1. Home
  2. ગુજરાતી
  3. ચીન આવતા મહિનાથી આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે ‘ક્વોરેન્ટાઇન’ ખત્મ કરશે
ચીન આવતા મહિનાથી આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે ‘ક્વોરેન્ટાઇન’ ખત્મ કરશે

ચીન આવતા મહિનાથી આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે ‘ક્વોરેન્ટાઇન’ ખત્મ કરશે

0
Social Share
  • ચીનમાં કોરોનાથી હાલ-બેહાલ
  • ચીને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પરનો પ્રતિબંધ હટાવ્યો
  • મુસાફરોને ક્વોરેન્ટાઇન કરવામાં આવશે નહીં

દિલ્હી:ચીનમાં કોરોનાથી હાલ બેહાલ છે.જ્યાં ચીનમાં કોરોનાના વધી રહેલા કેસોને કારણે વિશ્વભરમાં ચિંતાનો માહોલ છે.બીજી તરફ ચીને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પરનો પ્રતિબંધ હટાવવાની જાહેરાત કરી છે.એટલું જ નહીં,ચીનના નેશનલ હેલ્થ કમિશને જાહેરાત કરી છે કે,8 જાન્યુઆરીથી વિદેશથી આવતા મુસાફરોને ક્વોરેન્ટાઈન કરવામાં આવશે નહીં.

ભારે વિરોધને કારણે ચીનની સરકારે તાજેતરમાં ઝીરો કોવિડ પોલિસીમાંથી મુક્તિ આપી હતી. ત્યારથી સમગ્ર વિશ્વની ચિંતા વધી ગઈ છે.ચીનના નેશનલ હેલ્થ કમિશને સોમવારે જ કહ્યું છે કે,8 જાન્યુઆરી, 2023થી ચીન આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે ‘ક્વોરેન્ટાઇન’ની જરૂરિયાતને ખતમ કરી દેશે.

આદેશ મુજબ, બહારથી આવતા મુસાફરોએ હજુ પણ ચીનમાં પ્રવેશતા પહેલા 48 કલાક સુધી પીસીઆર ટેસ્ટ રિપોર્ટ બતાવવો પડશે.ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સંસર્ગનિષેધ કાયદા અનુસાર, આવનારા મુસાફરો અને માલસામાન સામે ચેપી રોગના સંસર્ગનિષેધ નિયમો લાગુ કરવામાં આવશે નહીં.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code