1. Home
  2. લોકસભા ઈલેક્શન 2024

લોકસભા ઈલેક્શન 2024

બોક્સર વિજેન્દરસિંહ ભાજપમાં જોડાયા, હરિયાણાથી દિલ્હી સુધી ભગવા દળને થશે ફાયદો

નવી દિલ્હી: બોક્સર વિજેન્દરસિંહ ભાજપમાં જોડાયા છે. અત્યાર સુધી તેઓ કોંગ્રેસના સદસ્ય હતા અને ચૂંટણી પણ લડી ચુક્યા છે. વિજેન્દરસિંહનાભાજપમાં સામેલ થવાથી પાર્ટીને દિલ્હીથી લઈને હરિયાણા સુધી ફાયદાની આશા છે. તે હરિયાણાના ભિવાનીના જ વતની છે અને જાટ સમુદાયમાંથી આવે છે. તેવામાં ભાજપની વિરુદ્ધ જાટોની નારાજગીની જે ચર્ચાઓ ચાલી રહી છે, તેના સમાધાનમાં પાર્ટીને મદદ […]

કૉંગ્રેસના નેતાએ પીએમ મોદીના માથાને લઈને આપ્યું વિવાદીત નિવેદન, અમિત માલવીયે શેયર કર્યો વીડિયો

નવી દિલ્હી: છત્તીસગઢના વરિષ્ઠ કૉંગ્રેસના નેતા ડૉક્ટર ચરણદાસ મહંતે પીએમ મોદીને લઈને વિવાદીત ટીપ્પણી કરી છે. તેમણે પીએમ મોદીના માથાને લઈને એક જાહેરસભામાં એવી વાત કરી દીધી, કે તેના પછી ભાજપે તેમના પર આક્રમક વલણ અખત્યાર કર્યું છે. કોંગ્રેસના નેતા એક જાહેરસભાને સંબોધિત કરી રહ્યા હતા, તે દરમિયાન તેઓ કહેવા લાગ્યા કે પીએમ મોદીના મુકાબલામાં […]

Lok Sabha Elections : બુંદેલખંડના રાજકારણમાં દાયકાઓ સુધી ચાલ્યું ડાકુઓનું રાજ, વોટ નાખવા માટે જાહેર થતા હતા ફરમાન

લખનૌ: બુંદેલખંડના રાજકારણમાં દાયકાઓ સુધી ડકૈતોનો પ્રભાવ રહ્યો છે. કોતરોમાં બેઠેલા ડાકૂઓ જેને ચાહે તેને ચૂંટણી જીતાડી દેતા હતા. તેના માટે બકાયદા ફરમાન જાહેર કરવામાં આવતા હતા. ચૂંટણીની હવાની દિશા બદલવી તેમના માટે ડાબા હાથનો ખેલ હતો. 80ના દાયકામાં યુપીના હિસ્સામાં આવનારા બુંદેલખંડના સાતમાંથી છ જિલ્લાઓ- ઝાંસી, જાલૌન, બાંદા, મહોબા, હમીરપુર અને ચિત્રકૂટમાં ડકૈતોનો દબદબો  […]

દેડિયાપાડાના 118 વર્ષીય ચંપાબેન 1951માં યોજાયેલી લોકસભાની પ્રથમ સામાન્ય ચૂંટણીમાં મતદાન કર્યું

અમદાવાદઃ દેડિયાપાડાના જંગલો વચ્ચે આવેલા સોલિયા ગામના ચંપાબેન પારસિંગભાઇ વસાવાને જૂઓ તો તમને એવું લાગે જ નહીં કે આ મહિલા પોતાના જીવનના 118 વર્ષના પડાવે પહોંચી ગયા છે ! સમગ્ર નર્મદા જિલ્લામાં સૌથી વધું ઉંમર ધરાવતા સિનિયર સિટીઝન છે, પણ તેમની તંદુરસ્તી તો યુવાનોને પણ શરમાવે એવી છે. 50 થી વધુ પારિવારિક સભ્યોનો વસ્તાર ધરાવતા ચંપાબેન […]

