1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

આધાર પ્રમાણીકરણ વ્યવહારોની સંખ્યા વાર્ષિક ધોરણે 8.47 ટકા વધી

નવી દિલ્હીઃ નવેમ્બર 2025 માં આધાર પ્રમાણીકરણ વ્યવહારોની સંખ્યા વાર્ષિક ધોરણે 8.47 ટકા વધીને 2.31 અબજ થઈ ગઈ છે.સરકારે જાહેર કરેલી માહિતી મુજબ, આ આંકડો આ નાણાકીય વર્ષના અન્ય કોઈપણ મહિનાની તુલનામાં સૌથી વધુ છે. આ વધારો દેશમાં ડિજિટલ અર્થતંત્રના વિકાસ અને કલ્યાણકારી યોજનાઓના અસરકારક વિતરણમાં આધારની મુખ્ય ભૂમિકા દર્શાવે છે.નવેમ્બર 2025 માં 282.9 મિલિયન […]

બીજાપુર-દંતેવાડા બોર્ડર પર એન્કાઉન્ટરમાં 7 માઓવાદીઓ ઠાર મરાયા, ત્રણ જવાન શહીદ

નવી દિલ્હી: છત્તીસગઢના બીજાપુર-દંતેવાડા સરહદ પર સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં સાત માઓવાદીઓ માર્યા ગયાના અહેવાલ છે, અને ત્રણ જવાન પણ શહીદ થયા છે. પોલીસ અધિક્ષક જિતેન્દ્ર યાદવના જણાવ્યા અનુસાર, આ એન્કાઉન્ટર લગભગ બે કલાકથી ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં સાત માઓવાદીઓના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે ત્રણ સૈનિકો […]

Video: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 27 હાઈ ઇમ્પેક્ટ પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરી

ગાંધીનગર, 3 ડિસેમ્બર, 2025ઃ high impact projects રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓની, ખાસ કરીને સૌથી મહત્ત્વની યોજનાઓની નિમયિત સમીક્ષા કરવામાં આવતી હોય છે. તે અંતર્ગત આજે બુધવારે મુખ્યમંત્રી દ્વારા એવી 27 યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી જે હાઈ ઈમ્પેક્ટ ધરાવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વિકાસને વેગ આપતા હાઈ ઇમ્પેક્ટ પ્રોજેક્ટની કામગીરીની પ્રગતિની નિયમિત […]

મમતા બેનર્જીએ મતદાર યાદી સુધારણા અંગે અમિત શાહ પર ગંભીર આરોપો લગાવ્યા

નવી દિલ્હી: મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર ગંભીર આરોપ લગાવ્યા. મમતાએ કહ્યું કે પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીઓનું સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) એ અમિત શાહ દ્વારા 14 વર્ષ જૂની તૃણમૂલ કોંગ્રેસ સરકારને તોડી પાડવા માટે એક ચાલાક યુક્તિ હતી, જેને તેઓ સફળ થવા દેશે નહીં. ઉત્તર બંગાળના સરહદી જિલ્લા માલદામાં SIR વિરુદ્ધ એક […]

ગુજરાતમાં માવઠાથી અસરગ્રસ્ત 3.39 લાખ ખેડૂતોના ખાતામાં રૂપિયા 1098 કરોડથી વધુ સહાય ચુકવાઈ

કૃષિ રાહત પેકેજ હેઠળ સહાય મેળવવા 29.80 લાખથી વધુ અરજીઓ મળી, અરજીની ચકાસણી બાદ તબક્કાવાર ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે, બાકી રહેલા ખેડૂતો આગામી તા. ૫ ડિસેમ્બર સુધી સહાય મેળવવા અરજી કરી શકશે   ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં ચર્ચાયેલા મુદ્દાઓ અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી  જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું […]

પુતિનાનો ભારત પ્રવાસઃ દિલ્હીમાં પાંચ સ્તરની સુપર સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ

