1. Home
  2. ગુજરાતી
  3. જન્માષ્ટમીની વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશવાસીઓને પાઠવી શુભકામનાઓ
જન્માષ્ટમીની વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશવાસીઓને પાઠવી શુભકામનાઓ

જન્માષ્ટમીની વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશવાસીઓને પાઠવી શુભકામનાઓ

0
Social Share

દિલ્હીઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભગવાન શ્રીકૃષ્ણજીના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. તેમજ વિવિધ કૃષ્ણ મંદિરોને રોશનીથી શણગારવામાં આવ્યાં છે. આ ઉપરાંત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ મોદીએ દેશની જનતાને જન્માષ્ટ્રમીની શુભકામનાઓ પાઠવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જન્માષ્ટ્રમીની શુભકામના પાછવતા ટ્વીટ કર્યું હતું કે, આપ સભી કો જન્માષ્ટ્રમીની ખુબ શુભકામનાઓ, જય શ્રીકૃષ્ણ. આ ઉપરાંત અનેક રાજકીય નેતાઓએ જન્માષ્ટ્રમીને લઈને દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સહિત સમગ્ર દેશમાં ભગવાન શ્રીકૃષ્ણના મંદિરોમાં આજે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. બીજી તરફ વહેલી સવારથી જ મંદિરોમાં ભક્તો દર્શન કરવા ઉમટી પડ્યાં હતા. આજે સમગ્ર દેશ કૃષ્ણ મય બન્યો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code