રૂપાલાના વિવાદીત નિવેદન મામલે શંકરસિંહ વાઘેલાએ ભાજપા ઉપર કર્યાં આકરા પ્રહાર

અમદાવાદઃ લોકસભા ચૂંટણીને લઈને ગુજરાતમાં રાજકીય ગરમાવો આવ્યો છે. દરમિયાન રાજકોટ બેઠક ઉપર કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાને ભાજપાએ ટીકીટ ફાળવી છે. એક કાર્યક્રમમાં પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને કરેલા નિવેદનને પગલે વિવાદ વકર્યો છે. વિવાદને શાંત કરવા માટે રૂપાલાએ ક્ષત્રિય સમાજ સમક્ષ માફી માંગી છે પરંતુ મામલો શાંત થવાને બદલે નવો રંગ પકડ્યો છે અને […]

લોકસભા ચૂંટણીઃ કોંગ્રેસે વધુ 17 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યાં

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ દેશભરમાં રાજકીય માહોલ જામ્યો છે અને રાજકીય પાર્ટીઓ દ્વારા જોરશોરથી પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. દરમિયાન કોંગ્રેસે ચૂંટણી માટે ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે. આ યાદીમાં આંધ્રપ્રદેશ, ઓડિશા, બિહાર અને પશ્ચિમ બંગાળ સહિત 17 બેઠકો માટેના ઉમેદવારોના નામનો સમાવેશ કરાયો છે. યાદીમાં આંધ્રમાં 5, બિહારમાં 3, ઓડિશામાં […]

પરસોત્તમ રૂપાલા બલિદાનોનો આદર થાય, ગાળ ન અપાય: હિંદુઓની પોલિટિકલ યૂનિટી માટે માફી પુરતી નથી, રાજકોટની ઉમેદવારી છોડીને પ્રાયશ્ચિત કરો

આનંદ શુક્લ, મેનેજિંગ એડિટર, રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા રૂપાલાની વિવાદીત ટીપ્પણી માફીને લાયક છે? રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રુપાલા રુખી સમાજના એક સ્નેહમિલન સમારંભમાં એક નિવેદન આપીને વિવાદમાં આવ્યા છે. કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુ સંવર્ધન અને ડેરી મંત્રાલયના પ્રધાન પરસોત્તમ રુપાલાની ટીપ્પણીનો એક વીડિયો વાયરલ થયો છે. તેમાં તેમણે જૂના જમાનાના રાજવીઓ અંગે […]

ત્રીજા કાર્યક્રાળમાં આમારો લક્ષ્યાંક મફત વિજળી આપવાનો : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરતા કહ્યું કે, ભાજપા લોકસભા ચૂંટણીમાં ફરી જીત હાંસિલ કરશે. આ દરમિયાન તેમણે કહ્યું કે, ત્રીજા કાર્યક્રાળમાં આમારો લક્ષ્યાંક મફત વિજળી આપવાનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના રુદ્રપુરમાં લોકસભા ચૂંટણીના પ્રચારને લઈને રેલી કરી હતી. આ પ્રસંગ્રે પીએમ મોદીએ કહ્યું કે, મોદીની ગેરેન્ટીએ ઉત્તરાખંડમાં ઘરે-ઘરમાં સુવિધા […]

જેલમાંથી બહાર આવશે AAP સાંસદ સંજય સિંહ, સુપ્રીમ કોર્ટે જામીન પર મુક્ત કરવા કર્યો આદેશ

નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ અને દારૂ ગોટાળાના આરોપી સંજય સિંહ હવે જેલમાંથી બહાર આવી શકે છે. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે દારૂ ગોટાળા સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં તેમને જામીન આપવામાં આવે. જણાવવામાં આવે છે કે મામલાની સુનાવણી દરમિયાન ઈડીએ કહ્યું છે કે સંજય સિંહને જામીન આપવાથી તપાસ એજન્સીને કોઈ વાંધો […]

કેજરીવાલની પાછળ ઈડી લગાવવામાં કોંગ્રેસની મોટી ભૂમિકા, જાણો ઈન્ડિયા ગઠબંધનના ક્યાં નેતાએ લગાવ્યો છે આરોપ?

નવી દિલ્હી: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ઉમેદવારીને લઈને વિપક્ષી ઈન્ડિયા એલાયન્સમાં તકરાર વધતી દેખાય રહી છે. હવે કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને રાહુલ ગાંધીના વાયનાડથી ચૂંટણી લડવાને અયોગ્ય ગણાવ્યું છે. ડાબેરી નેતાએ તેની સાથે આરોપ પણ લગાવ્યો છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ ઈડીની તપાસમાં કોંગ્રેસે મહત્વની ભૂમિકા ભજવી છે. પી. વિજયને કહ્યુ છે કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code