1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પ્રાથમિક શાળાઓમાં બાળકોને લેખન પોથી અપાતી નથી, એકમ કસોટી લેવામાં પડતી મુશ્કેલી
પ્રાથમિક શાળાઓમાં બાળકોને લેખન પોથી અપાતી નથી, એકમ કસોટી લેવામાં પડતી મુશ્કેલી

પ્રાથમિક શાળાઓમાં બાળકોને લેખન પોથી અપાતી નથી, એકમ કસોટી લેવામાં પડતી મુશ્કેલી

0
Social Share

ગાંધીનગરઃ  ગુજરાતમાં નવું શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયાને બે મહિના જેટલો સમય વિતી ગયો છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓને એકમ કસોટી ટાઈમ ટેબલ પણ આપી દીધું છે. અને ટાઈમ ટેબલ મુજબ સમયયાંતરે એકમ કસોટી યોજવામાં આવી રહી છે. પરંતુ  હજુ સુધી એકમ કસોટીના જવાબ લખવા માટેની નોટબુક યાને લેખન પોથી રાજ્યની મોટાભાગની પ્રાથમિક સ્કૂલોને આપવામાં આવી નથી.

ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ થયાને બે માસ જેટલો સમય થયો છે. રાજ્યના શિક્ષણ વિભાગે સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતાં બાળકોની એકમ કસોટીનું ટાઈમટેબલ તો વર્ષની શરૂઆતમાં જ તમામ સ્કૂલોને આપી દીધું છે. પણ એકમ કસોટીના ઉત્તરો લખવા માટેની નોટબુક હજુ સુધી ગુજરાતની મોટાભાગની સ્કૂલોને મળેલી નથી. અગાઉ દર શનિવારે માત્ર એક જ વિષયની એકમ કસોટી લેવામાં આવતી હતી, પણ ચાલુ વર્ષથી અમુક અમુક દિવસોએ તો એક જ ધોરણમાં એક જ દિવસે બે વિષયની એકમ કસોટી લેવાની યોજવાની સુચના આપવામાં આવી છે.

પ્રાથમિક શાળાના શિક્ષકોના કહેવા મુજબ  શાળાઓમાં એકમ કસોટીની નોટબુક ન હોવાને કારણે વિદ્યાર્થીઓએ રફબુકમાં કે પછી છૂટક પેઈજમાં એકમ કસોટીના ઉત્તરો લખવા પડે છે. અત્યારે 97 લાખથી વધુ બાળકો સરકારી પ્રાથમિક સ્કૂલમાં અભ્યાસ કરે છે. પ્રત્યેક બાળક માટે એકમ કસોટીની નોટબુક છાપવાનો ખર્ચ તો સરકાર કરે જ છે. એમાંય નોટબુક મોડી પહોંચે એટલે આ નોટબુકના કુલ ખર્ચનો અમુક હિસ્સો વ્યર્થ જાય છે અને નોટબુકની ગેરહાજરીમાં કસોટી લેવાને કારણે સ્કૂલને વિકાસના કામો માટે મળેલી ગ્રાંટના પૈસા સ્કૂલે એકમ કસોટી પાછળ વાપરવા પડતા હોય છે. આ અંગે સંબંધિત અધિકારીઓને રજુઆત કરવા છતાયે લેખન પોથી આપવામાં આવતી નથી.

શિક્ષકોએ ઉમેર્યું હતું કે, શાળાઓમાં  કસોટી લઈ લેવા માત્રથી વાત પૂરી થઇ જતી નથી. કસોટી બાદ પણ શિક્ષકોએ ઉપચારાત્મક કાર્ય, પુન:કસોટી, માર્કસની ઓનલાઈન એન્ટ્રી, કસોટીમાં ગેરહાજર બાળકોનો વાલી-સંપર્ક, વગેરે જેવી અનેક કામગીરીઓ કરવાની હોય છે. આ તમામ બાબતોને કારણે વિધાર્થીઓના અભ્યાસ ઉપર અસર પડે છે. આ ઉપરાંત બે મહિનામાં આવેલા અસંખ્ય કાર્યક્રમોને કારણે, ફેરબદલી કેમ્પોને કારણે અને શિક્ષકોની અછતને કારણે ઘણી બધી સ્કૂલોમાં શિક્ષકોને એકમ કસોટીના ટાઈમટેબલ અનુસાર અભ્યાસક્રમ પૂરો કરવાનો સમય જ નથી મળ્યો. તો પૂરતાં શિક્ષકો આપ્યા વિના અને પૂરતો અભ્યાસક્રમ ચલાવવાનો સમય આપ્યા વિના બાળકોની કસોટી લઈને શું ફાયદો થશે?

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code