1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

પાલનપુરમાં એરોમા સર્કલ નજીક ડમ્પરે એક્ટિવાને અડફેટે લેતા ચાલકનું મોત

પૂરફાટ ઝડપે ડમ્પરે એક્ટિવાચાલકને કચડતા લોકો દોડી આવ્યા, ડમ્પર પર આરટીઓની નંબર પ્લેટ પણ નથી, શહેરમાં ભારે વાહનના પ્રવેશ અટકાવવા લોકોની માગ પાલનપુરઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે શહેરના એરોમા સર્કલ નજીક વધુ એક અકસ્માત સર્જાયો હતો. શહેરના એરોમાં સર્કલ પર એક્ટિવા સ્કૂટર પર જઈ રહેલા  નિવૃત્ત ઓડિટરને નંબર વગરના […]

સુરત એરપોર્ટ પર ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ પ્રવાસીઓમાં થયો વધારો

ડોમેસ્ટિક 27 ટકા પ્રવાસીઓઓનો વધારો, ઈન્ટરનેશનલમાં 3 ટકા પ્રવાસીઓનો વધારો, ત્રણ મહિનામાં ફ્લાઈટ્સની અવર-જવર પણ વધી સુરતઃ શહેરના એરપર્ટ પર ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ પ્રવાસીઓમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા ચાર મહિનાના ડેટા મુજબ, ફેબ્રુઆરી-2025ની સરખામણીએ મે-2025માં મુસાફરોની સંખ્યામાં 12.34%નો નોંધપાત્ર વધારો નોંધાયો હતો. આ વૃદ્ધિ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ બંને સેગમેન્ટમાં જોવા મળી છે, જે એરપોર્ટની […]

જીએસટી દ્વારા મોટી સંખ્યામાં કરદાતાઓને વર્ષ 2021-22ના વર્ષની સ્ક્રુટીની નોટિસ આપી

જીએસટી દ્વારા નોટિસો અપાતા કરદાતાઓમાં દાડધામ મચી, પાછલી અસરથી નોટિસો આપાતા અસંતોષ, જૂના વર્ષની નોટિસથી હિસાબી સાહિત્ય અને એન્ટ્રીઓ યાદ કરવી મુશ્કેલ અમદાવાદઃ ગુડ્ઝ અને સર્વિસ ટેક્સ વિભાગ (જીએસટી) દ્વારા વેપારી કરદાતોઓને ત્રણ વર્ષ પહેલાની હિસાબ-કિતાબની ત્રૂંટીઓ કાઢીને સ્ક્રુટિની નોટિસો અપાતા કરદાતોઓમાં અસંતોષ ઊભો થયો છે. મોટી સંખ્યામાં કરદાતાઓને વર્ષ 2021-22ના વર્ષની સ્ક્રુટિની નોટિસ પાઠવવામાં […]

શ્રાવણ મહિનામાં ઘેર બેઠા સોમનાથ મહાદેવજીને માત્ર 25 રૂપિયામાં બિલ્વ પૂજા નોંધાવી શકાશે

બિલ્વ પૂજા નોંધાવનારાને પોસ્ટ મારફત રુદ્રાક્ષ, ભસ્મ અને નમનનો ભસ્મમળશે, 2 વર્ષમાં 50 લાખથી વધુ પરિવારો લઈ ચૂક્યા છે રૂપિયા 25માં બિલ્વપૂજાનો લાભ, સોમનાથ ટ્રસ્ટે ફરી શરૂ કરી ભક્તોની પ્રિય “માત્ર 25₹ માં બિલ્વપૂજા સેવા” સોમનાથઃ બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ ગણાતા દેવાધિદેવ સોમનાથ મંદિરમાં શ્રાવણ મહિનામાં વિશેષ કાર્યક્રમો યોજાશે, શિવ ભક્તો માટે વર્ષના સૌથી મોટા ઉત્સવ […]

સિંધુ જળ સંધિ પર ભારતે પાકિસ્તાનને મોટો ઝટકો આપ્યો, કોર્ટ ઓફ આર્બિટ્રેશનના નિર્ણયને ફગાવ્યો

નવી દિલ્હી: ભારત સરકારે આજે સ્પષ્ટતા કરી કે તેણે કિશનગંગા અને રાતલે જળવિદ્યુત પ્રોજેક્ટ્સ સંબંધિત કહેવાતા ‘આર્બિટ્રેશન કોર્ટ’ના નિર્ણયને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે. વિદેશ મંત્રાલય (MEA) એ કહ્યું કે આ કોર્ટ ફક્ત સંપૂર્ણપણે ગેરકાયદેસર રીતે રચવામાં આવી નથી, પરંતુ તેના હેઠળ ચાલી રહેલી બધી કાર્યવાહી અને તેના કોઈપણ નિર્ણયોની કોઈ કાનૂની માન્યતા નથી. વિદેશ મંત્રાલય […]

