1. Home
  2. ગુજરાતી
  3. રાજનીતિ

રાજનીતિ

લોકસભા ચૂંટણીઃ રાજનાથસિંહે રોડ-શો યોજીને લખનૌ બેઠક ઉપર ઉમેદવારી ફોર્મ ભર્યું

લખનૌઃ કેન્દ્રીય રક્ષામંત્રી અને ભાજપના ઉમેદવાર રાજનાથ સિંહએ આજે લખનૌ બેઠક ઉપર પોતાની ઉમેદવારી દાખલ કરી છે. આ પહેલા તેમણે ભવ્ય રોડ-શો યોજ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ અને કાર્યકરો જોડાયાં હતા. લખનૌ લોકસભા બેઠક ઉપર પાંચમાં તબક્કામાં 20મી મેના રોજ મતદાન યોજાશે. ઉમેદવારી દાખલ કરતા પહેલા રાજનાથ સિંહે દક્ષિણ મુખી હનુમાન મંદિરમાં પુજા-અર્ચના […]

લોકસભા ચૂંટણીઃ સ્મૃતિ ઈરાનીએ અમેઠી બેઠક ઉપરથી ઉમેદવારી ફોર્મ ભર્યું

લખનૌઃ ઉત્તરપ્રદેશની અમેઠી બેઠક ઉપર ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ સોમવારે ઉમેદવારી ફોર્મ દાખલ કર્યું હતું. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સવારે અમેઠીના ગૌરીગંજમાં ભાજપના જિલ્લા કાર્યાલય પહોંચ્યાં હતા અને ત્યાંથી રોડ-શો યોજીને કલેક્ટર કચેરી પહોંચ્યાં હતા. જ્યાં તેમણે પોતાની ઉમેદવારી ફોર્મ દાખલ કર્યું હતું. સ્મૃતિ ઈરાનીની સાથે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ સહિત અનેક […]

લોકસભા ચૂંટણીઃ સુરત બાદ ઈન્દોરમાં કોંગ્રેસને ફટકો, કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિએ ફોર્મ પરત ખેંચ્યું

ભોપાલઃ દેશમાં લોકસભાનો માહોલ જામી રહ્યો છે દરમિયાન મધ્યપ્રદેશમાં કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે. ઈન્દોર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિ બમએ આજે પોતાની ઉમેદવારી પરત ખેંચી હતી. તેમજ ભાજપનો ભગવો ધારણ કર્યો હોવાનું ચર્ચાય રહ્યું છે. કલેક્ટર કચેરીમાં જઈને તેમણે ભાજપના ઉમેદવાર શંકર લાલવાની સામે પોતાનું ફોર્મ પરત ખેંચ્યું હતું. આ દરમિયાન તેમની […]

નવાબો સામે બોલવાની તાકાત કોંગ્રેસના રાજકુમારમાં નથીઃ નરેન્દ્ર મોદી

બેંગ્લોરઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધી દ્વારા રાજપૂત સમુદાય પર કરવામાં આવેલી ટિપ્પણીને લઈને રાજકીય વાતાવરણ ગરમાયું છે. કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસના રાજકુમારે ક્ષત્રપતિ શિવાજી મહારાજ જેવી મહાન વ્યક્તિનું અપમાન કર્યું છે. . તેમણે કહ્યું કે, “કોંગ્રેસે પણ તુષ્ટિકરણના પરિપ્રેક્ષ્યમાં આપણો […]

લોકસભા ચૂંટણીના ધમધમાટ વચ્ચે દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ અરવિંદર સિંહ લવલીએ રાજીનામું આપ્યું

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના ધમધમાટ વચ્ચે દિલ્હીમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અરવિંદર સિંહ લવલીએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને રાજીનામું સોંપીને પોતાની નારાજગી વ્યક્ત કરી છે. અરવિંદર સિંહ લવલીએ રાજીનામામાં લખ્યું છે કે, આમ આદમી પાર્ટી ઉપર ભ્રષ્ટાચાર સહિતના ગંભીર આક્ષેપો થઈ રહ્યાં છે. તેમ […]

