1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. 1 લી જુલાઈથી ચારધામ યાત્રાનો આરંભ -નોંધણી કરાવી ઈ-પાસ મેળવ્યા બાદ જ કરી શકાશે ચારધામના દર્શન, કોરોના નેગેટિવ રિપોર્ટ અનિવાર્ય
1 લી જુલાઈથી ચારધામ યાત્રાનો આરંભ -નોંધણી કરાવી ઈ-પાસ મેળવ્યા બાદ જ કરી શકાશે ચારધામના દર્શન, કોરોના નેગેટિવ રિપોર્ટ અનિવાર્ય

1 લી જુલાઈથી ચારધામ યાત્રાનો આરંભ -નોંધણી કરાવી ઈ-પાસ મેળવ્યા બાદ જ કરી શકાશે ચારધામના દર્શન, કોરોના નેગેટિવ રિપોર્ટ અનિવાર્ય

0
Social Share
  • ઉત્તરાખંડ સરકારનો મuત્વનો નિર્ણય
  • 1 લી જુલાઈથઈ ચારઘામ યાત્રા કરાશે શરુ
  • કોરોના રિપોર્ટ નેગેટિવ હોવો જરુરી
  • યાત્રા માટે નોંધણી ફરજિયાત

દેહરાદૂનઃ-સમગ્ર દેશમાં કોરોનાના કારણે અનેક ઘાર્મિક સ્થળોથી લઈને જાહેર સ્થળો બંઘ રાખવાની ફરજ પડી હતી, આ સાથે જ તેની અસર અનેક ધાર્મિક યાત્રાઓ પર જોવા મળી હતી, ત્યારે હવે સ્થિતિ સામાન્ય થતા ઉત્તરાખંડ સરકારે ચારધામની યાત્રા 1 જુલાઇથી તબક્કાવાર રીતે શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

ચારધામની યાત્રા કરવા ઈચ્છતા લોકો માટે નોંધણીની સિસ્ટમ ફરજિયાત કરવામાં આવી છે. રજિસ્ટ્રેશન કર્યા બાદ દેવસ્થાનમ બોર્ડ દ્વારા યાત્રીઓને ઇ-પાસ આપવામાં આવશે. તે પછી જ ચારધામોમાં દર્શનની મંજૂરી આપવામાં આવશે.

વિતેલા વર્ષની જેમ આ વખતે પણ સરકારે જુલાઇથી ત્રણ જિલ્લામાંથી ચારધામ યાત્રા સંચાલીત કરવાનો નિર્ણય લીધો છે. કોવિડના નિયમોનું પાલન કરવા માટે, યાત્રીઓએ ગયા વર્ષની તર્જ પર નોંધણી, ઇ-પાસ અને કોવિડ નેગેટિવ રિપોર્ટ લાવવો ફરજિયાત રહેશે. 30 જુન સુધીમાં યાત્રીઓ માટેની અનેક સુવિધા ઉપલબ્ધ કરાવવા તમામ વિભાગોને  સુચના આપવામાં આવી છે

ઉત્તરાખંડ  સરકારે 1 જુલાઈથી ચમોલી, ઉત્તરકાશી અને રૂદ્રપ્રયાગ જિલ્લાના લોકો માટે અને 11 જુલાઇથી રાજ્યની જનતા માટે ચારધામ યાત્રા કરવાનો નિર્ણય લીધો છે. પ્રવાસમાં કોવિડ નિયમોનું પાલન કરવા માટે પર્યટન વિભાગ દ્વારા એક અલગ એસઓપી આપવામાં આવશે.આ સાથે જ દરેક યાત્રીઓએ કોરોના ગાઈડલાઈનનું ચોક્કસ પણે પલાન કરવું પડશે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code