1. Home
  2. લોકસભા ઈલેક્શન 2024

લોકસભા ઈલેક્શન 2024

સાચો સનાતની કોંગ્રેસમાં ન રહી શકેઃ આચાર્ય પ્રમોદ કુષ્ણમ

નવી દિલ્હીઃ કોંગ્રેસના સિનિયર નેતા ગૌરવ વલ્લભએ રાજીનામું આપતા ખળભળાટ મચી ગયો છે. રામના નામે કોંગ્રેસના આ નેતાએ રાજીનામુ આપતા રાજકારણ ગરમાયું છે. દરમિયાન કોંગ્રેસના પૂર્વ સિનિયર નેતા આચાર્ય પ્રમોદ કુષ્ણમએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં સાચો સનાતની રહી શકે તેવિ સ્થિતિ નથી. અયોધ્યામાં […]

રાહુલ ગાંધીના પ્રેમિકા સાથે લગ્ન થઈ શક્યા નહીં, રાજનીતિમાં બળજબરીથી ધકેલાયા!, કંગના રનૌતનો કોંગ્રેસના નેતા પર વાકપ્રહાર

મંડી: હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કંગના રનૌતે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર જોરદાર વાકપ્રહાર કર્યો છે. તેની સાથે જ તેમણે પ્રિયંકા ગાંધીને લઈને પણ ટીપ્પણી કરી છે. કંગના રનૌતે ગાંધી પરિવારના બંને નેતાઓને પરિસ્થિતિના માર્યા ગણાવ્યા છે. તેમમે આ બધાં માટે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના મતા અને કોંગ્રેસના […]

કોંગ્રેસના નેતા સૂરજેવાલાએ હેમામાલિની પર કરી અભદ્ર ટીપ્પણી, ભાજપના સાંસદે કહ્યુ- નારી સમ્માન વિપક્ષ પીએમ મોદી પાસેથી શીખે

નવી દિલ્હી : મથુરા લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને હાલના સાંસદ હેમામાલિનીએ આગામી ચૂંટણી માટે પોતાનું નામાંકન દાખલ કર્યું છે. આ દરમિયાન તેમની સાથે યુપીના મંત્રી અને ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ સ્વતંત્રદેવસિંહ પણ હાજર હતા. તે દરમિયાન હેમામાલિનીએ રાધે-રાધેના જયકારા પણ લગાવ્યા હતા. તો કોંગ્રેસના વરિષ્ઠ નેતા રણદીપસિંહ સૂરજેવાલાએ ભાજપના નેતા અને મથુરાના સાંસદ […]

પક્ષ વિરોધી પ્રવૃતિ બદલ કોંગ્રેસ નેતા સંજય નિરુપમને 6 વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા

મુંબઈઃ કોંગ્રેસ નેતા સંજય નિરુપમને કોંગ્રેસ પાર્ટીમાંથી 6 વર્ષમાટે હાંકી કાઢવામાં આવ્યા છે. કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ અનુશાસનહીન અને પક્ષ વિરોધી નિવેદનોની ફરિયાદોને પગલે સંજય નિરુપમની હકાલપટ્ટીને મંજૂરી આપી દીધી છે. આ હુકમ તાત્કાલિક અસરથી અમલમાં કરવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, પાર્ટી વિરોધી નિવેદન આપવાના કારણે નિરુપમ સામે કાર્યવાહી કરાઈ હતી. વાસ્તવમાં […]

જન્મથી હિંદુ છું, રામનું અપમાન સહી શકું નહીં, બોલીને પાર્ટી પ્રવક્તા ગૌરવ વલ્લભે કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું

નવી દિલ્હી: કોંગ્રેસને લોકસભા ચૂંટણી પહેલા વધુ એક મોટો આંચકો લાગ્યો છે. ફાયરબ્રાન્ડ રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ વલ્લભે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. ગૌરવ વલ્લભે રાજીનામું આપતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેને એક લાંબી ચિઠ્ઠી પણ લખી છે. તેમણે કહ્યુ છે કે જ્યારે મેં પાર્ટી જોઈન કરી હતી, ત્યારની કોંગ્રેસ અને હાલની કોંગ્રસમાં આસમાન-જમીનનું અંતર આવી ગયું […]

