1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ઉત્તરાયણ પર આ રીતે ઘરે બનાવો ચટાકેદાર સુરતી ઊંધિયું

Recipe 14 જાન્યુઆરી 2026: ઉત્તરાયણ નજીક આવતાં જ  રંગબેરંગી પતંગો આકાશમાં ઉડવા લાગે છે અને રસોડામાં ઊંધિયાની તૈયારીઓ શરૂ થઈ જાય છે. શિયાળાની ખાસ આ વાનગી ઉત્તરાયણના દિવસોમાં દરેક ઘરના જમવાના મેનુમાં જોવા મળે છે. વિવિધ શાકભાજી અને ખાસ મસાલાથી બનતું ઊંધિયું સ્વાદ સાથે પરંપરાની ખુશ્બૂ પણ આપે છે. સુરતથી શરૂ થયેલી આ વાનગી આજે […]

શિયાળામાં સુપરફૂડ છે લીલા વટાણા: સ્વાદની સાથે સ્વાસ્થ્યનો ખજાનો

શિયાળાની ગુલાબી ઠંડીની શરૂઆત થતા જ શાકભાજી બજારમાં લીલાછમ શાકભાજીની રોનક વધી જાય છે. બજારમાં પાલક, મેથી અને તુવેરની સાથે ‘લીલા વટાણા’ (Green Peas) પણ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. વટાણા માત્ર વાનગીનો સ્વાદ જ નથી વધારતા, પરંતુ તે પોષક તત્વોનો પાવરહાઉસ પણ છે. વિટામિન્સ, મિનરલ્સ, ફાઇબર અને પ્રોટીનથી ભરપૂર આ નાનકડા દાણા શિયાળામાં શરીરને […]

વસુધૈવ કુટુંબકમ કોન્ક્લેવ 4.0: મુંબઈના ઓગસ્ટ ક્રાંતિ મેદાન ખાતે આયોજન, જાણો વિગતો અહીં

મુંબઈ, 13 જાન્યુઆરી, 2026: Vasudhaiva Kutumbakam Conclave 4.0 જ્યોત ફાઉન્ડેશન દ્વારા ભારત સરકારના વિદેશ મંત્રાલયના સહયોગથી આગામી ‘વસુધૈવ કુટુંબકમ કોન્ક્લેવ 4.0’ યોજાઈ રહી છે. આ કાર્યક્રમ 16થી 22 જાન્યુઆરી, 2026 દરમિયાન મુંબઈના ઐતિહાસિક ઓગસ્ટ ક્રાંતિ મેદાન ખાતે યોજાશે. પરમ પૂજ્ય ગચ્છાધિપતિ જૈનાચાર્ય યુગભૂષણસૂરીજીના માર્ગદર્શન હેઠળ આ કોન્ક્લેવનું આયોજન એવા ‘સંક્રમણ કાળ’માં કરવામાં આવી રહ્યું છે […]

સુરત લિટરેચર ફેસ્ટિવલ 2026નું સમાપન: ભારત@2047 પર વ્યાપક ચર્ચા

સુરત, જાન્યુઆરી 2026: Surat Literature Festival 2026 concludes સુરત લિટરેચર ફેસ્ટિવલની ચોથી આવૃત્તિ રવિવારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ખાતે સંપન્ન થઈ. ત્રણ દિવસના આ કાર્યક્રમમાં નીતિ નિર્ધારકો, સંરક્ષણ નિષ્ણાતો, શિક્ષણવિદો, પત્રકારો, કલાકારો અને સાંસ્કૃતિક ક્ષેત્રો સાથે જોડાયેલી હસ્તીઓએ ગહન ચર્ચા અને સાંસ્કૃતિક અભિવ્યક્તિમાં ભાગ લીધો હતો. 9 થી 11 જાન્યુઆરી દરમિયાન આયોજિત આ […]

ફાર્માસ્યુટિકલ એકેડેમી ફોર ગ્લોબલ એક્સેલન્સ (PAGE)નો અમિત શાહે કર્યો શિલાન્યાસ

અમદાવાદ,13 જાન્યુઆરી 2026: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે અમદાવાદના સનાથલ ખાતે ફાર્માસ્યુટિકલ અકેડેમી ફોર ગ્લોબલ એક્સિલન્સ (PAGE)નો શિલાન્યાસ કરવામાં આવ્યો. PAGEના શિલાન્યાસ સમારંભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.  આ પ્રસંગે ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ અલાયન્સ (IPA)નાં 25 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી પણ કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી  અમિતભાઈ શાહ તથા મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર […]

