1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

રાજકોટમાં મધરાત બાદ કારમાં આવેલા તસ્કરો 120 કિલો ચાંદીની ચોરી કરી પલાયન

રાજકોટ, 4 ફેબ્રુઆરી 2026:  શહેરના સામાકાંઠા વિસ્તારમાં પેડક રોડ પર ચંપકનગર પાસે આવેલા રણછોડનગર શેરી નંબર-1માં રહેણાંક મકાનમાં ગઈ મધરાત બાદ તસ્કરો ત્રાટક્યા હતા. કાર લઈને ચોરી કરવા આવેલા શખસો એક કરોડથી વધુ કિંમતની 120 કિલો ચાંદીના ઘરેણા ચોરીને પલાયન થઈ ગયા હતા.  ચોરીના બનાવ અંગે જાણ થતા બી ડિવિઝન પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, LCB ઝોન […]

નેપાળ-ઇસ્તાંબુલ ફ્લાઇટના એન્જિનમાં ટેકનિકલ ખામીને કારણે કોલકાતામાં કરાયું ઇમરજન્સી લેન્ડિંગ

કોલકાતા, 04 ફેબ્રુઆરી 2026: કાઠમંડુથી ઇસ્તંબુલ જતી ટર્કિશ એરલાઇન્સની ફ્લાઇટ THY-727 ને ટેકનિકલ સમસ્યાને કારણે કોલકાતા વાળવામાં આવી હતી. ટેકઓફ કર્યા પછી તરત જ એન્જિનમાં ગંભીર ખામી જોવા મળી હતી. પાઇલટ્સની સતર્કતાને કારણે, વિમાનમાં સવાર તમામ 236 મુસાફરો અને 11 ક્રૂ સભ્યો સુરક્ષિત રીતે બચી ગયા. વિમાનનું કોલકાતાના નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર […]

સુજલામ સુફલામ જળ અભિયાન કામગીરીનો ૨૧ ફેબ્રુઆરીથી પ્રારંભ થશે

દર વર્ષ કરતાં ચાલુ વર્ષે પાણીના સંગ્રહ માટે તળાવો ઊંડા કરવાની કામગીરી વહેલા કરાશે: રાજ્યમાં છેલ્લા ૮ વર્ષમાં ૧૩,૯૯૪ મિલિયન ઘનફૂટ પાણીનો સંગ્રહ થયો ગાંધીનગર, 4 ફેબ્રુઆરી, 2026 – Sujalam Sufalam Jal Abhiyan સુજલામ સુફલામ જળ અભિયાન કામગીરીનો આગામી ૨૧ ફેબ્રુઆરીથી પ્રારંભ થશે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠક અંગે વિગતો આપતા […]

આવકનો દાખલો અને જાતિ સહિતના 18 પ્રમાણપત્રો 1લી એપ્રિલથી ઓનલાઈન મળશે

ગાંધીનગર, 4 ફેબ્રુઆરી 2026:  ગુજરાત સરકારે આજે મહત્વનો નિર્ણય લીધો છે. આજે મળેલી કેબિનેટની બેઠકમાં એવો નિર્ણય લેવાયો છે, કે,  શાળાઓ શરૂ થતાં પહેલા જ 1લી એપ્રિલથી વિદ્યાર્થીઓ અને વાલીઓને આવકનો દાખલો સહિત 18 જેટલા વિવિધ પ્રમાણપત્રો ઓનલાઈન મળશે. જેના કારણે 80 લાખ લોકોને સીધો ફાયદો થશે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું […]

સરકારી સેવામાં કાર્ય પ્રત્યેની વફાદારીથી વેતનની સાથે પ્રતિષ્ઠા પણ મળશે: ઋષિકેશ પટેલ

ગાંધીનગર, 4 ફેબ્રુઆરી 2026:     સરકારી સેવામાં કાર્ય પ્રત્યેની નિષ્ઠા અને વફાદારી રાખવાથી વેતનની સાથે સફળતા તેમજ પ્રતિષ્ઠા પણ મળશે.‌ નોકરીએ માત્ર આર્થિક ઉપાર્જન નથી પણ પૂજા છે. ઊર્જા વિભાગના કર્મયોગીઓ વિવિધ આપત્તિ સમયે જીવના જોખમે ૨૪×૭ કામ કરીને જરૂરિયાતવાળા વિસ્તારમાં ઝડપી વીજળી પુનઃસ્થાપિત કરવાનું ભગીરથ કામ કરે છે જે હંમેશા પ્રસંશનીય છે તેમ, આજે ગાંધીનગર ખાતે […]