લોકસભા ચૂંટણીઃ બીજા તબક્કાની 88 સીટો માટે નોમિનેશનનો આજે છેલ્લો દિવસ

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે નામાંકન ભરવાનો આજે છેલ્લો દિવસ છે. આ તબક્કામાં બાહ્ય મણિપુર લોકસભા મતવિસ્તારની સાથે 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 88 લોકસભા બેઠકો પર ચૂંટણી યોજાશે. બાહ્ય મણિપુર મતવિસ્તારના એક ભાગમાં પ્રથમ તબક્કામાં મતદાન થશે. આ તબક્કામાં કેરળની 20, કર્ણાટકની 14, રાજસ્થાનની 13, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રની આઠ-આઠ, મધ્યપ્રદેશની 7, […]

લોકસભા ચૂંટણીઃ ગુજરાતમાં રાજકીય પક્ષોની હાજરીમાં EVM નું ફર્સ્ટ રેન્ડમાઈઝેશન હાથ ધરાશે

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની 05 બેઠકો પર પેટાચૂંટણી સંદર્ભે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા આખરી તૈયારીઓ ચાલી રહી છે. રાજ્યભરમાં નિયુક્ત કરવામાં આવેલા પોલીંગ સ્ટાફના ફર્સ્ટ રેન્ડમાઈઝેશનની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. રાજ્યભરના તમામ પ્રિસાઈડીંગ ઑફિસર્સ અને પોલીંગ ઑફિસર્સની તાલીમ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા-2024 […]

લોકસભા ચૂંટણીઃ કોંગ્રેસે વિવિધ વર્ગોને આવરી લેતા 5 મુદ્દાઓની ગેરંટીની જાહેરાત કરી

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીની જાહેરાત બાદ તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા ઝંઝાવતી ચૂંટણીપ્રચાર કરવામાં આવી રહ્યો છે. દરમિયાન કોંગ્રેસ પાર્ટીની આગામી લોકસભા ચૂંટણી માટે વિવિધ વર્ગોને આવરી લેતા પાંચ મુદ્દાઓની ગેરંટીની જાહેરાત કરી છે. જેમાં વિવિધ મુદ્દે આ મુજબ જાહેરાત કરવામાં આવી છે. • યુવા ન્યાય 1. પહેલી બાબત યુવાઓ માટે નોકરી પાક્કી : પ્રત્યેક શિક્ષિત […]

શામ, દામ, દંડ, ભેદથી શું શ્રીલંકા પાસેથી ભારત કચ્ચાતિવુ ટાપુ પાછો મેળવી શકશે?

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી પહેલા તમિલનાડુ અને શ્રીલંકા વચ્ચે આવેલો કચ્ચાતિવુ ટાપુ દેશભરમાં રાજકીય ચર્ચાનો એક મુદ્દો બન્યો છે. વિવાદ ત્યારે શરૂ થયો, જ્યારે આરટીઆઈથી મેળલો જવાબ સામે આવ્યો કે 1974માં તત્કાલિન ઈન્દિરા ગાંધી સરકારે આ ટાપુને શ્રીલંકાને સોંપ્યો હતો. કચ્ચાતિવુ ભારતના રામેશ્વરમ અને શ્રીલંકાની વચ્ચે હિંદ મહાસાગરમાં આવેલો નિર્જન ટાપુ છે. આવો જાણીએ કે […]

મુલાયમસિંહ યાદવના ભાઈ શિવપાલને ભાજપમાં સામેલ થવાની ઓફર!, ભાજપના સાંસદ શું બોલ્યા?

લખનૌ: સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ શિવપાલસિંહ યાદવને ભૂતપૂર્વ કેન્દ્રીય રાજ્ય મંત્રી અને ભાજપના સાંસદ પ્રો. રામશંકર કઠેરિયાએ પાર્ટીની સદસ્યતા ગ્રહણ કરવાની ખુલ્લી ઓફર આપી છે. પ્રો. કઠેરિયાએ બુધવારે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યુ છે કે તેમના તરફથી સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવના કાકા શિવપાલસિંહ યાદવને ભાજપમાં સામેલ થવાની ખુલ્લી ઓફર આપવામાં આવી છે. જો શિવપાલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code