ઉત્તર ભારતમાં શીત લહેરનું મોજુ ફરી વળશે, હિમવર્ષાની આગાહી

નવી દિલ્હી, 13મી જાન્યુઆરી 2026: જમ્મુ અને કાશ્મીરમાં સ્વચ્છ આકાશને કારણે લઘુત્તમ તાપમાનમાં વધુ એક ઘટાડો થયો હતો. શ્રીનગર શહેરમાં માઈનસ 4.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જેના કારણે કાશ્મીર ખીણમાં ઠંડીનું પ્રમાણ વધુ વધ્યું હતું. સવારે જમ્મુ શહેરમાં ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું, જેના કારણે સામાન્ય જનજીવન ભારે ખોરવાઈ ગયું હતું. નબળી દૃશ્યતા રોડ અને હવાઈ […]

ગુજરાત પોલીસની દ્વારા ડ્રગ્સ અંગે બાતમી આપવા માટે વોટ્સએપ નંબર જાહેર

હવે કોઈ પણ નાગરિક ડ્રગ્સ સંબંધિત માહિતી આપવા માટે ANTF ગુજરાત વોટ્સએપ નંબર:99040 01908 ઉપર સંપર્ક કરી શકશે ડ્રગ્સની હેરાફેરી, વેચાણ કે અન્ય શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે માહિતી આપનાર નાગરિકનું નામ અને વિગતો સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે ગાંધીનગર, 13 જાન્યુઆરી 2026: મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસ દ્વારા રાજ્યને ડ્રગ્સ મુક્ત બનાવવા માટે […]

કાલાવડમાં પેરાશુટ સાથે ઉડતો યુવાન વીજ વાયરને અથડાઈને પટકાયા બાદ નાસી ગયો

જામનગર,13 જાન્યુઆરી 2026:  જિલ્લાના કાલાવડ શહેરમાં હેલીપેડ સોસાયટી વિસ્તારમાં એક વ્યક્તિ પેરાશૂટ સાથે આકાશમાંથી વીજ વાયર પર પડ્યો હતો, જેનો વીડિયો વાયરલ થયો છે. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. 100 ફૂટની ઊંચાઈએથી પડ્યા બાદ યુવક નાસી ગયો હતો. આ યુવક કોણ હતો ને ક્યાંથી આવ્યો દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. આ […]

જેતપુર-ધોરાજી હાઈવે પર ટાયર ફાટતા કાર ઝાડ સાથે અથડાતા મહિલાનું મોત

રાજકોટ,13 જાન્યુઆરી 2026:  રાજ્યમાં હાઈવે પર અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. ત્યારે જેતપુર-ધોરાજી નેશનલ હાઇવે પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. ગત મોડીરાત્રે પૂરઝડપે જતી એક કારનું ટાયર ફાટી જતાં કાર ફંગોળાઇ હતી. આ કારમાં સવાર દંપતી પૈકી પત્નીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ હતુ.  જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત પતિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. જ્યા […]

AMCના એકાઉન્ટ વિભાગમાં NOC વગરના કર્મીઓના પગારમાં થતી કપાતનો રેકોર્ડ જ નથી

અમદાવાદ,13 જાન્યુઆરી 2026:  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એકાઉન્ટ વિભાગના અંધેર વહિવટ સામે સવાલો ઊઠ્યા છે. એએમસીના કર્મચારીઓના પગારમાંથી કપાત બંધ કરવાના નિર્ણયને છેક સુપ્રિમ કોર્ટ સુધી લઈ જવાયો હતો.કોર્ટના આદેશ મુજબ, એકાઉન્ટ ખાતા દ્વારા પગારમાંથી કપાત કરતા પહેલાં એન.ઓ.સી.ની ચકાસણી કરીને જ પગારમાંથી ક્રેડીટ સોસાયટીની કપાત કરવાનો નિર્ણય કરવાનો હતો. આમ છતાં હાલમાં પણ એન.ઓ.સી.વગર  બે હજારથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code