 
                                    મુંબઈમાં પ્રખ્યાત ‘લાલબાગના રાજા’ને જોવા ભીડ ઉમટી,તમે પણ કરો દર્શન
મુંબઈ :ગણેશ ચતુર્થી પહેલા સોમવારે મુંબઈમાં લાલબાગચા રાજાની પ્રથમ ઝલક જોવા મળી હતી. દર વર્ષે હજારો લોકો લાલબાગચાની મુલાકાતે આવે છે.સોમવારે સાંજે 7 કલાકે લાલબાગ કે રાજાની પ્રથમ ઝલક જાહેર કરવામાં આવી હતી. આ પ્રસંગે ગણેશ ભક્તોએ ગણપતિ બાપ્પા મોર્યાના નારા લગાવીને ગણેશજીનું સ્વાગત કર્યું હતું.
લાલબાગના રાજાની પ્રથમ ઝલક મળતા ભગવાન ગણેશના ભક્તો ઉત્સાહથી ઉમટી પડ્યા હતા. મુંબઈના સૌથી પ્રખ્યાત ‘લાલબાગના રાજા’એ સામાન્ય લોકોને દર્શન આપ્યા. ગયા વર્ષે કોરોનાને કારણે માત્ર ઓનલાઈન દર્શનની મંજૂરી આપવામાં આવી હતી.
આ વર્ષે મહારાષ્ટ્રમાં ગણેશોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવનાર છે કારણ કે રાજ્ય સરકારે તમામ કોરોના નિયંત્રણો પાછા ખેંચી લીધા છે. તે જ સમયે, આ વર્ષે ગણેશ મંડળોને શોભાયાત્રાની મંજૂરી આપવામાં આવી છે.
31મી ઓગસ્ટે ગણેશ ચતુર્થીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે અને તેના માટે મુંબઈ સહિત તમામ ગણેશ મંડળોએ ખાસ તૈયારીઓ કરી છે. મુંબઈના લાલબાગના રાજા નવસાલા પવન બાપ્પા તરીકે ઓળખાય છે.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