ઉપેન્દ્ર કુશવાહાએ રાજ્યસભામાં પટનાનું નામ બદલીને પાટલીપુત્ર કરવાની માંગ કરી

પટના, 04 ફેબ્રુઆરી 2026: રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ દરમિયાન, રાજ્યસભાના સભ્ય અને રાષ્ટ્રીય લોક મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહાએ પટનાનું નામ બદલીને પાટલીપુત્ર કરવાની માંગ ઉઠાવી. તેમણે તેને ફક્ત નામ પરિવર્તન તરીકે જ નહીં પરંતુ ભારતના ભવ્ય ભૂતકાળ સાથે જોડાવાના પ્રતીક તરીકે વર્ણવ્યું. ‘ભૂતકાળથી પ્રેરિત વિકસિત ભારતનો માર્ગ’ ઉપેન્દ્ર કુશવાહાએ રાષ્ટ્રપતિના નિવેદનનો ઉલ્લેખ કર્યો […]

ભાવનગર મ્યુનિ.કોર્પોરેશનને એક મહિનામાં પ્રોપર્ટી ટેક્સની 3.17 કરોડની થઈ આવક

ભાવનગર, 4 ફેબ્રુઆરી 2026:  શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બાકી પ્રોપર્ટી ટેક્સ સામે ઝૂંબેશ ચલાવવામાં આવી હતી. જેમાં બાકીદારો માટે રિબેટ યોજના પણ અમલમાં મુકવામાં આવી હતી. આથી વેરા વસુલાતમાં લોકોનો સારોએવો પ્રતિસાદ મળ્યો છે. ગત જાન્યુઆરી મહિનામાં રૂા. ૩.૭૧ કરોડનો મિલકત વેરો કરદાતાઓ ભર્યો હતો તેથી મ્યુનિ.કોર્પોરેશનની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. ભાવનગર મ્યુનિ.કોર્પોરેશનના મિલકત […]

મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન હટાવાયું, જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

નવી દિલ્હી, 04 ફેબ્રુઆરી 2026: ગયા વર્ષના ફેબ્રુઆરીથી મણિપુરમાં લાગુ પડેલું રાષ્ટ્રપતિ શાસન હટાવી લેવામાં આવ્યું છે. ગૃહ મંત્રાલયે રાજ્યમાં તાત્કાલિક અસરથી રાષ્ટ્રપતિ શાસનનો અંત લાવવાની જાહેરાત કરતું એક જાહેરનામું બહાર પાડ્યું છે. ગૃહ મંત્રાલયે મણિપુરમાં ગયા વર્ષે ફેબ્રુઆરીથી લાગુ રાષ્ટ્રપતિ શાસન તાત્કાલિક અસરથી હટાવી દીધું છે. આ દરમિયાન, NDA નેતા વાય. ખેમચંદ સિંહે રાજ્યપાલ […]

સુરેન્દ્રનગરમાં સરકારી ગોદામનાં છત પર પતરા નથી, અનાજ બગડી જવાની શક્યતા

સુરેન્દ્રનગર, 4 ફેબ્રુઆરી 2026:  શહેરમાં પુરવઠા વિભાગના સરકારી ગોદામથી જિલ્લાની રેશનીંગની દુકાનોને અનાજનું વિતરણ કરવામાં આવે છે. કલેક્ટર કચેરી નજીક આવેલા આ સરકારી અનાજના ગોડાઉનની હાલત અત્યંત બિસ્માર જોવા મળી રહી છે. છેલ્લા આઠ મહિનાથી આ ગોડાઉનના પતરા તૂટેલી હાલતમાં હોવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ સમારકામ કરવામાં આવ્યું નથી. છત પર પતરા ન […]

રાજસ્થાનથી યુવતીને પ્રમેજાળમાં ફસાવી 20 દિવસ ગોંધી રાખી દૂષ્કર્મ કર્યું, બેની ધરપકડ

સુરત, 4 ફેબ્રુઆરી 2026:  સોશિયલ મીડિયાનું બાળકોથી લઈને યુવક-યુવતીઓમાં વધુ વળગણ જોવા મળી રહ્યુ છે. સોશિયલ મિડિયા થકી ફેસબુક કે ઈન્સ્ટ્રાગ્રામના માધ્યમથી યુવક-યુવતીઓ સંપર્કમાં આવીને ન કરવું કરી બેસતા હોય છે. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાજસ્થાનના કોટાની યુવતી સુરતના એક યુવાનના સંપર્કમાં આવી હતી. અને માત્ર 6 દિવસના પરિચયમાં યુવતી કોટાથી જન્મદિન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code