1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં વધી રહેલા હાર્ટ એટેકના બનાવોને લીધે સરકારે નિષ્ણાંત તબીબોની કમિટી બનાવી
ગુજરાતમાં વધી રહેલા હાર્ટ એટેકના બનાવોને લીધે સરકારે નિષ્ણાંત તબીબોની કમિટી બનાવી

ગુજરાતમાં વધી રહેલા હાર્ટ એટેકના બનાવોને લીધે સરકારે નિષ્ણાંત તબીબોની કમિટી બનાવી

0
Social Share

અમદાવાદઃ  ગુજરાતમાં છેલ્લા મહિનાઓથી હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે. જેમાં યુવાનો પણ હાર્ટની બિમારીનો ભોગ બની રહ્યા છે. નવરાત્રી દરમિયાન પણ હાર્ટ એટેકના ઘણા બનાવો બન્યા હતા. દરમિયાન તાજેતરમાં ગુજરાતની મુલાકાતે આવેલા ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે પણ હાર્ટ એટેકના વધતા જતાં કેસ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. દરમિયાન બુધવારે મળેલી મંત્રી મંઢલની બેઠકમાં પણ આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. અને ત્યારબાદ હાર્ટ એટેકના બનાવો કેમ વધી રહ્યા છે. તે માટે તપાસ કરવા નિષ્ણાંત તબીબોની કમિટી બનાવી છે. જેમાં યુએન મહેતા તથા ખાનગી હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં હાર્ટ એટેકના બનાવોમાં યુવાનોના મોત થવાની ઘટનાઓ સતત પ્રકાશમાં આવી રહી છે. આ વખતે નવરાત્રિના નવ દિવસમાં જ હાર્ટ એટેકને કારણે 36 જેટલા લોકો મોતને ભેટ્યાં હતા. ત્યારે અમદાવાદ મેડિકલ એસોસિએશનના તબિબોએ પણ આ મુદ્દે રિસર્ચની માંગ કરી હતી. ત્યારે રાજ્ય સરકાર આ મામલે એક્શનમાં આવી છે. સરકારે તાત્કાલિક ધોરણે નિષ્ણાંત ડોક્ટરો સાથે ચર્ચા કરીને હાર્ટ એટેક આવવાનું કારણ શોધવા એક કમિટીની રચના કરી છે. જેમાં યુએન મહેતા તથા ખાનગી હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારે યુવાનોમાં વધી રહેલા હાર્ટ એટેકનું કારણ શોધવા નિષ્ણાંત ડોક્ટરોની કમિટી બનાવી છે. જેમાં યુએન મહેતા હોસ્પિટલના ડાયરેક્ટર ચિરાગ દોશીને કમિટીના હેડ બનાવવામાં આવ્યાં છે. તે ઉપરાંત આ કમિટીમાં ડો. જયેશ શાહ, ડો. ગજેન્દ્ર દુબે અને ડો. પૂજાબેનનો સમાવેશ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ કમિટી બનાવવા રાજ્ય સરકારે બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં નિર્ણય કર્યો હતો.હવે આ કમિટીમાં સમાવેશ કરવામાં આવેલા ડોક્ટરો દ્વારા યુવાનોમાં હાર્ટ એટેક આવવાનું અને તેનાથી મોત કેમ થઈ રહ્યાં છે તે અંગેનું એનાલિસિસ કરવામાં આવશે.

રાજ્ય સરકારના પ્રવક્તામંત્રી  કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્યમાં હાર્ટ એટેકના વધી રહેલા કેસથી સરકાર ચિંતિત છે. આ માટે સરકારે એક કમિટીની રચના કરી છે. હાલમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે, કોરોનાની વેક્સિનને લીધે યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે તે વાત બિલકુલ ખોટી છે. માત્ર ગુજરાતમાં જ નહીં પણ સમગ્ર દેશમાં આ પ્રકારના બનાવો વધ્યાં છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code