1. Home
  2. ગુજરાતી
  3. રાજનીતિ

રાજનીતિ

PM મોદીએ બાંગ્લાદેશના નવા પ્રધાનમંત્રીને પત્ર લખ્યોઃ જાણો નરેન્દ્ર મોદીએ શું કહ્યું છે એ પત્રમાં?

નવી દિલ્હી, 18 ફેબ્રુઆરી, 2026 – PM Modi wrote a letter to the new Prime Minister of Bangladesh વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશના નવનિયુક્ત પ્રધાનમંત્રીને એક પત્ર મોકલીને શુભેચ્છા પાઠવી છે. પીએમ મોદીએ આ પત્ર દ્વારા ભારત-બાંગ્લાદેશ સંબંધને મજબૂત કરવા માટે આશાવાદ વ્યક્ત કર્યો છે. બાંગ્લાદેશના નવનિયુક્ત વડાપ્રધાન તારિક રહેમાનને લખેલો આ પત્ર લોકસભાના અધ્યક્ષ ઓમ […]

ભારત-નેપાળ વચ્ચે ગુનાહિત મામલાઓમાં પરસ્પર કાનૂની સહાય માટે કરાર પર હસ્તાક્ષર

કાઠમંડુ, 18 ફેબ્રુઆરી 2026: ભારત અને નેપાળે ગુનાહિત બાબતોમાં પરસ્પર કાનૂની સહાય પૂરી પાડવા માટે એક મહત્વપૂર્ણ સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કર્યા છે. વર્ષોની લાંબી ચર્ચાઓ બાદ આખરે કાઠમંડુમાં આ સમજૂતીને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. આ કરારથી બંને દેશોમાં આર્થિક ગુનાઓ અને આતંકવાદ સામે લડવા માટે એક મજબૂત કાનૂની માળખું તૈયાર થશે. નેપાળમાં ભારતના […]

જમ્મુ-કાશ્મીરને ટૂંક સમયમાં મળશે રાજ્યનો દરજ્જો: કેન્દ્રીય મંત્રી મેઘવાલ

નવી દિલ્હી, 18 ફેબ્રુઆરી 2026: જમ્મુ-કાશ્મીરના રાજ્યના દરજ્જાને પુનઃસ્થાપિત કરવાને લઈને કેન્દ્ર સરકાર તરફથી ફરી એકવાર હકારાત્મક સંકેત મળ્યા છે. શ્રીનગરના શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટર ખાતે આયોજિત એક કાર્યક્રમમાં કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી અર્જુન રામ મેઘવાલે ખાતરી આપી હતી કે જમ્મુ-કાશ્મીરને ટૂંક સમયમાં જ તેનો રાજ્યનો દરજ્જો પાછો મળશે. જોકે, આ કાર્યક્રમમાં હાજર મુખ્યમંત્રી […]

મહારાષ્ટ્ર: મુસ્લિમ સમુદાયને શિક્ષણમાં મળતું 5 ટકા આરક્ષણ સરકારે સંપૂર્ણપણે રદ કર્યું

મુંબઈ, 18 ફેબ્રુઆરી 2026: મહારાષ્ટ્રની મહાયુતિ સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ અને વિવાદાસ્પદ નિર્ણય લેતા મુસ્લિમ સમાજને અપાતું 5 ટકા આરક્ષણ સત્તાવાર રીતે રદ કરી દીધું છે. દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળના સામાજિક ન્યાય વિભાગે આ અંગેનો જૂનો વટહુકમ અને તમામ સંબંધિત સરકારી ઠરાવો રદ કરવાનો આદેશ જારી કર્યો છે. આ નિર્ણય સાથે હવે શૈક્ષણિક સંસ્થાઓમાં મુસ્લિમ […]

