1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતભરની ધો.6થી8ની શાળાઓમાં શિક્ષણનો પ્રારંભઃ વિદ્યાર્થીઓના કોલાહલથી શાળાના કેમ્પસ ગુંજી ઊઠ્યા
ગુજરાતભરની ધો.6થી8ની શાળાઓમાં શિક્ષણનો પ્રારંભઃ વિદ્યાર્થીઓના કોલાહલથી શાળાના કેમ્પસ ગુંજી ઊઠ્યા

ગુજરાતભરની ધો.6થી8ની શાળાઓમાં શિક્ષણનો પ્રારંભઃ વિદ્યાર્થીઓના કોલાહલથી શાળાના કેમ્પસ ગુંજી ઊઠ્યા

0
Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ ઘટતા ધો. 9થી12ની શાળાઓ અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણને મંજુરી આપ્યા બાદ ધો.6થી 8ની શાળાઓને પણ મંજુરીઅપાતા આજે તા.2જી સપ્ટેમ્બરથી ધો. 6થી8ની શાળાઓમાં ઓફલાઈન શિક્ષણનો પ્રારંભ થઈ ગયો છે. મોટાભાગની શાળાઓમાં  શિક્ષકો અને આચાર્યોએ વિદ્યાર્થીઓનું ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું છે. નિયમોનું પાલન કરવા માટે સૂચના આપી છે. શાળાઓના ગેટ પરથી લઈને વર્ગ ખંડ સુધી વિદ્યાર્થીઓ માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી. લાંબા સમય બાદ વિદ્યાર્થીઓ પોતાના સહાધ્યાયીને મળીને ખૂશખૂશાલ જોવા મળ્યા હતા.

કોરોના મહામારીની શિક્ષણ પર સૌથી મોટી અસર પડી છે. પહેલી લહેર ઓછી થતાં શાળાઓ શરૂ કરાઈ હતી, પરંતુ થોડા સમયમાં જ ઘાતક નીવડેલી બીજી લહેર શરૂ થતાં સ્કૂલો ફરીવાર બંધ કરી દેવામાં આવી હતી. સૌથી પહેલા સરકારે ધોરણ 12 અને 9થી 11ની સ્કૂલો શરૂ કરી હતી. હવે આજથી ધોરણ 6થી 8ની સ્કૂલો શરૂ કરવામાં આવી છે. ઓફલાઈન વર્ગ શરૂ થતાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

રાજ્યભરમાં આજથી સ્કૂલોમાં 6થી 8ના વર્ગ શરૂ કરવામાં આવ્યા છે. બાળકો મરજિયાત રીતે વર્ગમાં આવી શકશે. સ્કૂલે આવવા વાલીની સંમતિપત્ર પણ ફરજિયાત રાખવામાં આવ્યો છે. જે બાળકો ઓફલાઈન ભણવા ના ઈચ્છતા હોય તેમના માટે ઓનલાઇન શિક્ષણ ચાલુ જ રાખવામાં આવશે.  ધો. 6થી8ની શાળાઓમાં આજે  શિક્ષકો અને આચાર્યોએ વિદ્યાર્થીઓનું ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું હતું. અને વિદ્યાર્થીઓને  નિયમોનું પાલન કરવા માટે સૂચના આપી હતી. સ્કૂલના ગેટ પરથી લઈને વર્ગ ખંડ સુધી વિદ્યાર્થીઓ માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ અંગે સ્કૂલના આચાર્ય વિષ્ણુભાઈ પટેલે જણાવ્યું હતું કે સરકારના નિયમોના પાલન સાથે આજથી સ્કૂલો ફરીથી શરૂ કરવામાં આવી છે. વર્ગખંડ સુધી વિદ્યાર્થીઓ ભેગા ના થાય એ માટે શિક્ષકોને સૂચના આપવામાં આવી છે. વાલીઓને અગાઉથી જ પોતાના બાળકને નાસ્તા અને પાણીની બોટલ સાથે મોકલવા જણાવવામાં આવ્યું હતું, જેથી એકબીજાના પાણીનો ઉપયોગ તેઓ ના કરે. રિસેસ દરમિયાન પણ ભેગા ના થવું અને સ્કૂલ છૂટે ત્યારે પણ ભેગા ના થાય એની તકેદારી રાખવામાં આવશે. આજે 50 ટકા સંખ્યા બોલાવી, એમાંથી 40 ટકા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. ધો. 6થી8ના વિદ્યાર્થીઓ દોઢ વર્ષ બાદ વિદ્યાર્થીઓ સ્કૂલમાં આવ્યા હોવાથી વિદ્યાર્થીઓના કાલાહલથી શાળાઓનું કેમ્પસ ગુંજી ઊઠ્યું હતું.  વિદ્યાર્થીઓ જેટલો જ ઉત્સાહ  શિક્ષકોમાં પણ જોવા મળ્યો હતો.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code