1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

લદ્દાખ-કાશ્મીરમાં ભૂકંપનો આંચકો, 5.7ની તીવ્રતા નોંધાઈ

નવી દિલ્હી, 19 જાન્યુઆરી 2026: લદ્દાખ અને જમ્મુ-કાશ્મીરમાં આજે સોમવારે ભૂંકપનો આંચકો આવ્યો હતો. જેની તીવ્રતા રિક્ટર સ્ટેલ ઉપર 5.7ની નોંધાઈ હતી. તેમજ તેનુ કેન્દ્રબિંદુ લદ્દાખના લેહ વિસ્તારમાં નોંધાયાનું જાણવા મળે છે. ભૂકંપનો આંચકો આવતા લદ્દાખ અને જમ્મુ-કાશ્મીરના લોકોમાં ફફડાટ ફેલાયો હતો તેમજ ઘરની બહાર દોડી ગયા હતા. સ્થાનિક હવામાન વિભાગના ડાયરેક્ટરના જણાવ્યા અનુસાર આજે […]

જયશંકરે રશિયા-યુક્રેન યુદ્ધને લઈને ભારતને નિશાન બનાવવા સામે વાંધો ઉઠાવ્યો

નવી દિલ્હી, 19 જાન્યુઆરી 2026: ભારત અને પોલેન્ડ વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી અંગે નવી દિલ્હીમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક દરમિયાન વિદેશ મંત્રી એસ. જયશંકરે કડક વલણ અપનાવ્યું. પોલેન્ડના નાયબ વડા પ્રધાન રાડોસ્લાવ સિકોર્સ્કી સાથેની મુલાકાતમાં, વિદેશ પ્રધાન જયશંકરે રશિયા-યુક્રેન યુદ્ધના નામે ભારતને “પસંદગીયુક્ત અને અન્યાયી રીતે” નિશાન બનાવવાનો વાંધો ઉઠાવ્યો. વિદેશ મંત્રી એસ જયશંકરે પાકિસ્તાનનું નામ […]

BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ તરીકે નીતિન નબીને ઉમેદવારી નોંધાવી, જાણો શું છે ભાજપની આગામી રણનીતિ

નવી દિલ્હી, 19 જાન્યુઆરી 2026: દેશનો સૌથી મોટો રાજકીય પક્ષ ભાજપા પોતાની રાજકીય પક્કડને વધારે મજબુત બનાવવાની દિશામાં કામગીરી કરી રહ્યું છે. નીતિન નબીનને ભાજપના અધ્યક્ષ બનાવવા અને મોદી 3.0 સરકારને બે વર્ષ પૂર્ણ થતા પહેલા સંગઠન અને સરકાર એમ બંને સ્તરે જોરદાર ફેરફાર કરવાની દિશામાં કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન આજે નીતિન નબીનએ […]

મૂડીઝનો આશાવાદ: ભારતીય અર્થતંત્ર 7.3 ટકાના દરે દોડશે

નવી દિલ્હી, 19 જાન્યુઆરી 2026 : ભારતીય અર્થતંત્રની મજબૂતી અને વધતા વિકાસ દરનો સીધો ફાયદો હવે દેશના વીમા ક્ષેત્રને મળી રહ્યો છે. વૈશ્વિક રેટિંગ એજન્સી ‘મૂડીઝ‘ એ તેના તાજેતરના રિપોર્ટમાં આશા વ્યક્ત કરી છે કે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો જીડીપી 7.3 ટકાના દરે વધશે. મૂડીઝના મતે, આ આર્થિક વિસ્તરણ માત્ર સરેરાશ ઘરેલું આવકમાં વધારો નહીં […]

પાકિસ્તાનમાં એક યુવકે ઘરેલુ વિવાદના પગલે પરિવારના સાત સભ્યોની ગોળી મારીને હત્યા કરી

નવી દિલ્હી, 19 જાન્યુઆરી 2026: ઉત્તર પશ્ચિમ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઘરેલુ વિવાદ એટલો વધી ગયો કે યુવકે પોતાના જ પરિવારના સભ્યો પર ગોળીબાર કરી દીધો. ગોળીબારમાં પરિવારના સાત લોકોના મોત થયા. પોલીસે જણાવ્યું હતું કે, પાકિસ્તાનના ઉત્તરપશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં એક વ્યક્તિએ ઘરેલુ વિવાદ બાદ પોતાના ઘરમાં ગોળીબાર […]

