1. Home
  2. ગુજરાતી
  3. રાજનીતિ

રાજનીતિ

રાષ્ટ્રપતિનું સંબોધન વિકસિત ભારતનો માર્ગ મોકળો કરશેઃ PM મોદી

નવી દિલ્હી, 28 જાન્યુઆરી 2026: બુધવારથી સંસદના બજેટ સત્રનો પ્રારંભ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંયુક્ત સદનને સંબોધન સાથે થયો છે. રાષ્ટ્રપતિના આ ભાષણને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી સમયમાં દેશની વિકાસ યાત્રાનું ‘માર્ગદર્શક’ ગણાવ્યું છે. પીએમ મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ સંબોધન એક મજબૂત અને આત્મનિર્ભર રાષ્ટ્ર બનાવવાની આપણી સહિયારી આકાંક્ષાને પ્રતિબિંબિત કરે છે. રાષ્ટ્રપતિના સંબોધન […]

ઓપરેશન સિંદૂરથી દુનિયાએ ભારતનું પરાક્રમ જોયું, આતંકવાદનો જલ્દી જ થશે સફાયો: રાષ્ટ્રપતિ

નવી દિલ્હી, 28 જાન્યુઆરી 2026: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બુધવારે સંસદના બંને ગૃહોના સંયુક્ત સત્રને સંબોધિત કરતા ભારતની સુરક્ષા નીતિ અને સૈન્ય સફળતાઓ પર ગર્વ વ્યક્ત કર્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, હવે એ દિવસ દૂર નથી જ્યારે દેશમાંથી આતંકવાદ સંપૂર્ણપણે નાબૂદ થઈ જશે. રાષ્ટ્રપતિએ ખાસ કરીને ‘ઓપરેશન સિંદૂર’અને સંરક્ષણ ક્ષેત્રે ભારતના વધતા કદનો ઉલ્લેખ […]

અજિત પવારજી લોકોના નેતા હતા, જેમનો પાયાના સ્તરે લોકો સાથે ઊંડો સંબંધ હતોઃ મોદી

નવી દિલ્હી, 28 જાન્યુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​અજિત પવારજીના નિધન પર શોક વ્યક્ત કર્યો. મોદીએ જણાવ્યું કે અજિત પવારજી મહારાષ્ટ્રના લોકોની સેવામાં મોખરે રહેલા મહેનતુ વ્યક્તિત્વ તરીકે વ્યાપકપણે આદરણીય હતા. વહીવટી બાબતોની તેમની સમજ અને ગરીબ અને વંચિતોને સશક્ત બનાવવાનો તેમનો જુસ્સો પણ પ્રશંસનીય હતો. મોદીએ કહ્યું, “તેમનું અકાળ અવસાન ખૂબ જ આઘાતજનક […]

અજિત પવારે સાડા ત્રણ દાયકામાં મહારાષ્ટ્રના સમાજના દરેક વર્ગના કલ્યાણ માટે પોતાને સમર્પિત કર્યા: અમિત શાહ

નવી દિલ્હી, 28 જાન્યુઆરી 2026: કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે છેલ્લા સાડા ત્રણ દાયકામાં મહારાષ્ટ્રમાં સમાજના દરેક વર્ગના કલ્યાણ માટે અજિત પવારે જે સમર્પણ દર્શાવ્યું છે તેનું શબ્દોમાં વર્ણન કરી શકાય નહીં. ‘X’ પર એક પોસ્ટમાં અમિત શાહે […]

ઓમર અબ્દુલ્લા સહિતના વિપક્ષી નેતાઓ તપાસની માંગ કરી

જમ્મુ અને કાશ્મીર, 28 જાન્યુઆરી 2026: જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પણ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પર ઊંડો દુ:ખ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે આવા પ્રભાવશાળી નેતાનું નિધન દેશ માટે મોટું નુકસાન છે. તેમણે સમગ્ર મામલાની પારદર્શક અને નિષ્પક્ષ તપાસની માંગ કરી, જેથી વિમાન દુર્ઘટના પાછળના કારણો સ્પષ્ટ […]

