Homeગુજરાતીસ્કિલ ડેવલપમેન્ટ કેસમાં ચંદ્રબાબુ નાયડુને આંધ્ર હાઈકોર્ટમાંથી 4 અઠવાડિયાના જામીન મળ્યા

સ્કિલ ડેવલપમેન્ટ કેસમાં ચંદ્રબાબુ નાયડુને આંધ્ર હાઈકોર્ટમાંથી 4 અઠવાડિયાના જામીન મળ્યા

  • પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુને રાહત
  • ચાર અઠવાડિયા માટે વચગાળાના જામીન
  • સ્કિલ ડેવલપમેન્ટ કેસમાં જામીન મંજૂર 

અમરાવતી:આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને તેલુગુ દેશમ પાર્ટીના વડા ચંદ્રબાબુ નાયડુને એપી સ્ટેટ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (APSSDC) સાથે સંબંધિત કૌભાંડમાં વચગાળાના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. આંધ્ર પ્રદેશ હાઈકોર્ટે ચંદ્રાબાબુ નાયડુને ચાર અઠવાડિયા માટે વચગાળાના જામીન આપ્યા છે

આ કેસમાં 30 ઓક્ટોબરે સુનાવણી હાથ ધરવામાં આવી હતી, ત્યારબાદ કોર્ટે જામીન પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. જે બાદ આજે કોર્ટે ચુકાદો આપતાં તેને મેડિકલ ગ્રાઉન્ડ પર ચાર અઠવાડિયા માટે વચગાળાના જામીન આપ્યા હતા. આ માહિતી હાઈકોર્ટના વકીલ સુનાકારા કૃષ્ણમૂર્તિએ આપી હતી.

કરોડો રૂપિયાના સ્કીલ ડેવલપમેન્ટ કૌભાંડમાં ચંદ્રાબાબુ નાયડુ 50 દિવસથી વધુ સમયથી રાજમુંદરીની જેલમાં છે. CID દ્વારા 9 સપ્ટેમ્બરે તેની ધરપકડ કરવામાં આવી હતી. અગાઉ તેણે વિજયવાડા કોર્ટનો સંપર્ક કર્યો હતો પરંતુ ત્યાંથી નિરાશ થઈને તેણે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો.

સંબંધિત લેખો

Most Popular