1. Home
  2. ગુજરાતી
  3. હરિયાણા સરકારને સુપ્રીમમાંથી મળી રાહત, પ્રાઈવેટ સેક્ટરમાં સ્થાનિકો માટે 75 ટકા ક્વોટા યથાવત રહેશે
હરિયાણા સરકારને સુપ્રીમમાંથી મળી રાહત, પ્રાઈવેટ સેક્ટરમાં સ્થાનિકો માટે 75 ટકા ક્વોટા યથાવત રહેશે

હરિયાણા સરકારને સુપ્રીમમાંથી મળી રાહત, પ્રાઈવેટ સેક્ટરમાં સ્થાનિકો માટે 75 ટકા ક્વોટા યથાવત રહેશે

0
Social Share

નવી દિલ્હીઃ હરિયાણાના સ્થાનિકોને ખાનગી ક્ષેત્રની નોકરીઓમાં 75 ટકા ક્વોટાના કિસ્સામાં સુપ્રીમ કોર્ટે કાયદા પર વચગાળાનો સ્ટે મૂકવાના હાઈકોર્ટના નિર્ણયને રદ કર્યો છે. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટને ચાર અઠવાડિયામાં આ મામલે નિર્ણય લેવા માટે કહેવામાં આવ્યું છે. કોર્ટે કાયદા હેઠળ ક્વોટા ન આપવા બદલ કંપનીઓ સામે કડક કાર્યવાહી પર પણ સ્ટે આપ્યો છે. કોર્ટે કહ્યું કે વચગાળાના સ્ટેના નિર્ણયમાં હાઈકોર્ટે કારણો આપ્યા નથી.

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું કે આ કેસ ચાર રાજ્યો આંધ્ર પ્રદેશ, ઝારખંડ, મહારાષ્ટ્ર અને હરિયાણાના છે. આંધ્રમાં કોઈ સ્ટે નથી. ઝારખંડ અને મહારાષ્ટ્રમાં નિર્ણયને પડકારવામાં આવ્યો નથી. આ આરક્ષણ ત્રીજા અને ચોથા કેટેગરીની પોસ્ટ માટે છે. કોર્ટે એડમિશન વગેરેમાં ડોમિસાઈલને મંજૂરી આપી દીધી છે. આ રાજ્યોના કેસ સુપ્રીમ કોર્ટમાં પણ ટ્રાન્સફર થઈ શકે છે અથવા હાઈકોર્ટના સ્ટેના વચગાળાના આદેશ પર સ્ટે મૂકીને મામલો ફરીથી હાઈકોર્ટમાં સુનાવણી માટે મોકલી શકાય છે.

છેલ્લી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે આંધ્રપ્રદેશ અને ઝારખંડમાં લાગુ થતા કાયદાઓની માહિતી માંગી હતી. કોર્ટે કહ્યું હતું કે તેમની વિગતો કોર્ટને આપવામાં આવે, પછી તે નક્કી કરશે કે તમામ કેસની સુનાવણી એકસાથે થવી જોઈએ કે નહીં. સુનાવણી દરમિયાન જસ્ટિસ એલ નાગેશ્વર રાવે કહ્યું હતું કે અમે અખબારમાં વાંચ્યું છે કે આંધ્રપ્રદેશ અને ઝારખંડમાં પણ સમાન કાયદા બનાવવામાં આવ્યા છે. જેને સંબંધિત હાઈકોર્ટમાં પણ પડકારવામાં આવ્યો છે. હવે ત્રણ હાઈકોર્ટ આવા કાયદાઓની માન્યતા પર સુનાવણી કરી રહી છે. અમે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટને તમામ પક્ષકારોને સાંભળવા માટે કહી શકીએ છીએ, આ વચગાળાના આદેશ પર અમે શું કહી શકીએ.

હરિયાણા વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે અમે અન્ય રાજ્યોના કેસ શોધી કાઢીશું. આ પછી સુપ્રીમ કોર્ટને વિગતો આપવામાં આવશે. રાજ્યની ખટ્ટર સરકારે હરિયાણાના રહેવાસીઓ માટે ખાનગી ક્ષેત્રની નોકરીઓમાં 75 ટકા ક્વોટાના મામલે સુપ્રીમ કોર્ટનું શરણ લીધું છે. હરિયાણા સરકારે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના નિર્ણયને SCમાં પડકાર્યો છે.

હાઇકોર્ટે અનામત પર રોક લગાવી છે. હરિયાણા સરકારે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં કહ્યું છે કે હાઈકોર્ટે માત્ર એક મિનિટ અને 30 સેકન્ડની સુનાવણીમાં આ નિર્ણય સંભળાવ્યો. આ દરમિયાન રાજ્યના વકીલની સુનાવણી થઈ ન હતી. આ નિર્ણય કુદરતી ન્યાયની પણ વિરુદ્ધ છે. હાઈકોર્ટનો નિર્ણય ટકાઉ નથી અને તેને બાજુ પર મુકવો જોઈએ.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code