1. Home
  2. ગુજરાતી
  3. એસ્ટ્રો
  4. સાયન્સ
  5. રસોડામાં ન રાખો આ વસ્તુઓ,બની શકે છે મુશ્કેલીનું કારણ
રસોડામાં ન રાખો આ વસ્તુઓ,બની શકે છે મુશ્કેલીનું કારણ

રસોડામાં ન રાખો આ વસ્તુઓ,બની શકે છે મુશ્કેલીનું કારણ

0
Social Share

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના દરેક ખૂણાનું ખૂબ મહત્વ છે.રસોડાને પણ ઘરનો મહત્વનો ભાગ માનવામાં આવે છે. તેથી સમય સમય પર રસોડાની સફાઈ કરવી પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.તેથી વાસ્તુ અનુસાર રસોડામાં કેટલીક વસ્તુઓ રાખવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે.આ વસ્તુઓ તમારા જીવનમાં મુશ્કેલી લાવી શકે છે.તો ચાલો જણાવી દઈએ કે,કેટલીક એવી વસ્તુઓ જે રસોડામાં ન રાખવી જોઈએ.

તૂટેલા વાસણો ન રાખવા

તૂટેલા વાસણો ક્યારેય રસોડામાં ન રાખવા જોઈએ.તેનાથી તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા વધી શકે છે.તેનાથી ઘરના લોકોની પ્રગતિ પર પણ અસર પડે છે.

સાવરણી

રસોડામાં સાવરણી ક્યારેય ન રાખવી જોઈએ, સાવરણીમાં ગંદકી હોય છે, તેથી તેને રસોડામાં રાખવાથી ગરબડ વધી શકે છે.રસોડામાં ઘરના સભ્યો માટે ભોજન પણ તૈયાર કરવામાં આવે છે. તેથી રસોડામાં સાવરણી રાખવાથી ઘરના સભ્યોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.

કાચ

વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં અરીસો ક્યારેય ન રાખવો જોઈએ.અરીસો રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે અને ઘરમાં કલહનું વાતાવરણ પણ બની શકે છે.

એલ્યુમિનિયમના વાસણો

ઘરમાં ક્યારેય એલ્યુમિનિયમના વાસણો ન રાખો.એવું માનવામાં આવે છે કે,આ ધાતુના વાસણો રાખવાથી ત્વચા અને અનેક રોગોની સમસ્યા વધી જાય છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code