
આ દિવસથી શરૂ થશે ચૈત્ર નવરાત્રી,જાણો કળશ સ્થાપના વિધિ અને શુભ મૂહર્ત
- હિન્દુ ધર્મમાં નવરાત્રીના નવ દિવસોનું વિશેષ મહત્વ
- મા દુર્ગાના નવ સ્વરૂપોની કરવામાં આવે છે પૂજા
- ચૈત્રી નવરાત્રી 2 એપ્રિલથી શરૂ થશે
- અહીં જાણો કળશ સ્થાપના વિધિ અને શુભ મૂહર્ત
ચૈત્ર નવરાત્રી હિંદુ કેલેન્ડરના પ્રથમ મહિનામાં ચૈત્ર મહિનામાં ઉજવવામાં આવે છે.આ વર્ષે ચૈત્રી નવરાત્રી 2 એપ્રિલથી શરૂ થશે.હિન્દુ ધર્મમાં આ નવ દિવસોનું વિશેષ મહત્વ છે.ચૈત્ર નવરાત્રી પણ હિન્દુ નવા વર્ષની શરૂઆત કરે છે.નવ દિવસ દરમિયાન મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.કારણ કે આ નવ દિવસો ‘ચૈત્ર’ મહિનામાં આવે છે, તેથી તેને ચૈત્ર નવરાત્રી કહેવામાં આવે છે.પંચાંગ અનુસાર આ વર્ષે ચૈત્ર નવરાત્રીનો તહેવાર 2 એપ્રિલથી 11 એપ્રિલ સુધી મનાવવામાં આવશે.આ દરમિયાન વિધિ-વિધાનથી માં દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.નવરાત્રીમાં ઘણા લોકો વ્રત પણ કરે છે.
ચૈત્ર નવરાત્રીમાં ઘટસ્થાપન 2જી એપ્રિલે થશે.હિંદુ કેલેન્ડર મુજબ, પ્રતિપદા 1લી એપ્રિલે સવારે 11:53 કલાકે શરૂ થશે અને 2જી એપ્રિલે સવારે 11:58 કલાકે સમાપ્ત થશે.
ઘટસ્થાપનનો શુભ સમય 2 એપ્રિલના રોજ સવારે 6.10 થી 8.31 સુધીનો રહેશે.ઘટસ્થાપન અભિજીત મુહૂર્ત આ દિવસે બપોરે 12 થી 12.50 સુધી રહેશે.
કળશ સ્થાપના વિધિ
કળશ સ્થાપના માટે તમારે માટીનું વાસણ, પવિત્ર સ્થાનથી લાવેલી માટી,ગંગાજળ, કેરી અથવા અશોકના પાન, સોપારી, ચોખા, નારિયેળ, લાલ દોરો, લાલ કાપડ અને ફૂલોની જરૂર પડશે.નવરાત્રીના પહેલા દિવસે કળશની સ્થાપના કરવામાં આવે છે.કળશની સ્થાપના કરતા પહેલા મંદિરને સારી રીતે સાફ કરો અને લાલ કપડું પાથરી દો.આ પછી આ કપડા પર થોડા ચોખા મૂકો.પહોળા માટીના વાસણમાં જવ વાવો.હવે તેના પર પાણી ભરેલો કળશ મૂકો. કળશ પર કલાવ બાંધો. આ સિવાય કલરમાં સોપારી, સિક્કો અને અક્ષત મૂકો. હવે ઉપર લાલ ચુનરીમાં લપેટી નાળિયેર મૂકો અને અશોક અથવા કેરીના પાન મૂકો. મા દુર્ગાનું ધ્યાન કરો.આ પછી દીવો પ્રગટાવીને પૂજાની શરૂઆત કરો.