એઆર રહેમાનને સાંપ્રદાયિકતા વાળા નિવેદન મુદ્દે બાંગ્લાદેશી લેખિકાએ વ્યક્ત કરી નારાજગી

નવી દિલ્હી, 19 જાન્યુઆરી 2026: જાણીતા સંગીતકાર એઆર રહેમાનના બોલિવૂડ અને સાંપ્રદાયિકતા અંગેના નિવેદને દેશમાં નવો વિવાદ છેડ્યો છે. રહેમાને તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ધીરે ધીરે સાંપ્રદાયિક ભાવના હાવી થઈ રહી છે અને તેની અસર તેમના કામ પર પડી રહી છે. આટલું જ નહીં, તેમણે ફિલ્મ ‘છાવા‘ને પણ વિભાજનકારી ગણાવી હતી. […]

કિશ્તવાડ એન્કાઉન્ટરમાં સેનાનો જવાન શહીદ, 3 આતંકવાદીઓ ફસાયા

જમ્મુ, 19 જાન્યુઆરી 2026: જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના સિંઘપોરા વિસ્તારમાં સુરક્ષા દળો અને પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું. બંને બાજુથી ભારે ગોળીબાર થયો, જેના પરિણામે એક સૈનિકનું મોત થયું અને સાત અન્ય ઘાયલ થયા, જેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ દરમિયાન, સુરક્ષા દળોએ આતંકવાદીઓને ઘેરી લીધા છે. અધિકારીઓએ જણાવ્યું હતું […]

બીજાપુરમાં સર્ચ ઓપરેશન દરમિયાન છ માઓવાદીઓ ઠાર મરાયાં

નવી દિલ્હી 19 જાન્યુઆરી 2026: છત્તીસગઢના બીજાપુરના રાષ્ટ્રીય ઉદ્યાન વિસ્તારમાં છેલ્લા બે દિવસથી ચાલી રહેલા સર્ચ ઓપરેશન દરમિયાન ચાર મહિલાઓ સહિત છ માઓવાદીઓ માર્યા ગયા છે. તેમાંથી ચાર માઓવાદીઓની ઓળખ કરવામાં આવી છે અને તેમના પર 20 લાખ રૂપિયાનું ઇનામ રાખવામાં આવ્યું છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા માઓવાદીઓમાં ડિવિઝનલ કમિટીના સભ્ય દિલીપ […]

T20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશના વલણનો લાભ લેવા માંગે છે પાકિસ્તાન

નવી દિલ્હી, 19 જાન્યુઆરી 2026 : ભારત અને શ્રીલંકાની સંયુક્ત યજમાનીમાં યોજાનારા આઈસીસી T20 વર્લ્ડ કપ 2026 પર જોખમ તોળાઈ રહ્યું છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વધતા રાજકીય તણાવને કારણે હવે રમતગમત જગતમાં પણ વિવાદ શરૂ થયો છે. બાંગ્લાદેશે સુરક્ષા કારણોસર ભારતમાં રમવા અંગે ખચકાટ વ્યક્ત કરીને વેન્યુ બદલવાની માંગ કરી છે, જેમાં હવે પાકિસ્તાન […]

હાફિઝના આતંકીએ ભારતને ફરીથી આપી ધમકી, સુરક્ષા એજન્સીઓ સાબદી બની

નવી દિલ્હી, 19 જાન્યુઆરી 2026: પાકિસ્તાનમાં આતંકવાદી કેમ્પો ધમધમી રહ્યાં છે અને પાકિસ્તાનમાં બેઠાલા આતંકવાદીઓ ભારતમાં ભાંગફોડ કરવાની મેલી મુરાદ ધરાવે છે અને અવાર-નવાર ભારતને ધમકીઓ આપે છે. દરમિયાન પાકિસ્તાનને ફરી એકવાર ભારત વિરુદ્ધ ઝેર ઓંક્યું છે. હાફિઝ સઈદના આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના કમાન્ડર આમિર જીયાએ ઓપન મંચ ઉપર કાશ્મીરમાં આતંક ફેલાવવા અને ભારતમાં તબાહી મચાવવાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code