
અમદાવાદ એરપોર્ટ પર ડોમેસ્ટીક ટ્રાફિકમાં વધારો, જમ્મુ, જેસલમેર સહિત નવી આઠ ફ્લાઈટ શરૂ થઈ
અમદાવાદઃ શહેરના સરદાર વલ્લાભભાઈ પટેલ ડોમેસ્ટીક અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પ્રવાસીઓનો ધસારો વધી રહ્યો છે. દિવાળીના તહેવારો દરમિયાન તો પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી હતી. દરમિયાન ડોમેસ્ટીક પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે નવી આઠ ફ્લાઈટ શરૂ કરવામાં આવી છે. વિન્ટર શિડ્યુલમાં અમદાવાદ એરપોર્ટ પરથી ડોમેસ્ટિક સેક્ટરની જમ્મુ, જેસલમેર, રાંચી, બેંગલુરુ સહિતની નવી 8 ફ્લાઈટ શરૂ કરાઈ છે અને એક ફ્લાઈટ બંધ કરાઈ છે. જયારે બે આંતરરાષ્ટ્રીય રૂટમાં ફ્રિકવન્સી વધારાઈ છે. અનેક ફ્લાઇટોના સમયમાં 10 થી 15 મિનિટનો ફેરફાર કરાયો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદથી ઉપડતી ડોમેસ્ટીક ફ્લાઈટ્સના નવા રૂટ્સ વધારવામાં આવ્યા છે એરલાઈન્સોએ 23 ઓક્ટોબરથી 23 માર્ચ એમ 6 મહિના સુધીનું વિન્ટર શિડ્યૂલ જાહેર કર્યું છે. જેમાં ઈન્ડિગોની 4, સ્પાઇસ જેટની 2, ગો ફર્સ્ટ અને સ્ટાર એરની 1-1, ડોમેસ્ટિક સેક્ટરની 8 ફ્લાઈટ શરૂ કરાઈ છે. સ્પાઈસ જેટે અમદાવાદથી દેહરાદૂન ફ્લાઈટ સોમવારથી બંધ કરી છે. આ સેક્ટરમાં એરલાઈન કંપની બોમ્બર્ડિયર કયું 400 સિરીઝનું 89 સીટર એરક્રાફ્ટ ઓપરેટ કરાતું હતું. એર ઈન્ડિયા અમદાવાદથી નૈરોબી ફ્લાઈટ ત્રણને બદલે ચાર દિવસ તેમજ લંડન ફ્લાઈટ ત્રણને બદલે ચાર દિવસ ઓપરેટ થશે. વિસ્તારા અને અકાશાએ વિન્ટર શિડ્યુલમાં એક પણ નવી ફ્લાઈટ શરૂ કરી નથી કેમ કે થોડા દિવસ પહેલાં વિસ્તારાએ મુંબઇની નવી ત્રણ ફ્લાઇટ અને અકાશાએ દિલ્હી અને બેંગલુરુ ફ્લાઈટ શરૂ કરી હતી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, વિન્ટર શેડ્યૂલમાં અમદાવાદ એરપોર્ટ પરથી ડોમેસ્ટિક સેક્ટરની જમ્મુ, જેસલમેર, રાંચી, બેંગલુરુ સહિતની નવી 8 ફ્લાઈટ શરૂ કરાઈ છે અને એક ફ્લાઈટ બંધ કરાઈ છે, જ્યારે બે આંતરરાષ્ટ્રીય રૂટમાં ફ્રિકવન્સી વધારાઈ છે. અનેક ફ્લાઇટોના સમયમાં 10થી 15 મિનિટનો ફેરફાર કરાયો છે. એરલાઈન્સોએ 23 ઓક્ટોબરથી 23 માર્ચ એમ 6 મહિના સુધીનું વિન્ટર શેડ્યૂલ જાહેર કર્યું છે, જેમાં ઈન્ડિગોની 4, સ્પાઇસ જેટની 2, ગો ફર્સ્ટ અને સ્ટાર એરની 1-1, ડોમેસ્ટિક સેક્ટરની 8 ફ્લાઈટ શરૂ કરાઈ છે. સ્પાઈસ જેટે અમદાવાદથી દેહરાદૂન ફ્લાઈટ સોમવારથી બંધ કરી છે. આ સેક્ટરમાં એરલાઈન કંપની બોમ્બર્ડિયર ક્યુ 400 સિરીઝનું 89 સીટર એરક્રાફ્ટ ઓપરેટ કરાતું હતું. એર ઈન્ડિયા અમદાવાદથી નૈરોબી ફ્લાઈટ ત્રણને બદલે ચાર દિવસ તેમજ લંડન ફ્લાઈટ ત્રણને બદલે ચાર દિવસ ઓપરેટ થશે. વિસ્તારા અને અકાશાએ વિન્ટર શેડ્યૂલમાં એકપણ નવી ફ્લાઈટ શરૂ કરી નથી, કેમ કે થોડા દિવસ પહેલાં વિસ્તારાએ મુંબઇની નવી ત્રણ ફ્લાઇટ અને અકાશાએ દિલ્હી અને બેંગલુરુ ફ્લાઈટ શરૂ કરી હતી.
અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. રૂ. 4.66 કરોડના ખર્ચે નવા પેસેન્જર ટર્મિનલ માટે રોડ-વે પણ બનાવવામાં આવશે. અમદાવાદ એરપોર્ટ માસ્ટર પ્લાનના ભાગરૂપે પ્રસ્તાવિત અન્ય મુખ્ય પ્રોજેક્ટમાં નાણાકીય વર્ષ 2026 સુધીમાં રૂ. 72.86 કરોડના ખર્ચે નવા સબસ્ટેશન બિલ્ડિંગનું બાંધકામ સામેલ છે. અન્ય વિસ્તરણમાં રન-વેનું નવીનીકરણ, ટેક્સીવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એરસ્પેસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, અન્ય ઉપયોગિતાનાં કાર્યોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વર્ષો જૂનું એરટ્રાફિક કન્ટ્રોલર (એટીસી) નવું આકાર પામશે. એનું કારણ એ છે કે વધતા જતા એરટ્રાફિકનું સારી રીતે સંચાલન થઇ શકે એ માટે હાલના ટાવરથી ત્રણ ગણું ઊંચું ટાવર બનાવવાની જરૂરિયાત ઊભી થઈ છે. અમદાવાદનું નવું એટીસી ટાવર દિલ્હી, મુંબઇ, હૈદરાબાદ અને બેંગલુરુ પછી દેશના ટોપ ફાઇવ સૌથી મોટા એટીસીમાં સામેલ થશે. હાલ અમદાવાદ એરપોર્ટ પર 250 ફ્લાઈટનું સંચાલન થાય છે, જ્યારે વર્ષ 2025 સુધી પ્રતિદિન 350 ફ્લાઇટનાં સંચાલન કરવું પડશે, એટલે કે રોજની 100 ફ્લાઈટનો ટ્રાફિક વધી જશે. આમ, વાર્ષિક 1.68 કરોડ મુસાફરની અવરજવરને પહોંચી વળવા નવું ટાવર કાર્યન્વિત કરાશે. આ માટે રૂ. 180 કરોડનો ખર્ચનો અંદાજ હોવાનું એરપોર્ટનાં વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું છે.