1. Home
  2. ગુજરાતી
  3. રાજનીતિ

રાજનીતિ

મહારાષ્ટ્રઃ નવી સરકારના મંત્રીમંડળમાં 43 નેતાઓને મળશે સ્થાન

મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીમં ભાજપાની આગેવાનીમાં મહાયુતિની જીત બાદ સીએમની પસંદગીને લઈને લંબાણપૂર્વકની ચર્ચા-વિચારણા બાદ ભાજપાના સિનિયર નેતા દેવેન્દ્ર ફડણવીસની પસંદગી કરવામાં આવી છે. તેઓ આવતીકાલે મુખ્યમંત્રી પદના શપથગ્રહણ કરશે. નવી સરકારની કેબિનેટમાં ભાજપાના 21, શિવસેના(શિંદે)ના 12 અને એનસીપી(અજીત પવાર)ના 10 મળીને 43 જેટલા મંત્રી રહેવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. આ ઉપરાંત શિંદે અને […]

મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામ બાદ હવે કોંગ્રેસ સંગઠનમાં મોટા પાયે ફેરફાર કરવાના મૂડમાં

નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મળેલા આંચકાઓ બાદ બોલાવવામાં આવેલી કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં સંગઠનને લઈને ચર્ચા થઈ હતી અને ચૂંટણી પંચની ભૂમિકા પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. પાર્ટીએ ઈવીએમ સહિત સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને લઈને ઉભા થઈ રહેલા પ્રશ્નો અંગે દેશવ્યાપી આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ સિવાય સંગઠનને સુધારવા માટે કડક પગલાં ભરવામાં આવે તેવું […]

સંસદમાં પ્રિયંકા ગાંધીની એન્ટ્રીથી ઈન્ડી ગઠબંધનમાં નવા પ્રાણ ફુંકાયા?

કેરળની વાયનાડ લોકસભા પેટાચૂંટણીમાં પ્રિયંકા ગાંધીની જીત  થતા જ હવે સંસદમાં એક જ પરિવારનાં ત્રણ સભ્યો એકસાથે જોવા મળશે. માતા સોનિયા ગાંધી પુત્ર રાહુલ ગાંધી અને પુત્રી પ્રિયંકા ગાંધી. વાયનાડ  બેઠક પર જીત મેળવ્યા બાદ પ્રિયંકા ગાંધીની સંસદમાં વિધિવત ડેબ્યુ  એન્ટ્રી થઇ છે. સંસદમાં તેઓએ શપથ ગ્રહણ કરતા જ કોંગ્રેસ સહીત ઈન્ડી ગઠબંધનમાં પ્રાણ ફૂંકાયો […]

હેમંત સોરેન ચોથી વખત ઝારખંડના મુખ્યમંત્રી બન્યા

રાંચીઃ ઝારખંડ મુક્તિ મોરચાના કાર્યકારી અધ્યક્ષ હેમંત સોરેને રાંચીના મોરહબાદી મેદાનમાં ઝારખંડના 14મા મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. હેમંત સોરેન ચોથી વખત રાજ્યના મુખ્યમંત્રી બન્યા છે. હેમંત સોરેનના શપથ ગ્રહણ સમારોહમાં તેમના પિતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેન અને તેમની માતા રૂપી સોરેન પણ મંચ પર હાજર હતા. આ અવસર પર કોંગ્રેસ અધ્યક્ષ […]

પ્રિયંકા ગાંધીએ પોતાના હાથમાં બંધારણની નકલ સાથે લોકસભા સભ્યપદના શપથ લીધા

નવી દિલ્હી: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ગુરુવારે લોકસભાના સભ્ય તરીકે શપથ લીધા હતા. કેરળની વાયનાડ લોકસભા બેઠક માટે તાજેતરમાં પૂર્ણ થયેલી પેટાચૂંટણીમાં તેમનો વિજ્ય થયો છે. પ્રિયંકાએ હિન્દી ભાષામાં શપથ લીધા અને આ દરમિયાન તેમના હાથમાં બંધારણની કોપી હતી. જ્યારે તેઓ શપથ લેવા ઉભા થયા ત્યારે કોંગ્રેસના સાંસદોએ ‘જોડો-જોડો, ભારત જોડો’ના નારા લગાવ્યા હતા. […]

કોંગ્રેસે વર્ષ 2027માં ઉત્તર પ્રદેશમાં યોજનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી

નવી દિલ્હીઃ તાજેતરમાં જ મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ છે. બંને રાજ્યમાં વિજેતા બનેલી પાર્ટીઓ દ્વારા સરકાર બનાવવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે હવે કોંગ્રેસે વર્ષ 2027માં ઉત્તરપ્રદેશમાં યોજનારી વિધાનસભાની ચૂંટણીની અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી હોવાનું જાણવા મળે છે. આગામી વર્ષે દિલ્હી સહિતના રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તેમ છતા […]

રાજ્યસભાની છ બેઠકોની પેટાચૂંટણી જાહેર, 20મી ડિસેમ્બરે યોજાશે મતદાન

નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી બાદ હવે રાજ્યસભાની પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ભારતના ચૂંટણી પંચે રાજ્યસભાની છ ખાલી બેઠકો માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ બેઠકો પર 20 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે. પરિણામ એ જ દિવસે જાહેર કરવામાં આવશે. જે સીટો પર ચૂંટણી યોજાવા જઈ રહી છે તેમાંથી ત્રણ સીટો આંધ્રપ્રદેશની છે. આ […]

મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું

મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળ મહાયુતિની ભવ્ય જીત બાદ મહાયુતિના સભ્ય ભાજપા, શિવસેના(શિંદે) તથા એનસીપી (અજીત પવાર) દ્વારા નવી સરકાર બનાવવા માટે કવાયત શરૂ કરી છે. દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મંગળવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ સાથે તેમના સમગ્ર કેબિનેટે પણ રાજીનામું આપી દીધું છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને […]

કોંગ્રેસે અહંકાર છોડી ઈન્ડી ગઠબંધનના નેતા તરીકે મમતા બેનર્જીને સ્વિકારવા જોઈએઃ TMC

નવી દિલ્હીઃ તાજેતરમાં મહારાષ્ટ્ર અને છત્તીસગઢની વિધાનસભાની ચૂંટણીના પરિણામની સાથે કેટલાક રાજ્યોની ખાલી પડેલી વિધાનસભા બેઠકો ઉપર યોજાયેલા મતદાનની ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસનું ભારે ધોવાણ થયાનું સામે આવ્યું છે. દરમિયાન કોંગ્રેસની આગેવાની હેઠળના ઈન્ડી ગઠબંધનમાં ખેંચતાણ શરૂ થઈ છે. તેમજ ગઠબંધનના નેતા તરીકે મમતા બેનર્જીની પસંદગી કરવામાં આવે તેવી ટીએમસીએ માંગણી કરી […]

ગુજરાત વિધાનસભામાં ભાજપની તાકાત વધી, વાવ બેઠક ઉપર કોંગ્રેસની હાર

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના નેતા ગેનીબેન ઠાકોરની જીત થતા તેમણે ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામુ આપ્યું હતું. જેથી ખાલી પડેલી વાવ વિધાનસભા બેઠક માટે તાજેતરમાં જ મતદાન યોજાયું હતું. દરમિયાન આજે સવારે વાવ બેઠક માટે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. આ બેઠક કોંગ્રેસે ગુમાવી છે. મતગણતરીના અંતે ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર 1300 મતથી વિજ્યી થયા હતા. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code