1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ICC ODI રેન્કિંગમાં ભારતનો દબદબો: રોહિત શર્મા ટોચ પર યથાવત, વિરાટ કોહલી બીજા ક્રમે

નવી દિલ્હી: ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ફરી એકવાર વન-ડે ક્રિકેટમાં પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. આઈસીસીની તાજેતરની વન-ડે રેન્કિંગમાં બેટ્સમેનોમાં ભારતની બાદશાહત જળવાઈ રહી છે. વિરાટ કોહલીએ બે સ્થાનની છલાંગ લગાવીને બેટ્સમેનોમાં બીજું સ્થાન હાંસલ કર્યું છે. કોહલીના છેલ્લા કેટલાક સમયના શાનદાર પ્રદર્શનને પગલે તેમની રેન્કિંગમાં સુધારો થયો છે. સાઉથ આફ્રિકા સામેની ત્રણ મેચોની […]

દિલ્હીની સુરક્ષામાં વધારો: ટૂંક સમયમાં સ્વદેશી મલ્ટિલેયર્ડ એર ડિફેન્સ સિસ્ટમ તૈનાત કરાશે

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (NCR)ની હવાઈ સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે ભારત ટૂંક સમયમાં પોતાની સ્વદેશી મલ્ટિલેયર્ડ ઈન્ટિગ્રેટેડ એર ડિફેન્સ વેપન સિસ્ટમ (IADWS) તૈનાત કરશે. આ અત્યાધુનિક પ્રણાલી દિલ્હીને દુશ્મનના મિસાઈલ, ડ્રોન અને ઝડપથી ઉડતા ફાઇટર એરક્રાફ્ટ જેવા તમામ હવાઈ જોખમોથી સુરક્ષા પ્રદાન કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પ્રણાલી દેશમાં વિકસાવવામાં આવેલી ક્વિક રિએક્શન […]

ઈન્ડિગો સંક્ટ મામલે દિલ્હી હાઈકોર્ટે વ્યક્ત કરી ચિંતા, કેન્દ્ર સરકારને કર્યા અણીયારા સવાલ

નવી દિલ્હી: દેશની સૌથી મોટી એરલાઇન ઈન્ડિગોમાં ફ્લાઈટ કેન્સલેશન અને વિલંબની સતત વધી રહેલી ઘટનાઓને દિલ્હી હાઈકોર્ટે ‘ગંભીર સંકટ’ ગણાવ્યું છે. કોર્ટે કેન્દ્ર સરકારને સીધો સવાલ કર્યો છે કે આખરે પરિસ્થિતિ આ હદે કેમ વણસી ગઈ છે. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું કે ઈન્ડિગોની ફ્લાઈટ્સ રદ થવાથી માત્ર મુસાફરોને જ મુશ્કેલી અને સતામણીનો સામનો કરવો […]

ભારતમાં પાયલટોના નવા ડ્યુટી નિયમો વૈશ્વિક ધોરણો કરતાં કડક: IATA

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય વિમાનન સંગઠન (IATA – ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન) એ જણાવ્યું છે કે, ભારતમાં પાયલટો માટે લાગુ કરવામાં આવેલા નવા ડ્યુટી નિયમો (FDTL) વૈશ્વિક ધોરણોની તુલનામાં ઘણા વધુ કડક છે. IATAના વડા વિલી વાલ્શે કહ્યું કે, પરિસ્થિતિ સામાન્ય થવામાં સમય લાગશે. આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે છેલ્લા એક સપ્તાહમાં દેશની સૌથી […]

પૂર્વી દિલ્હીની એક પ્રાઇવેટ સ્કૂલમાં બોમ્બની ધમકી વિદ્યાર્થીઓ-વાલીઓમાં ફફડાટ

નવી દિલ્હી: રાજધાની દિલ્હીની વધુ એક સ્કૂલને બોમ્બની ધમતી મળતા વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભય ફેલાયો હતો. લક્ષ્મીનગર વિસ્તારમાં આવેલી ખાનગી સ્કૂલમાં બોમ્બની ધમકીને પગલે પોલીસ ટીમે બોમ્બ સ્કવોર્ડની મદદથી સમગ્ર સ્કૂલ સંકુલમાં તપાસ કરી હતી. જો કે, તપાસ દરમિયાન કંઈ શંકાસ્પદ મળી નહીં આવ્યાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર પૂર્વી દિલ્હીના લક્ષ્મીનગર વિસ્તારમાં આવેલી […]

ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર કફ સિરપનું વેચાણ કરતાં ૮ મેડિકલ સ્ટોર્સમાં દરોડા

તમામ ૮ મેડિકલ સ્ટોર્સને કારણદર્શક નોટીસ આપી તાત્કાલીક ખુલાસો મંગાવાયો ગાંધીનગર, 10 ડિસેમ્બર, 2025ઃ selling cough syrup without doctor’s prescription રાજ્યની જાહેર જનતાને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખૂબ સતર્કતાપૂર્વક કામગીરી કરીને કાયદાનું ઉલ્લંઘન કરનાર ઇસમો સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે. જેના […]

તમારા પૈસા, તમારો અધિકાર: બેંકિંગ સિસ્ટમમાં પડ્યા છે બિનવારસી 78000 કરોડ, PM મોદીની નાગરિકોને ખાસ અપીલ

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સામાન્ય જનતાને અપીલ કરતા કહ્યું છે કે, ‘તમારા પૈસા, તમારો અધિકાર’ પહેલનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે દરેક નાગરિક પોતાનો હકનો પૈસો પાછો મેળવી શકે, કારણ કે ભારતીય બેંકો, વીમા અને મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓમાં હજારો કરોડ રૂપિયા ‘બિનવારસી’ પડ્યા છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લિંક્ડઇન પર એક […]

અમદાવાદમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો આઠ લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત

અમદાવાદમાં ઉત્તરાયણ-2026 પહેલાં જિલ્લા વહીવટી તંત્ર અને શહેર પોલીસ દ્વારા ચાઈનીઝ દોરી પર કડક કાર્યવાહી હાથ ધરાઈ ચાઈનીઝ દોરી સામેની સઘન ઝુંબેશમાં અમદાવાદની વિવિધ જગ્યાએ જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા અમદાવાદ, 10 ડિસેમ્બર, 2025ઃ banned Chinese lace આગામી ઉત્તરાયણ-2026ના તહેવારને અનુલક્ષીને અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર અને શહેર પોલીસે ચાઈનીઝ દોરીના વેચાણ અને ઉપયોગને રોકવા માટે સઘન ઝુંબેશ હાથ […]

ભારતની 6G યાત્રાનો હેતુ આત્મનિર્ભર ઇકોસિસ્ટમ બનાવવાનોઃ જ્યોતિરાદિત્ય સિંધિયા

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ભારત 6G મિશનને વેગ આપવા માટે ભારત 6G એલાયન્સ (B6GA) હેઠળ સાત સમર્પિત કાર્યકારી જૂથોની રચના કરી છે. આ જૂથોએ મંગળવારે યોજાયેલી ત્રિમાસિક સમીક્ષા બેઠકમાં તેમની પ્રગતિ અને ભવિષ્યની યોજનાઓ (રોડમેપ) રજૂ કરી હતી. કેન્દ્રીય સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી. મંત્રી સિંધિયાએ વ્યાપક સફળતા સુનિશ્ચિત કરવા […]

યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક ધરોહરની યાદીમાં દિવાળી પર્વનો સમાવેશ

નવી દિલ્હીઃ ભારતની સૌથી વધુ ઉજવાતી પરંપરાઓમાંની એક, દિવાળી, યુનેસ્કોની માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની પ્રતિનિધિ યાદીમાં સત્તાવાર રીતે સામેલ થઈ છે. નવી દિલ્હીના લાલ કિલ્લા ખાતે યોજાયેલા યુનેસ્કોના અમૂર્ત સાંસ્કૃતિક વારસા પરની આંતર-સરકારી સમિતિના 20મા સત્ર દરમિયાન આ નિર્ણય લેવાયો હતો. દિવાળી એકતા, નવીનતા અને સામાજિક સંવાદિતાના મૂલ્યોને મૂર્તિમંત કરે છે અને વૈશ્વિક ભારતીય ડાયસ્પોરામાં વ્યાપકપણે ઉજવાય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code