1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. હવે પ્રધ્યાપકોને મળશે સાતમાં પગાર પંચનો લાભ – શિક્ષણમંત્રી
હવે પ્રધ્યાપકોને મળશે સાતમાં પગાર પંચનો લાભ – શિક્ષણમંત્રી

હવે પ્રધ્યાપકોને મળશે સાતમાં પગાર પંચનો લાભ – શિક્ષણમંત્રી

0
Social Share

અમદાવાદ – રાજ્યમાં ઘણા લાંબા સમયથી સાતમાં પગાર પંચની વાત ચાલી રહી હતી, સતત સરકારી કર્મચારીઓ દ્વારા  આ પગાર પંચને લઈને અનેક ભલામણો કરવામાં આવતી હતી. જેને લઈને હવે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. યુનિ-સંલગ્ન શૈક્ષણિક સ્ટાફને હવે સાતમાં પગરાપંચનો લાભ મળે તેવા શક્યતાઓ પુરેપુરી સેવાઈ રહી છે.

આ સમગ્ર મામલે રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ રાજ્યનાં યુનિ-સંલગ્ન શૈક્ષણિક સ્ટાફ માટે મોટી ઘોષણા કરી છે, તેમણે જાહેરત કરીને જણાવ્યું હતું કે, યુનિ-સંલગ્ન શૈક્ષણિક સ્ટાફને હવે સાતમાં પગરાપંચનો લાભ આપવામાં આવશે

તેમણે કહ્યું હતું કે ,એરિયર્સના પ્રથમ હપ્તાના 50 ટકા હાલ સાતમાં પગારપંચનો લાભ અપવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, ઉલ્લેખનીય છે કે આ મામલે અનેક આંદોલનો થયો હતો અને સતત પગારપંચનો લાભ આપવાની વાત કર્મચારીઓ થકી સરકારને રજુઆત કરવામાં આવી રહી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code