કર્ણાટકઃ ત્રીજી પત્નીની હત્યા કરનાર 75 વર્ષીય વૃદ્ધની 23 વર્ષ બાદ પોલીસે કરી ધરપકડ

બેંગ્લોરઃ કર્ણાટકના કોપ્પલ જિલ્લામાંથી ચોંકાવનારી ઘટનામાં કોપ્પલ પોલીસે 75 વર્ષીય હનુમાનથપ્પાની ધરપકડ કરી છે. આશ્ચર્યજનક વાત એ છે કે હનુમાનથપ્પાએ 23 વર્ષ પહેલા પોતાની ત્રીજી પત્નીની ક્રૂરતાથી હત્યા કરી હતી અને ત્યારથી તે ફરાર હતો. આખરે 23 વર્ષ પછી, કોપ્પલના ગંગાવતી સિટી પોલીસ સ્ટેશનની પોલીસે પત્નીની હત્યાના આરોપી પતિ હનુમાનથપ્પાની ધરપકડ કરી છે. માહિતી મુજબ, […]

જયપુર-આગ્રા હાઇવે પર અકસ્માતમાં એક પરિવારના ચાર સભ્યોના મોત

નવી દિલ્હીઃ રોહતકના ખેડી સાધમાં રહેતા એક પરિવારના ચાર સભ્યો મહેંદીપુર બાલાજીથી પરત ફરતી વખતે અકસ્માતમાં મૃત્યુ પામ્યો છે. ઘટનાની માહિતી મળ્યા બાદ, પરિવારના સભ્યો ગામમાંથી પાંચ વાહનોમાં રાજસ્થાન જવા રવાના થયા હતા. IMT પોલીસ સ્ટેશને જણાવ્યું કે ખેડી સાધ ગામની રહેવાસી પ્રમિલા (ઉ.વ 46) તેમના પુત્ર દિપાંશુ (ઉ.વ 21), પુત્રી સાક્ષી (ઉ.વ. 17) અને […]

પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં સૈન્ય વાહન ઉપર આતંકવાદીઓનો હુમલો, 13 જવાનના મોત

આતંકવાદને પ્રોત્સાહન આપનાર પાકિસ્તાનમાં હવે આતંકવાદીઓ ભાંગફોડની ઘટનાને અંજામ આપી રહ્યાં છે. દરમિયાન આજે ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં સૈન્ય કાફલા ઉપર આતંકવાદીઓ હુમલો કર્યો હતો. જેમાં 13 પાકિસ્તાની જવાનના મોત થયાનું જાણવા મળે છે. પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાં પ્રાંતના ઉત્તર વઝીરિસ્તાન સ્થિત ખડ્ડી વિસ્તારમાં શનિવારે એક આત્મઘાતી હુમલાખોરે સૈન્ય કાફલાને નિશાનો બનાવીને બોમ્બથી ભરેલી ગાડીથી સૈન્યના વાહનને […]

પુરીમાં ભગવાન જગન્નાથજીના અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને પરિવારે દર્શન કર્યાં, મહાપ્રસાદમાં સેવા આપી

પુરીઃ ઓડિશાના પુરી ખાતે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને તેમના પત્ની પ્રીતિબેન અદાણી તથા પુત્ર કરણ અદાણી પહોંચ્યાં હતા. તેમજ ભગવાન જગન્નાથજીની પુજા કરી હતી. તેમજ ભગવાનના રથને પ્રણામ કરીને તથા રથને ટચ કરીને ભગવાનના આર્શિવાદ લીધા હતા. જે બાદ તેમણે ઈસ્કોનના રસોડામાં જઈને મહાપ્રસાદ સેવામાં ભાગ લીધો હતો. અદાણી ગ્રુપના ચેરમેનની ઈશ્વરમાં આસ્થાનો અંદાજ […]

થરા માર્કેટ યાર્ડની ચૂંટણી પ્રચાર વેગમાં ડોર ટુ ડોર મતદારોને રીઝવવા પ્રયાસ

કાંકરેજઃ બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાની થરા માર્કેટ યાર્ડની સામાન્ય ચૂંટણી 30 જૂને યોજાનાર છે ત્યારે ભાજપ ના એક જ પરિવાર ની બે પેનલો ચૂંટણી લડી રહી છે અને ભાજપ ના જ કાર્યકરો અને હોદ્દેદારો ચૂંટણી લડી રહ્યા છે તેવું સાબિત કરવા માટે માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલે થરા ખાતેની બાલાજી જીન માં પત્રકારો ને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code