1. Home
  2. ગુજરાતી
  3. જાણીતા સિંગર-કમ્પોઝર બપ્પીદાનો દેહ પંચતત્વમાં વિલીન – સૌ કોઈની આંખો થઈ નમ
જાણીતા સિંગર-કમ્પોઝર બપ્પીદાનો દેહ પંચતત્વમાં વિલીન – સૌ કોઈની આંખો થઈ નમ

જાણીતા સિંગર-કમ્પોઝર બપ્પીદાનો દેહ પંચતત્વમાં વિલીન – સૌ કોઈની આંખો થઈ નમ

0
Social Share
  • વિતેલી કાલે ગોલ્ડ મેન બપ્પી લહેરીનું નિઘન થયું હતું
  • આજે સવારે બપ્પીદાનો દેહ પંચતત્વમાં વિલીન થયો
  • બી-ટાઉનના શોકનો માહોલ
  • પુત્ર બપ્પાએ આપ્યો અગ્નિદાહ
  • ઉપસ્થિત સૌ કોઈની આંખો નમ થઈ

મુંબઈઃ- બોલિવૂડના ગોલ્ડમેનથી જાણીતા બનેલા મશહૂર સિંગર અને કમ્પોઝર બપ્પી લહેરનું 69 વર્ષની વયે વિતેલા દિવસને બુધવારની સવારે અવસાન થયું હતું ત્યારે આજ રોજ તેમનો દેહ પંચતત્વમાં વિલીન થયો છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે ગાયક બપ્પીદા અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. મુંબઈના વિલે પાર્લે વિસ્તારમાં સ્થિત પવન હંસ સ્મશાનગૃહમાં બપ્પી દાને અંતિમ વિદાય આપવામાં આવી હતી. પુત્ર બપ્પાએ બપ્પી દાને અગ્નિ  પ્રગટાવીને વિધી પુરી કરી હતી.

બોલિવૂડની બસ્તીઓ જેમાં કુમાર સાનુ, મીકા સિંહ, અભિજીત ભટ્ટાચાર્ય, અલકા યાજ્ઞિક, ભૂષણ કુમાર, શક્તિ કપૂર અને વિદ્યા બાલન સહિત ઘણા સ્ટાર્સ આજે પવન હંસ સ્મશાન ગૃહમાં બપ્પી દાને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.

બપ્પીદાના અંતિમ સંસ્કાર સમયે ત્યા ઉપસ્થિત સૌ કોઈની આંખો નમ થઈ હતી,તેમના અવસાનથી સમગ્ર દેશમાં અને બી ટાઉનમાં શોકનો માહોલ છવાયો  છે, બપ્પીદાના ચાલ્યા જવાથી સિંગર જગતમાં મોટી ખોટ વર્તાઈ છે અનેક લોકો તેમને શ્રદ્ધાજલી આપી રહ્યા છે, સૌ કોઈ તેમના સાથે વિતાલેવી ક્ષણો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ભાવુક થઈ રહ્યા છે,

ઉલ્લેખનીય છે કે બપ્પીદાની  મંગળવારે તબિયત લથડતા તેઓને  ફરીથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બપ્પી દાએ હોસ્પિટલમાં જ સારવાર દરમિયાન દુનિયાને અલવિદા કહ્યું હતું. ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા નામની બીમારીને કારણે બપ્પી લહેરીનું નિધન થવા પામ્યું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code