નવી દિલ્હીઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન 4 અને 5 ડિસેમ્બરે ભારતની મુલાકાતે આવી રહ્યાં છે. આ મુલાકાત દરમિયાન તેઓ 23મા ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેશે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે તેઓ સૌજન્ય મુલાકાત પણ કરશે. પુતિનના આગમનને લઈને દિલ્હીમાં સુરક્ષાના કડક બંદોબસ્ત સાથે તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી […]

ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીએ SIRની કામગીરી અંગે રાજકીય પક્ષો સાથે કરી બેઠક

ચૂંટણી અધિકારી સાથેની બેઠકમાં BJP, INC, AAP અનેBSPના પ્રતિનિધિઓ હાજર રહ્યા, માન્ય રાજકીય પક્ષોને BLAની નિયુક્તિ કરી નાગરિકોને મદદરૂપ થવા અનુરોધ કરાયો, રાજકીય પક્ષોના પ્રતિનિધીઓનેSIRની કાર્યપ્રગતિથી માહિતગાર કરાયા ગાંધીનગરઃ સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 11મી ડિસેમ્બર સુધી ચાલવાનો છે, તા. 16 ડિસેમ્બરના રોજ ડ્રાફટ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે, […]

ખોટી માહિતીઓ અને AI-જનરેટેડ ડીપફેક પર કડક કાર્યવાહી કરવાની તાત્કાલિક જરૂરિયાત: અશ્વિની વૈષ્ણવ

નવી દિલ્હીઃ કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે લોકસભામાં જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા અને નકલી સમાચારો સાથે જોડાયેલો મુદ્દો અત્યંત ગંભીર છે. તેમણે કહ્યું કે બનાવટી સમાચારો લોકશાહી માટે ખતરો છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ખોટી માહિતીઓ અને AI-જનરેટેડ ડીપફેક પર કડક કાર્યવાહી કરવાની તાત્કાલિક જરૂરિયાત છે. તેમણે જણાવ્યું હતું કે, કેટલાક લોકો કે […]

રાજકોટમાં મીની સાસણ જેવા લાયન સફારી પાર્કને ઉનાળાના વેકેશન પહેલા ખૂલ્લો મુકાશે

રાજકોટના પ્રદ્યુમન પાર્ક પાછળના સફારી પાર્કના નિર્માણ માટે ચાલતી તૈયારીઓ, સફારી પાર્કનું 80 ટકા કામ પૂર્ણ થયુ, માર્ચ મહિનાના અંત સુધીમાં સફારી પાર્કનું તમામ કામ પૂર્ણ કરવાની ગણતરી રાજકોટઃ રાજકોટ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પ્રદ્યુમન પાર્ક પાછળ મીની સાસણ ગીર જેવા લાયન સફારી પાર્કના નિર્માણનું કામ ચાલી રહ્યું છે. હાલ શહેરના ફરવાના પ્રિય સ્થળ પ્રદ્યુમન પાર્કની […]

GPSC દ્વારા લેવાતી પરીક્ષાઓના પ્રશ્નપત્રમાં ક્ષતિઓ સામે હાઈકોર્ટએ નારાજગી વ્યક્ત કરી

ગુજરાત હાઈકોર્ટે જીપીએસસી પાસે પેપર સેટર્સ મામલે સ્પષ્ટતા માગી, પેપર સેટર્સ દ્વારા દાખવાતી બેદરકારી સામે પગલાં લેવામાં આવે છે કે કેમ ?, પેપર સેટર્સની પસંદગી અને લાયકાત માટે કેવા ધારાધોરણ છે, અમદાવાદઃ  ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (જીપીએસસી) દ્વારા સેટ કરાતા પ્રશ્નપત્રોમાં ભૂલોને પડકારતી અનેક અરજીઓ ગુજરાત હાઈકોર્ટમાં થાય છે ત્યારે ગુજરાત હાઈકોર્ટે રાજ્યની ટોચની ભરતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code