‘બારામતી વિમાન દુર્ઘટનાની સંપૂર્ણ તપાસ થવી જોઈએ’- મમતા બેનર્જી

નવી દિલ્હી, 28 જાન્યુઆરી 2026: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પર ઊડો શોક વ્યક્ત કર્યો છે. ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં, તેમણે બારામતીમાં થયેલા દુ:ખદ વિમાન દુર્ઘટનાની સંપૂર્ણ તપાસની માંગ કરી છે. આ અકસ્માતમાં અજિત પવાર સહિત પાંચ લોકોના મોત થયા હતા. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ તપાસ […]

અજિત પવારના નિધન પર રાષ્ટ્રપતિ અને PM મોદી સહિતના નેતાઓએ શોક વ્યક્ત કર્યો

નવી દિલ્હી, 28 જાન્યુઆરી 2026: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના પ્રમુખ અજિત પવારનું બુધવારે વિમાન દુર્ઘટનામાં થયેલું આકસ્મિક નિધન દેશભરના રાજકારણ માટે આઘાતજનક સમાચાર છે. આ દુઃખદ ઘટના પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત પક્ષ-વિપક્ષના તમામ દિગ્ગજ નેતાઓએ ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. રાષ્ટ્રપતિએ શોક વ્યક્ત કરતા જણાવ્યું […]

અજિત પવારના નિધન પર મહારાષ્ટ્રમાં ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર

મુંબઈ, 28 જાન્યુઆરી 2026: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના વિમાન દુર્ઘટનામાં આકસ્મિક નિધન બાદ સમગ્ર રાજ્ય સ્તબ્ધ છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે બુધવારે મુંબઈમાં એક ઈમરજન્સી પ્રેસ કોન્ફરન્સ યોજીને રાજ્યમાં એક દિવસની જાહેર રજા અને ત્રણ દિવસના રાજકીય શોકની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે અત્યંત ભારે હૈયે પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે, “અજિત દાદાના અવસાનથી […]

ભારત હવે વિશ્વશક્તિ બનવા તૈયાર, સંસદમાં રાષ્ટ્રપતિનું સંબોધન

નવી દિલ્હી, 28 જાન્યુઆરી 2026: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરતા દેશની ભાવિ દિશા અને સરકારની પ્રાથમિકતાઓનો સ્પષ્ટ રોડમેપ રજૂ કર્યો હતો. રાષ્ટ્રપતિએ તેમના ભાષણમાં અંતરિક્ષ વિજ્ઞાનમાં ભારતની હરણફાળ, સામાજિક ન્યાયનો વિસ્તાર અને ભ્રષ્ટાચાર સામેની કડક લડાઈ જેવા મહત્વના મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો. રાષ્ટ્રપતિએ અંતરિક્ષયાત્રી શુભાંશુ શુક્લાની આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનની મુલાકાતને […]

ગુજરાતના તત્કાલિન CM બળવંતરાય મહેતા અને વિજય રૂપાણીનું પણ પ્લેનક્રેશમાં થયું હતું નિધન

અમદાવાદ, 28 જાન્યુઆરી 2026: મહારાષ્ટ્રમાં નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું પ્લેનક્રેશથી મૃત્યુ થતા રાજકીય આલમમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ગુજરાતે પણ પ્લેન ક્રેશમાં એક સીએમ અને પૂર્વ સીએમ ગુમાવ્યાં છે. સાત મહિના પહેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પ્લેનક્રેશમાં મૃત્યુ થયું હતું. જ્યારે 1965માં ગુજરાતના તે સમયના મુખ્યમંત્રી બળવંતરાય મહેતાનું પ્લેનક્રેશ દૂર્ઘટનામાં મૃત્યુ થયું હતું. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code