1. Home
  2. ગુજરાતી
  3. ટાર્ગેટ કિલિંગને લઈને કેન્દ્ર એ પાકિસ્તાનને જવાબદાર ગણાવ્યું – કાશ્મીરી પંડિતોને સુરક્ષિત જગ્યાએ ખસેડાશે
ટાર્ગેટ કિલિંગને લઈને કેન્દ્ર એ પાકિસ્તાનને જવાબદાર ગણાવ્યું – કાશ્મીરી પંડિતોને સુરક્ષિત જગ્યાએ ખસેડાશે

ટાર્ગેટ કિલિંગને લઈને કેન્દ્ર એ પાકિસ્તાનને જવાબદાર ગણાવ્યું – કાશ્મીરી પંડિતોને સુરક્ષિત જગ્યાએ ખસેડાશે

0
Social Share
  • કાશઅનમીરકની ઘટનાઓ માટે પાકિસ્તાન જવાબદાર
  • કેન્દ્ર એ તેઓને જમ્ુમાં સુરક્ષા હેઠળ રાખવાનો નિર્ણય લીધો

દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની ઘટનાો વધી ગઈ છે,વિતેલી રાત્રે ફરી આ પ્રકારની ઘટના સામે આવી છે, ત્યારે અનેક કાશ્મીરી પંડિતો કેન્દ્રને સ્થળાંતર કરવાની ચેતવણી આપી રહ્યો છે,અને પોતાના માટે સુરક્ષા માંગી રહ્યા છે આવી સ્થિતિમાં કેન્દ્રની સરકારે આ ઘટનાઓ માટે પાકિસ્તાનને જવાબદાર ગણાવ્યું છે.

આ બાબતે કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે કે લઘુમતીઓને કાશ્મીર ઘાટીમાંથી બહાર નહીં, પરંતુ કાશ્મીરમાં જ સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવશે. કેન્દ્ર દ્વારા આ નિર્ણય કાશ્મીરી પંડિતોની માંગ વચ્ચે લેવામાં આવ્યો છે, જેમાં તેઓએ કાશ્મીરની બહાર મોકલવાની માંગ કરી હતી.આ બેઠકમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતું કે કાશ્મીરી પંડિતોને સુરક્ષિત સ્થળોએ લઈ જવામાં આવશે, પરંતુ કાશ્મીરની બહાર નહીં. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “કેન્દ્ર કોઈપણ જાતિની ટાર્ગેટ કિલિંગનો ભાગ ન હોઈ શકે. અમે બહુ-સાંસ્કૃતિક સમાજમાં માનીએ છીએ.”

વુતેલા દિવસને શુક્રવારે નોર્થ બ્લોકમાં અનેક બેઠકો દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને માહિતી આપતાં, કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓએ કાશ્મીર ઘાટીમાં વધી રહેલી હિંસા માટે ફરીથી પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યું છે.મીડિયાને અધિકારીએ માહિતી આપી કે  “કાશ્મીરમાં હિંસાનું સ્તર વધ્યું છે, પરંતુ તે જેહાદ નથી. તે કેટલાક ભયાવહ તત્વો દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે.” તેમણે કહ્યું કે હિંસા આચરનારાઓ સરહદ પાર પાકિસ્તાનમાં બેઠા છે.

આ અગાઉ નોર્થ બ્લોકમાં ત્રણ રાઉન્ડની બેઠક યોજાઈ હતી. પ્રથમ રાઉન્ડમાં, આંતરિક અને બાહ્ય બંને એજન્સીઓના ગુપ્તચર વડાઓ, ઇન્ટેલિજન્સ બ્યુરોના ડિરેક્ટર અરવિંદ કુમાર અને સંશોધન અને વિશ્લેષણ વિંગના વડા સામંત ગોયલ તેમજ જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા અને પોલીસ મહાનિર્દેશક દિલબાગ સિંહે ગૃહ પ્રધાન સાથે મુલાકાત કરી હતી. હિંસા સમજાવવા માટે.તેને રોકવા માટે લેવામાં આવતા પગલાઓ વિશે માહિતગાર કર્યા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code