
મહારાષ્ટ્રમાં ફરી હનુમાન ચાલીસા અને અઝાન પર વિવાદ – લાઉડ સ્પિકર પર હનુમાન ચાલીસા વગાડવાની ઘટના
- મહારાષ્ટ્રમાં ફરી હનુમાન ચાલીસા અને અઝાન પર વિવાદ
- લાઉડ સ્પિકર હનુમાન ચાલીસા વગાડવાના મામલા સામે આવ્યા
મુંબઈઃ- છેલ્લા ઘણા સમયથી મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકર પર અજાન મામલે વિવાદ સર્જાય રહ્યો છે ત્યારે આ મુદ્દો સતત વધતો જ જઈ રહ્યો છએ આવી સ્થિતિમાં ફરી એક વખત અઝાન અને હનુમાન ચાલીસાનો વિવાદ વકરતો જોવા મળ્યો છે
પ્રાપ્ત જાણકારી પ્રામણે મુંબઈના ચારકોપ અને ચાંદીવલી વિસ્તારમાં અજાનના જવાબમાં લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસા વગાડવાનો મામલો સામે આવ્યો છે, જ્યાં બુધવારે સવારે મસ્જિદની સામે મોટા અવાજમાં હનુમાન ચાલીસા વગાડવામાં આવી હતી. આ સિવાય નવી મુંબઈના નેરુલ, થાણેના મુંબ્રા વિસ્તારમાં અને નાસિકમાં પણ હનુમાન ચાલીસા વગાડવાનો મામલો સામે આવ્યો છે. આ પછી, પોલીસ કાર્યવાહીના ભાગરૂપે, મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં MNS કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે વિતેલા દિવસ મંગળવારે મુંબઈ પોલીસે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનના વડા રાજ ઠાકરેને CrPCની કલમ 149 હેઠળ કોઈપણ વિવાદને રોકવા માટે નોટિસ પાઠવી હતી. જો કે, MNS કાર્યકર્તાઓ પર પોલીસની નોટિસની પણ અસર થઈ નથી અને મુંબઈના ચારકોપ વિસ્તારમાં લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસા વગાડવાનો મામલો સામે આવ્યો છે.
આ સિવાય મુંબઈના ચાંદીવલી વિસ્તારમાં બુધવારે સવારે અજાનના જવાબમાં હનુમાન ચાલીસા વગાડવામાં આવી હતી.MNSના વડા રાજ ઠાકરેએ એક ખુલ્લો પત્ર જારી કરીને લોકોને બુધવારે જ્યાં પણ લાઉડસ્પીકર પર ‘અઝાન’ સંભળાય ત્યાં લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસા વગાડવા વિનંતી કરી હતી. પત્રમાં તેણે લોકોને અઝાનનો અવાજ સાંભળીને 100 ડાયલ કરીને પોલીસમાં ફરિયાદ નોંધાવવા પણ કહ્યું હતું. આ પછી જ સાવચેતીના ભાગરૂપે પોલીસે નોટિસ જાહેર કરી હતી.