લોકસભા ચૂંટણીઃ બીજા તબક્કામાં 88 બેઠકો ઉપર શાંતિપૂર્ણ માહોલમાં અંદાજે 67 ટકા મતદાન

નવી દિલ્હીઃ દેશમાં લોકસભાની ચૂંટણીમાં આજે બીજા તબક્કામાં આજે 88 બેઠકો માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું. મતદાન પૂર્ણ થયું ત્યારે એકંદરે 67 ટકાથી વધુ મતદાન થયાનું જાણવા મળે છે. આજે 88 બેઠકો ઉપર 1202 જેટલા ઉમેદવારોનું ભાવી ઈવીએમમાં સીલ થયું હતું. બીજા તબક્કાના મતદાન દરમિયાન કેટલાક સ્થળો ઉપર રાજકીય પાર્ટીઓના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયાનું […]

લોકસભા ચૂંટણીઃ બપોરના 3 કલાક સુધીમાં ત્રિપુરામાં સૌથી વધારે 68.92 ટકા મતદાન

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં આજે 88 બેઠકો ઉપર સવારથી મતદાન ચાલી રહ્યું છે. દરમિયાન બપોરના 3 કલાક સુધીમાં સૌથી વધારે ત્રિપુરામાં 68.92 ટકા મતદાન થયું હતું. જ્યારે મહારાષ્ટ્રમાં 43, પશ્ચિમ બંગાળમાં 60.60 ટકા, અસમમાં 60.32, ઉત્તરપ્રદેશમાં 44.13 ટકા, બિહારમાં 44.24 ટકા, છત્તીસગઢમાં 63.92 ટકા, જમ્મુમાં 57.76 ટકા, મધ્યપ્રદેશમાં 43 ટકા, કર્ણાટકમાં 60.93 ટકા, […]

ઈવીએમ મામલે સુપ્રીમ કોર્ટના આદેશથી બેલેટ લૂંટનારાઓના સ્વપ્ન તૂટ્યાંઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ સુપ્રિમ કોર્ટે શુક્રવારે વોટર વેરિફાઈબલ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT) સ્લિપ દ્વારા ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) દ્વારા પડેલા મતોની સંપૂર્ણ ચકાસણીની માંગ કરતી તમામ અરજીઓને ફગાવી દીધી હતી. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે ચૂંટણીમાં બેલેટ પેપર પર પાછા જવાની માંગને પણ ફગાવી દીધી હતી. તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવીને વિપક્ષને આડે […]

લોકસભા ચૂંટણીઃ બીજા તબક્કામાં બપોરના એક વાગ્યા સુધી અંદાજે 45 ટકા જેટલુ મતદાન

નવી દિલ્હીઃ લોકસભાની બીજા તબક્કાની 88 બેઠકો ઉપર હાલ મતદાન ચાલી રહ્યું છે. દરમિયાન બપોરના એક વાગ્યા સુધીમાં ત્રિપુરામાં સૌથી વધારે 54.47 ટકા જેટલુ મતદાન થયું છે. આ ઉપરાંત અસમમાં 46.31, બિહારમાં 33.80, છત્તીસગઠમાં 53.09, જમ્મુમાં 42.88, કર્ણાટકમાં 38.23, કેરલમાં 39.26, મધ્યપ્રદેશમાં 39, મહારાષ્ટ્રમાં 32, મણિપુરમાં 54.26, રાજસ્થાનમાં 40.39, ઉત્તરપ્રદેશમાં 35.73 અને પશ્ચિમ બંગાળમાં 47.29 […]

બેલેટ પેપર દ્વારા મતદાન સહિતની તમામ અરજીઓ સુપ્રીમ કોર્ટે ફગાવી

નવી દિલ્હી: ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) પર વોટર વેરિફાઈડ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT) વડે 100 ટકા વોટ વેરિફિકેશનની માગણી કરતા કેસમાં સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે શુક્રવારે VVPAT સ્લિપના મેચિંગ સંબંધિત તમામ અરજીઓને ફગાવી દીધી હતી. કોર્ટે સુનાવણી દરમિયાન નોંધ્યું હતું કે, પરિણામ જાહેર થયાના 7 દિવસની અંદર ઉમેદવાર ફરીથી ચકાસણીની માંગ કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code