1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાંધીનગરની રચના માટે જમીન આપેલા 7 ગામના ખેડુતોએ પણ સરકાર સામે મોરચો માંડ્યો
ગાંધીનગરની રચના માટે જમીન આપેલા 7 ગામના ખેડુતોએ પણ સરકાર સામે મોરચો માંડ્યો

ગાંધીનગરની રચના માટે જમીન આપેલા 7 ગામના ખેડુતોએ પણ સરકાર સામે મોરચો માંડ્યો

0
Social Share

ગાંધીનગરઃ પાટનગર ગણાતા ગાંધીનગરની રચનાને વર્ષો વિતી ગયા છે. શહેરની રચના સમયે મહામૂલી જમીન આપનારા આસપાસના સાત ગામોના ગ્રામજનો પોતાના ગામના વિકાસ સહિતના પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્યમંત્રી સાથે બેઠક યોજ્યા બાદ પણ  પ્રશ્નોનું નિરાકણ નહીં આવતા શનિવારે ખેડૂતો દ્વારા ગાંધીનગરનાં ઈંદ્રોડા ગામે પ્રતિક ઉપવાસ અને ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતુ. મુખ્યમંત્રીના આદેશ બાદ પણ હજી સુધી સાત ગામોમાં શહેર સમકક્ષ સુવિધાઓ પહોંચી નથી અને તેમના પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી. જેના પગલે અસરગ્રસ્ત ખેડૂતોએ સરકાર સામે મોરચો માંડયો છે

સૂત્રોના જણાવ્યા મુજબ પાટનગર ગાંધીનગર શહેરની રચના કરવામાં આવી ત્યારે આસપાસના પાલજ, બાસણ, બોરીજ ઇન્દ્રોડા, ધોળાકુવા, આદીવાડા, ફતેપુરા ગામોની મહામુલી જમીન સંપાદિત કરીને ગાંધીનગર શહેરને વસાવામાં આવ્યું હતું. સાતે ય ગામના અસરગ્રસ્ત ખેડૂતો છેલ્લા ઘણા વર્ષોથી તેમની પડતર માગણીઓ સંદર્ભે ગાંધીનગરમાં વિવિધ અધિકારીઓને રજૂઆત કરતા આવ્યા છે, પરંતુ તેમનું કોઈ સાંભળવા તૈયાર નથી. ત્રણ મહિના અગાઉ રાજ્યના મુખ્યમંત્રીએ આ અસરગ્રસ્ત ખેડૂતો સાથે બેઠક કરી હતી અને તેમના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે માર્ગ મકાન વિભાગ તેમજ અન્ય અધિકારી, કર્મચારીઓને સૂચના આપી હતી. આ ગ્રામ્ય વિસ્તારમાં સરકાર ગેરકાયદેસર ગણી રહી છે તેવા બાંધકામોને મંજૂર કરવા તેમજ શહેર સમકક્ષ સુવિધાઓ આ ગામોમાં આપવા માટે મુખ્ય માગણી હતી. જોકે મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ પણ છેલ્લા ત્રણ મહિનાથી ગ્રામજનોના પ્રશ્નો સંદર્ભે કોઈ જ ગતિવિધિ શરૂ કરવામાં આવી નથી. જેના પગલે ખેડૂતોએ હવે ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાનું નક્કી કર્યું છે અને ગાંધીનગરમાં પ્રતિક ઉપવાસ તેમજ ધરણા કરીને સરકાર સામે લડી લેવાનું નક્કી કર્યું હતું .

ગાંધીનગરમાં  ઈન્દ્રોડા ગામે સાત ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ  શનીવારે ધરણા પ્રદર્શન યોજ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થઈ પડતર પ્રશ્નો અંગે સત્વરે નિરાકરણ લાવવાની માંગ કરી રહ્યા છે. ઉલ્લેખનીય વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે ત્યારે ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠક માટે આ સાત ગામોના મતદારો અતિ મહત્વની ભૂમિકા ભજવી શકે તેમ છે ત્યારે સરકાર તેમને નારાજ કરે છે કે શું તે જોવું રહ્યું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code