1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

આગ્રામાં કાયદાના લીરેલીરા ઉડાડતા વાહનચાલકો સામે કાર્યવાહી, 654 વાહનોને નોટિસ

આગ્રા, 3 જુલાઈ 2026: ઉત્તર પ્રદેશના તાજનગરી આગ્રામાંથી ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનનો એક અત્યંત ચોંકાવનારો અને અજીબોગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક વગદાર અને બેફામ બાઇક ચાલક પર ટ્રાફિક નિયમો તોડવા બદલ આશરે દોઢ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે, જ્યારે આશ્ચર્યની વાત એ છે કે તેની બાઇકની વર્તમાન બજાર કિંમત માત્ર 38,000 રૂપિયા છે. […]

રાત્રે રસોડામાં માત્ર 20 મિનિટમાં બનાવો આ 5 ટેસ્ટી અને હેલ્ધી ડિનર

આખો દિવસ ઓફિસ કે ઘરના કામકાજની દોડધામ બાદ રાત્રે ભારે ખોરાક લેવાનું કે પછી કલાકો સુધી રસોડામાં ઊભા રહીને રસોઈ બનાવવાનું મન બિલકુલ થતું નથી. આવી સ્થિતિમાં દરેકના મનમાં એક જ સવાલ ઘૂમરાતો હોય છે કે, ‘આજે રાત્રે જમવામાં શું બનાવવું?’ આ મૂંઝવણમાં આપણે અવારનવાર એવો વિકલ્પ શોધીએ છીએ જે ઝડપથી બની જાય, સ્વાદિષ્ટ હોય […]

પાકિસ્તાનમાં નાયબ વડાપ્રધાનના પૌત્રની બળાત્કાર, અપહરણ કેસમાં ધરપકડ

રાવલપિંડી, 3 જુલાઈ, 2026 – પાકિસ્તાનમાં લાહોર પોલીસે નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી ઇશાક ડારના પૌત્ર મુહમ્મદ રઝા ડાર અને અન્ય 4 લોકોની બે વિદેશી મહિલાઓનાં અપહરણ, સામૂહિક બળાત્કાર અને જબરન વસૂલાતના આરોપમાં ધરપકડ કરી છે. ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, લાહોરની અદાલતે આરોપીઓને 5 દિવસની કસ્ટડીમાં મોકલી દીધા છે. પીડિતોમાં એક ડચ મહિલા સ્ટેફની એડ્રિયાના […]

આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં ત્રણ નવા એડિશનલ ન્યાયાધીશોની નિમણૂક: રાષ્ટ્રપતિની મંજૂરી

નવી દિલ્હી, 3 જુલાઈ 2026: દેશની ન્યાયિક પ્રક્રિયાને વધુ વેગવંતી બનાવવાના ભાગરૂપે રાષ્ટ્રપતિ દ્વારા આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં ત્રણ નવા એડિશનલ (વધારાના) ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવી છે. ભારતીય બંધારણ દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને અને ભારતના મુખ્ય ન્યાયાધીશ સાથે યોગ્ય પરામર્શ કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર […]

વેનેઝુએલા ભૂકંપમાં મોતનો આંકડો 2595 ઉપર પહોંચ્યો, 12000થી વધુ લોકો ઈજાગ્રસ્ત

ન્યુયોર્ક, 3 જુલાઈ 2026: વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગેઝ જણાવ્યું હતું કે, ભૂકંપને કારણે 2,595 લોકોના મોત થયા છે અને 12000થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઉપરાંત, ભૂકંપના તીવ્ર આંચકાઓને કારણે દેશમાં 189 ઈમારતો ધરાશાયી થઈ છે. કાર્યકારી રાષ્ટ્રપતિ રોડ્રિગ્ઝ અસ્થાયી કેમ્પ બનાવવા માટેના કમાન્ડ સેન્ટરના વડા પણ છે. અગાઉ તેમણે આરોગ્ય કાર્યકરો, સુરક્ષા કર્મચારીઓ અને […]

ATSની મોટી કાર્યવાહી: ગુજરાત અને મધ્ય પ્રદેશમાંથી જૈશના 8 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ

ગાંધીનગર, 03 જુલાઈ 2026: Arrest of 8 suspected Jaish terrorists ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. શુક્રવારે, પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ‘જૈશ-એ-મોહમ્મદ’ (JeM) સાથે સંકળાયેલા આઠ આરોપીઓની ગુજરાત અને મધ્ય પ્રદેશના વિવિધ જિલ્લાઓમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તેઓ ગુજરાતમાં તેમની આતંકવાદી પ્રવૃત્તિઓને આગળ વધારવા માટે ‘જૈશ-એ-મોહમ્મદ’નું સક્રિય નેટવર્ક સ્થાપિત કરવાના પ્રયાસો કરી રહ્યા હતા. ગુજરાત ATSના […]

તમિલનાડુ: મુખ્યમંત્રી વિજય વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ DMKના પૂર્વ મંત્રી અનિતા રાધાકૃષ્ણનની ધરપકડ

ચેન્નઈ, 03 જુલાઈ 2026: Arrest of former DMK Minister Anita Radhakrishnan તમિલનાડુના રાજકારણમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે. મુખ્યમંત્રી સી. જોસેફ વિજય વિરુદ્ધ અપમાનજનક અને અભદ્ર ભાષણ આપવા બદલ પોલીસે ડીએમકેના ભૂતપૂર્વ મંત્રી અને વર્તમાન ધારાસભ્ય અનિતા આર. રાધાકૃષ્ણનની ધરપકડ કરી હતી. મદ્રાસ હાઈકોર્ટે તેમની આગોતરા જામીનની અરજી ફગાવી દીધા બાદ તરત જ તેમની ધરપકડ […]

અમેરિકી મહિલાએ ભારત અને અમેરિકામાં દવાની કિમતોના તફાવત સામે રોષ વ્યક્ત કર્યો

રિવોઈ ન્યૂઝ, 3 જુલાઈ, 2026 – ભારતમાં રહેતા એક અમેરિકન મહિલાએ બંને દેશોમાં સ્વાસ્થ્ય સેવાઓના ખર્ચની તુલના કરીને અમેરિકન સ્વાસ્થ્ય સેવા સામે બળાપો કાઢ્યો છે. ‘ભારતીય વિરુદ્ધ અમેરિકન હેલ્થકેર’ શીર્ષકવાળા એક ઇન્સ્ટાગ્રામ વીડિયોમાં, લિઝ નામના આ મહિલાએ દાવો કર્યો છે કે ભારતની સરખામણીમાં અમેરિકામાં લોકોને લૂંટવામાં આવી રહ્યા છે. તેણીએ પોતાની કાકીની સ્વાસ્થ્ય સ્થિતિનું વિગતવાર વર્ણન […]

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને પગલે જનજીવન ખોરવાયું, 60 રસ્તાઓ બંધ

નવી દિલ્હી, 3 જુલાઈ 2026: સતત મુશળધાર વરસાદને કારણે હિમાચલ પ્રદેશમાં સામાન્ય જનજીવન ભારે ખોરવાઈ ગયું છે. શુક્રવારે રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ દ્વારા જારી કરાયેલા બુલેટિન મુજબ, રાજ્યના કુલ 60 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ છે. કિન્નૌર જિલ્લામાં વાદળ ફાટવાથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ-05 (NH-05) પણ અવરોધિત થયો છે, જેના કારણે વાહનવ્યવહારમાં વ્યાપક અવરોધ ઉભો થયો છે. ચોમાસાની […]

રામ મંદિરના દાનની ચોરી અંગે RSSનો પ્રથમ પ્રતિભાવ આવ્યો, જુઓ વીડિયો

નાગપુર, 3 જુલાઈ, 2026 – રામ મંદિરના દાનની ચોરી અંગે RSS દ્વારા પ્રથમ વખત સત્તાવાર પ્રતિભાવ આપવામાં આવ્યો છે. આરએસએસના સરકાર્યવાહે આ અંગે એક વીડિયો સંદેશા દ્વારા સંઘનો પ્રતિભાવ જાહેર કર્યો છે. આ વીડિયો સંદેશાની સૌથી મહત્ત્વની વાત એ છે કે, તેમણે હિન્દુ સમાજને સનાતન વિરોધી પરિબળોનાં કાવતરાં સામે સાવધાન રહેવા અને દાનની ચોરીના કેસમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code