1. Home
  2. ગુજરાતી
  3. મધ્યપ્રદેશના ખરગોનમાં 2 અને 3 મેના રોજ કર્ફ્યૂ લાગૂ -ઈદની નમાઝ ઘરમાં જ અદા કરાશે
મધ્યપ્રદેશના ખરગોનમાં 2 અને 3 મેના રોજ કર્ફ્યૂ લાગૂ -ઈદની નમાઝ ઘરમાં જ અદા કરાશે

મધ્યપ્રદેશના ખરગોનમાં 2 અને 3 મેના રોજ કર્ફ્યૂ લાગૂ -ઈદની નમાઝ ઘરમાં જ અદા કરાશે

0
Social Share
  • મધ્ય પ્રદેશમાં 2 અને 3 મેના રોજ કર્ફ્યૂ લાગૂ
  • ઈદની નમાઝ પણ ઘરોમાં જ અદા કરાશે

ભોપાલ– બે દિવસમાં રમજાન પુરો થવાનો છે અને દેશભરમાં ઊદનો તહેવાર મનાનવાઈ રહ્યો છે ત્યારે આવી સ્થિતિમાં મધ્યપ્રદેશના ખરગોનમાં 2 અને 3 મેના રોજ કર્ફ્યુ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના  નમાઝ પણ ઈદગાહમાં ન પઢતાસ ઘરોમાં જ પઢાશે,

પ્રાપ્ત જાણાકરી પ્રમાણે કર્ફ્યૂના કારણે આ વખતે ઈદની નમાજ ઘરે જ અદા કરવામાં આવશે. એ પણ જણાવવામાં આવ્યું કે અક્ષય તૃતીયા અને પરશુરામ જયંતિ પર જિલ્લામાં કોઈ કાર્યક્રમ યોજવાની મંજૂરી આપવામાં આવશે નહીં.”

ઉલ્લેખનીય છે કે 10 એપ્રિલે રામ-નવમીની શોભાયાત્રા દરમિયાન પથ્થરમારાની ઘટના બાદ શહેરમાં અચાનક હિંસા ફાટી નીકળી હતી. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે વધુમાં જણાવ્યું હતું કે 1 મેના રોજ સવારે 8 થી સાંજના 5 વાગ્યા સુધી છૂટછાટ આપવામાં આવશે”આદેશ આપવામાં આવ્યો છે કે દુકાનો ખુલ્લી રહેશે અને પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને પાસ આપવામાં આવશે. જો કે, માંગ મુજબ નિર્ણય બદલી શકાય છે.”

આ સાથે જ કહેવામાં આવ્યું છે કે અક્ષય તૃતીયા અને પરશુરામ જયંતિ માટે પરવાનગી આપવામાં આવી નથી. જિલ્લા વહીવટીતંત્ર અને સમુદાય વચ્ચેની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, 10 એપ્રિલે મધ્યપ્રદેશના ખરગોનમાં રામ નવમીના શોભાયાત્રા દરમિયાન ફાટી નીકળેલી હિંસા બાદ ત્યાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code