1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદ અને સાબરમતીથી પટના વચ્ચે સ્પેશ્યલ બે ટ્રેનોનો પ્રારંભ, 25મી જુન સુધી ટ્રેન 22 ફેરા કરશે
અમદાવાદ અને સાબરમતીથી પટના વચ્ચે સ્પેશ્યલ બે ટ્રેનોનો પ્રારંભ, 25મી જુન સુધી ટ્રેન 22 ફેરા કરશે

અમદાવાદ અને સાબરમતીથી પટના વચ્ચે સ્પેશ્યલ બે ટ્રેનોનો પ્રારંભ, 25મી જુન સુધી ટ્રેન 22 ફેરા કરશે

0
Social Share

અમદાવાદઃ  પશ્ચિમ રેલવે દ્વારા ઉનાળાના વેકેશનના ટ્રાફિકને પહોંચી વળવા માટે સાબરમતી-પટના અને અમદાવાદ-પટના વચ્ચે બે સાપ્તાહિક વિશેષ ટ્રેનો વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લીધો છે. જેમાં ટ્રેન નંબર 09405/09406 સાબરમતી-પટના-સાબરમતી સ્પેશિયલ કુલ 22 ફેરા કરવામાં આવશે. ટ્રેન નંબર 09405 સાબરમતી-પટના સ્પેશિયલ 25 જૂન 2024 સુધી દર મંગળવારે સાબરમતીથી 18:10 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 02:00 કલાકે પટના પહોંચશે.

પશ્વિમ રેલવેના સૂત્રોના જણાવ્યા મુજબ ઉનાળાના વેકેશનના ટ્રાફિકને પહોંચી વળવા માટે સાબરમતી-પટના અને અમદાવાદ-પટના વચ્ચે બે સાપ્તાહિક વિશેષ ટ્રેનો વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લીધો છે. ટ્રેન નંબર 09406 પટના-સાબરમતી સ્પેશિયલ ટ્રેન 27 જૂન 2024 સુધી દર ગુરુવારે પટનાથી 05:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 13:30 કલાકે સાબરમતી પહોંચશે. માર્ગમાં બંને દિશામાં આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુ રોડ, અજમેર, ફુલેરા, જયપુર, બાંદીકુઇ, ભરતપુર, અછનેરા, આગ્રા ફોર્ટ, ટુંડલા, કાનપુર સેન્ટ્રલ, લખનૌ, સુલતાનપુર, વારાણસી, પંડિત દીનદયાલ ઉપાધ્યાય, બક્સર અને આરા સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં થર્ડ એસીનો એક કોચ, સ્લીપર ક્લાસના 08 કોચ અને જનરલ ક્લાસના 10 કોચ રહેશે.

આ ઉપરાત ટ્રેન નંબર 09493/09494 અમદાવાદ-પટના-અમદાવાદ સ્પેશિયલ (કુલ 22 ફેરા)ટ્રેન નંબર 09493 અમદાવાદ-પટના સ્પેશિયલ 21 એપ્રિલ 2024 થી 30 જૂન 2024 સુધી દર રવિવારે અમદાવાદથી 16:35 કલાકે ઉપડશે અને બીજા દિવસે 22:45 કલાકે પટના પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 09494 પટના-અમદાવાદ સ્પેશિયલ 23 એપ્રિલ 2024 થી 02 જુલાઈ 2024 સુધી દર મંગળવારે પટનાથી 01:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 07:10 કલાકે અમદાવાદ પહોંચશે. માર્ગમાં બંને દિશામાં ટ્રેન નડિયાદ, છાયાપુરી, રતલામ, ઉજ્જૈન, સંત હિરદારામ નગર, બીના, દમોહ, કટની મુરવાડા, સતના, માણિકપુર, પ્રયાગરાજ, છિવકી, પં. દીન દયાલ ઉપાધ્યાય, બક્સર અને આરા સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર ક્લાસ અને જનરલ ક્લાસના કોચ રહેશે. ટ્રેનના પરિચાલન સમય, સ્ટોપેજ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code