1. Home
  2. ગુજરાતી
  3. નવાબો સામે બોલવાની તાકાત કોંગ્રેસના રાજકુમારમાં નથીઃ નરેન્દ્ર મોદી
નવાબો સામે બોલવાની તાકાત કોંગ્રેસના રાજકુમારમાં નથીઃ નરેન્દ્ર મોદી

નવાબો સામે બોલવાની તાકાત કોંગ્રેસના રાજકુમારમાં નથીઃ નરેન્દ્ર મોદી

0
Social Share

બેંગ્લોરઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધી દ્વારા રાજપૂત સમુદાય પર કરવામાં આવેલી ટિપ્પણીને લઈને રાજકીય વાતાવરણ ગરમાયું છે. કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસના રાજકુમારે ક્ષત્રપતિ શિવાજી મહારાજ જેવી મહાન વ્યક્તિનું અપમાન કર્યું છે. .

તેમણે કહ્યું કે, “કોંગ્રેસે પણ તુષ્ટિકરણના પરિપ્રેક્ષ્યમાં આપણો સ્વાતંત્ર્ય સંગ્રામ લખ્યો છે. કોંગ્રેસના રાજકુમારે ક્ષત્રપતિ શિવાજી મહારાજ જેવી મહાન વ્યક્તિને અપમાન કર્યું છે. તેમણે રાજાઓનું અપમાન કર્યું છે. ભારતમાં સુલતાનો અને નિઝામો અનેક અત્યાચારો કરવામાં આવ્યા છે તેમ છતા ભારતના રાજાઓને અપમાનિત કરી રહ્યાં છે. કોંગ્રેસને ઔરંગઝેબના અત્યાચારો યાદ નથી, ભારતના ભાગલામાં ભૂમિકા ભજવનાર નવાબો યાદ નથી. નવાબો સામે એક શબ્દ પણ બોલવાની તેમની પાસે તાકાત નથી. આ માનસિકતા કોંગ્રેસના ઢંઢેરામાં દેખાય છે. જ્યાં કોંગ્રેસ આવે છે ત્યાં વિકાસ અટકી જાય છે.

કૉંગ્રેસને ઔરંગઝેબના અત્યાચારો યાદ નથી, જેમણે અમારા સેંકડો મંદિરોને તોડ્યા અને અપવિત્ર કર્યા. કોંગ્રેસે ઔરંગઝેબના વખાણ કરતી પાર્ટીઓ સાથે ખુશીથી ગઠબંધન કર્યું છે. આપણા તીર્થસ્થાનોનો નાશ કરનારા, ગાયોની હત્યા કરનારને ભૂલી ગયા છે.

પીએમ મોદીએ કહ્યું કે, “કોંગ્રેસ સરકાર માત્ર તુષ્ટિકરણને જ પ્રાથમિકતા આપે છે, તેમના માટે નેહા જેવી દીકરીઓના જીવનની કોઈ કિંમત નથી. તેમને માત્ર પોતાની વોટ બેંકની ચિંતા છે. જ્યારે બેંગલુરુના કેફેમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો, ત્યારે જ આ ઘટના બની હતી.” કોંગ્રેસ તેને ગંભીરતાથી લે છે એટલું જ નહીં, વાયનાડમાં માત્ર એક સીટ જીતવા માટે કોંગ્રેસે PFI, જે આતંકવાદને આશ્રય આપે છે તેના પર પ્રતિબંધ મૂક્યો છે.”

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કોંગ્રેસની સરકાર તૃષ્ટીકરણને પ્રાથમિકતા આપે છે. તેમના માટે નેહા જેવી દીકરીની જીંદગીની કોઈ કિંમત નથી. તેમણે માત્ર પોતાની વોટબેંકની ચિંતા છે. જ્યારે બેંગ્લુરુના કેફેમાં બોમ્બ બ્લાસ્ટ થયો તેને કોંગ્રેસે ગંભીરતાથી લીધો નથી. એટલું જ નહીં કોંગ્રેસ વોટ માટે પીએફઆઈ જેવી પ્રતિબંધિત સંસ્થાઓની મદદ લે છે. આ સંગઠન દેશવિરોધી પ્રવૃતિ સાથે જોડાયેલી છે.  કોંગ્રેસ માટે એક બેઠક વાયનાડ જીતવા માટે પીએફઆઈનો બચાવ કરી રહી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code