1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

સુનેત્રા પવાર NCP વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા

નવી દિલ્હી, 31 જાન્યુઆરી 2026: અજિત પવારના પત્ની સુનેત્રા પવાર મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી બનવાના છે. તેઓ વહેલી સવારે તેમના પુત્ર પાર્થ સાથે મુંબઈ પહોંચ્યા. પવારને સર્વાનુમતે NCP વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. સુનેત્રા પવાર આજે સાંજે 5 વાગ્યે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. વિધાનસભા પક્ષની બેઠક પહેલા NCP નેતાઓ પ્રફુલ્લ પટેલ અને […]

ભારતીય સેનાના મૂક યોદ્ધા શ્વાન, ધોડા અને ઊંટનું વિશેષ સન્માન કરાયું

નવી દિલ્હી, 31 જાન્યુઆરી 2026: દેશની રક્ષા માટે માત્ર જવાનો જ નહીં, પરંતુ ભારતીય સેનાના તાલીમબદ્ધ પ્રાણીઓ પણ ખડેપગે સેવા આપે છે. દેશના સૌથી કઠિન અને દુર્ગમ વિસ્તારોમાં ફરજ બજાવતા સેનાના આ ‘મૂક યોદ્ધાઓ’ નું સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લદ્દાખ અને સિયાચિન જેવા વિસ્તારોમાં અસાધારણ યોગદાન […]

રાજસ્થાન અને ગુજરાતમાં CBIનું ઓપરેશન: બેંક ફ્રોડમાં બે આરોપી ઝડપાયાં

અમદાવાદ, 31 જાન્યુઆરી 2026: કેન્દ્રીય અન્વેષણ બ્યુરો એ બેંકિંગ સેક્ટરને કરોડોનો ચૂનો ચોપડીને વર્ષોથી નાસતા ફરતા બે ભાગેડુ આરોપીને દબોચી લેવામાં મોટી સફળતા મેળવી છે. એક અત્યંત ગુપ્ત અને હાઈ-ટેક ઓપરેશન પાર પાડીને CBI એ મુખ્ય આરોપી સંજય શર્મા ઉર્ફે સંજીવ દીક્ષિત ઉર્ફે પંકજ ભારદ્વાજને રાજસ્થાનના બાંસવાડાથી અને તેની સહ-આરોપી શીતલ શર્મા ઉર્ફે આરતી શર્માને […]

નરેન્દ્ર મોદી અને વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિએ ટેલિફોન પર વાતચીત કરી

નવી દિલ્હી, 31 જાન્યુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી એલોઇના રોડ્રિગ્ઝ ગોમેઝે ટેલિફોન પર વાતચીત કરી. બંને નેતાઓએ ભારત-વેનેઝુએલા સંબંધોને વધુ મજબૂત બનાવવા અને આગામી વર્ષોમાં દ્વિપક્ષીય સહયોગને નવી ઊંચાઈઓ પર લઈ જવા પર વિગતવાર ચર્ચા કરી. ટેલિફોન પર વાતચીત બાદ, પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર પોસ્ટ કર્યું કે […]

ડો. એસ.જયશંકર અને સોમાલિયાના વિદેશ મંત્રી અબ્દિસલામ વચ્ચે મળી બેઠક, મહત્વના મુદ્રા ઉપર થઈ ચર્ચા

નવી દિલ્હી, 31 જાન્યુઆરી 2026: વિદેશ મંત્રી એસ. જયશંકર નવી દિલ્હીમાં સોમાલિયાના વિદેશ મંત્રી અબ્દિસલામ અલીને મળ્યા. બંને નેતાઓએ વેપાર, ક્ષમતા નિર્માણ, શિક્ષણ, આરોગ્ય, કોન્સ્યુલર અને બહુપક્ષીય સહયોગને આગળ વધારવા પર વ્યાપક ચર્ચા કરી. મીટિંગ બાદ, વિદેશ મંત્રી જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો, જેમાં લખ્યું કે તેઓ સોમાલિયાના વિદેશ મંત્રી […]