રાજ્યસભા ચૂંટણીની જાહેરાત, 10 રાજ્યોની 37 બેઠક માટે 16 માર્ચે થશે મતદાન

નવી દિલ્હી, 18 ફેબ્રુઆરી, 2026 – Rajya Sabha elections announced ભારતના ચૂંટણી પંચે 10 રાજ્યોની ખાલી થઈ રહેલી 37 રાજ્યસભા બેઠકો માટે દ્વિવાર્ષિક રાજ્યસભા ચૂંટણીની જાહેરાત કરી છે. મતદાનની તારીખ 16 માર્ચ 2026 છે અને મતગણતરી એ દિવસે જ કરવામાં આવશે. આગામી એપ્રિલ-2026માં મહારાષ્ટ્ર, ઓડિશા, તેલંગાણા, તમિલનાડુ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, આસામ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને […]

હિમંત બિસ્વાનો દાવો: સોનિયા ગાંધીએ મને CM બનવા કહ્યું હતું, પણ રાહુલના એક ફોને ખેલ બગાડ્યો

ગુવાહાટી, 17 ફેબ્રુઆરી 2026: આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ વર્ષો જૂના રાજકીય રહસ્ય પરથી પડદો ઉંચકતા એક સનસનાટીભર્યો દાવો કર્યો છે. સરમાએ જણાવ્યું છે કે, વર્ષ 2014માં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ તેમને પોતે જ આસામના મુખ્યમંત્રી બનવા માટે આમંત્રણ આપ્યું હતું અને શપથ ગ્રહણની તારીખ નક્કી કરવા પણ કહ્યું હતું, પરંતુ રાહુલ ગાંધીના હસ્તક્ષેપને કારણે […]

વિશ્વ હવે અસ્થિરતાના યુગમાં, પણ ભારત મજબૂત ભાગીદાર તરીકે ઉભર્યું: એસ. જયશંકર

મુંબઈ, 17 ફેબ્રુઆરી 2026: વિદેશ મંત્રી ડો. એસ. જયશંકરે જણાવ્યું છે કે ભારત આજે વિશ્વના દેશો સાથે પહેલા કરતા વધુ મજબૂતી અને આત્મવિશ્વાસ સાથે જોડાઈ રહ્યું છે, જે દેશની વધતી જતી શક્તિનું પ્રતીક છે. મુંબઈમાં આયોજિત ‘ગ્લોબલ ઈકોનોમિક કોઓપરેશન કોન્ફરન્સ’માં સંબોધન કરતા તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ભારત હવે કોઈ નબળા રાષ્ટ્ર તરીકે નહીં, પરંતુ […]

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન 20 ફેબ્રુઆરીથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવશે

ગાંધીનગર, 17 ફેબ્રુઆરી, 2026 – BJP National President Nitin Naveen ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ નીતિન નવીન 20 ફેબ્રુઆરી એ પ્રથમ વખત ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ માહિતી આપતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય અઘ્યતક્ષના ત્રિ-દિવસીય ગુજરાત પ્રવાસ અંતર્ગત 20, 21 અને 22 ફેબ્રુઆરી દરમિયાન તેઓ […]

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રોનનું મુંબઈમાં ભવ્ય સ્વાગત

મુંબઈ, 17 ફેબ્રુઆરી 2026: ભારત અને ફ્રાન્સ વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત કરવાના હેતુથી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રોન મંગળવારે ભારત પહોંચ્યા છે. મુંબઈ એરપોર્ટ પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને મહારાષ્ટ્ર-ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોન આજે મુંબઈના લોક ભવનમાં […]

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઘુસણખોરીને અટકાવવાના એક્શન પ્લાન વિશે શું કહ્યું જાણો

નવી દિલ્હી, 16 ફેબ્રુઆરી 2026: કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં મુખ્ય અતિથિ તરીકે દિલ્હી પોલીસના 79મા સ્થાપના દિવસ સમારોહને સંબોધિત કર્યો હતો. આ પ્રસંગે દિલ્હી પોલીસ કમિશનર શ્રી સતીશ ગોલછા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે તેની સ્થાપનાથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code