1. Home
  2. ગુજરાતી
  3. શું તમને સુંદરકાંડનું અદભૂત સત્ય ખબર છે? જાણો
શું તમને સુંદરકાંડનું અદભૂત સત્ય ખબર છે? જાણો

શું તમને સુંદરકાંડનું અદભૂત સત્ય ખબર છે? જાણો

0
Social Share

સુંદરકાંડની જ્યારે વાત આવે ત્યારે લોકોના મનમાં પહેલો વિચાર આવે હનુમાન અને શ્રીરામ ભગવાનની કૃપા મેળવવાનો રસ્તો, તે વાતમાં કોઈ શંકા નથી કે જ્યારે પણ કોઈ વ્યક્તિ સુંદરકાંડનો પાઠ કરે ત્યારે તેના અનેક પ્રકારના દુ:ખ દુર થઈ જાય છે અને તેના જીવનમાં શાંતિની પણ અનુભુતિ થાય છે.

આ ઉપરાંત જો વાત કરવામાં આવે સુંદરકાંડના અદભૂત સત્ય વિશેની તો સુંદરકાંડમાં હનુમાનજીના લંકા પ્રસ્થાન, લંકાદહનથી લઈને લંકાથી પરત આવવા સુધીની વિશેષ ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સંપૂર્ણ રામાયણ કથા શ્રીરામનાં ગુણો અને તેમના પુરુષાર્થને દર્શાવે છે. પરંતુ સુંદરકાંડ એકમાત્ર એવો અધ્યાય છે જેમાં ફક્ત હનુમાનજીની શક્તિ અને વિજયની ગૌરવગાથા છે.

કહેવામાં આવે છે કે સુંદરકાંડની આ ચોપાઈઓનો એક મંત્રની જેમ પ્રયોગ કરવાથી હનુમાનજી ભક્તોનાં બધા જ કષ્ટ પણ દૂર કરી દે છે. હનુમાનજી તેમના ભક્તોની તમામ મનોકામનાની પૂર્તિ કરે છે.

માન્યતા છે કે મંગળવાર અથવા શનિવારના દિવસે હનુમાનજીની વિશેષ પૂજા પાઠ કરવાથી વિશેષ લાભની પ્રાપ્તિ થાય છે. મંગળદોષથી પીડિત વ્યક્તિઓએ મંગળવાર અને શનિવારનું વ્રત કરવાની સાથોસાથ સુંદરકાંડના પાઠ કરવા જોઈએ તથા વિશેષ કરીને હનુમાન ચાલીસાનાં પાઠનું વાંચન કરવું જોઈએ. શ્રી હનુમાનજીની કૃપાથી મંગળદોષની સાથે જીવનની બધી જ સમસ્યાઓ દૂર થઈ જવાની માન્યતા છે.

ઉલ્લેખનીય છે કે આ લેખ માન્યતાને આધારે તૈયાર કરવામાં આવ્યો છે અને તેની કોઈ પૃષ્ટિ કરવામાં આવતી નથી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code