ઉત્તર ભારતમાં વાતાવરણમાં આવશે પલટો, ભારે પવન સાથે વરસાદની આગાહી

નવી દિલ્હી, 31 જાન્યુઆરી 2026: ઉત્તર ભારતમાં સક્રિય થયેલા પશ્ચિમી વિક્ષેપની વ્યાપક અસર હવે મેદાની વિસ્તારોમાં પણ સ્પષ્ટપણે દેખાઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 1 ફેબ્રુઆરીથી NCR માં હવામાનમાં મોટો ફેરફાર જોવા મળશે. પર્વતીય વિસ્તારોમાં બરફવર્ષા ઠંડા પવનો લાવશે, જેનો સીધો પ્રભાવ દિલ્હી-NCR, નોઈડા, ગાઝિયાબાદ અને ગ્રેટર નોઈડામાં અનુભવાશે. લઘુત્તમ તાપમાનમાં પણ ઘટાડો થઈ શકે છે. […]

સુનેત્રા પવાર મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી બનશે, સાંજે 5 વાગ્યે લેશે શપથ

નવી દિલ્હી, 31 જાન્યુઆરી 2026: અજિત પવારના પત્ની સુનેત્રા પવાર આજે સાંજે 5 વાગ્યે મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. બપોરે 2 વાગ્યે NCP વિધાનસભા પક્ષની બેઠકમાં તેમને સત્તાવાર રીતે નેતા તરીકે ચૂંટવામાં આવશે. જે બાદ સુનેત્રા પવાર મહારાષ્ટ્રના નવા નાયબ મુખ્યમંત્રી બનશે. અજિત પવારના પત્ની સુનેત્રા પવાર મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી બનવાના છે. […]

સુનેત્રાને ડેપ્યુટી સીએમ બનાવવાના નિર્ણય પર શરદ પવારનું મોટું નિવેદન

નવી દિલ્હી, 31 જાન્યુઆરી 2026: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના અવસાન બાદ, તેમના પત્ની સુનેત્રા પવાર નાયબ મુખ્યમંત્રી બને તેવી ચર્ચા છે. પવાર આજે તેમના પુત્ર પાર્થ સાથે મુંબઈ પહોંચ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે આજે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી પદ માટે શપથ લઈ શકે છે. દરમિયાન, શરદ પવારે સુનેત્રા પવારના શપથ ગ્રહણ […]

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ, બિન હથિયારી પોલીસ ભરતી અંગે મહત્ત્વના સમાચાર

ગાંધીનગર, 31 જાન્યુઆરી, 2026 – Gujarat Police Recruitment Board – ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ક્વોલિફાય થયેલા 1023 બિન હથિયારી પો.સ.ઈ.ના દસ્તાવેજોની ચકાસણી માટે મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત અનુસાર ઉમેદવારો ભરતી બોર્ડની વેબસાઈટ પરથી પોતાની પસંદગી વિશએની ખાતરી કરી શકશે અને નિયત તારીખોમાં દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે. ઉપરાંત દસ્તાવેજ ચકાસણી માટેનો કોલ-લેટર ઓજસ […]

છત્તીસગઢમાં ચાર માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું

સુકમા, 31 જાન્યુઆરી 2026: છત્તીસગઢના સુકમા જિલ્લામાં ચાર માઓવાદીઓએ હથિયારો સાથે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું. આ માઓવાદીઓએ જિલ્લા મુખ્યાલય સ્થિત પોલીસ લાઇનમાં આઇજી અને પોલીસ અધિક્ષકની હાજરીમાં મુખ્ય પ્રવાહમાં પાછા ફરવાનો નિર્ણય લીધો. આત્મસમર્પણ કરનારાઓમાં માઓવાદી સોઢી જોગાનો પણ સમાવેશ થાય છે, જેના પર 5 લાખ રૂપિયાનું ઇનામ હતું. આત્મસમર્પણ કરનારાઓમાં સોઢી જોગાનો સમાવેશ થાય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code