત થઈને આવેલા આ લોકોને માત્ર નાગરિકતા આપવી પૂરતી નથી, પરંતુ સરકાર તેમને ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે યોગ્ય ઘર મળે તેની પણ ખાતરી કરે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code