1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કચ્છના નાના રણમાં મીંઠુ પકવતા અગરિયાઓએ વન વિભાગ દ્વારા અપાતા કાર્ડનો કર્યો વિરોધ
કચ્છના નાના રણમાં મીંઠુ પકવતા અગરિયાઓએ વન વિભાગ દ્વારા અપાતા કાર્ડનો કર્યો વિરોધ

કચ્છના નાના રણમાં મીંઠુ પકવતા અગરિયાઓએ વન વિભાગ દ્વારા અપાતા કાર્ડનો કર્યો વિરોધ

0
Social Share

સુરેન્દ્રનગરઃ કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓને આગામી સિઝન ઓક્ટોબર માસથી રણમાં જઇ મીઠું પકવવા માટે વન વિભાગ દ્વારા અગરિયા કાર્ડ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે કચ્છનું નાનું રણ વાઇલ્ડ એસ સેન્ચુરી હોવાથી સર્વે એન્ડ સેટલમેન્ટની એક દાયકા પછીની લાંબી પ્રોસિઝર પછી જે અગરિયાઓના નામની યાદી સર્વે એન્ડ સેટલમેન્ટ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. તેમાં નેવું ટકા જેટલા અગરિયાઓના નામો નહીં હોવાથી કાર્ડ મળી શકે તેમ નથી આથી બુમરાણ ઉઠવા પામી છે. આ ઉપરાંત રણમાં મીઠું પકવતી વખતે વન વિભાગ દ્વારા આકરી શરતો લાદવામાં આવતા રોષે ભરાયેલા અગરિયાઓએ અગરિયા કાર્ડ લેવાનો બહિષ્કાર કરીને જિલ્લાના કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યા બાદ લડત શરૂ કરી છે.

કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓ અનેક યાતનાઓ વેઠીને પણ મીંઠુ એકત્ર કરતા હોય છે. અગરિયાઓ દ્વારા પકવવામાં આવતા મીઠાની ખારાશ કરતા પણ તેમનાં જીવનમાંથી તલભાર ઘટવાની ન હોય તેમ એક પછી એક હાલાકીઓ આવતી રહે છે. સર્વે અને સેટલમેન્ટ પ્રક્રિયા દરમિયાન મોટા ભાગના અગરિયાઓના નામ યાદીમાં આવ્યા ન હોવાના મુદે આ ઉપરાંત વન વિભાગ દ્વારા રણમાં મીઠું પકવતા અગરિયાઓ માટે આકરી શરતો લાદતા તેની સામે અગરિયા કાર્ડના સામૂહિક બહિષ્કારનું એલાન કરાયુ છે. જિલ્લાના ખારાઘોડામાં અગરિયા સોસાયટી મેદાન ખાતે અગરિયાઓની જનરલ સભામાં આ મુદે નારાજગી જાહેર કરીને અગરિયા કાર્ડ એકપણ અગરિયો શરતો સાથે સ્વીકારશે નહીં તેવું જાહેર કરવામાં આવ્યું હતુ. આ ઉપરાંત સર્વે એન્ડ સેટલમેન્ટમાં અગરિયાઓના હક્કદાવાની રજૂઆત તથા ‍અન્ય સવાલોના ઉકેલ માટે અગરિયા મહાસંઘની રચના કરવામાં આવી છે.

અગરિયા મહાસંઘના પ્રમુખ બચુભાઇ દેગામાએ જણાવ્યું  હતું કે, અગરિયાઓ પર લાદવામાં આવેલી આકરી શરતોનું પાલન કરવા જઇએ તો એક ગાંગડો મીઠું પાકી ન શકે. આ ઉપરાંત સર્વે અને સેટલમેન્ટ પ્રક્રિયામાં રહી ગયેલા મોટાભાગના અગરિયાઓના હક્કદાવા માટે તંત્રએ સરળ વ્યવસ્થા ઉભી કરવી જોઇએ. અગરિયાઓના આ મુદા માટે અગરિયાઓ દ્વારા બનાવવામાં આવેલી અગરિયા મહાસંઘ અધિકારની લડાઇ લડશે. ખારાઘોડા અગરિયા સોસાયટીના મેદાનમાં અગરિયાઓની જનરલ સભા મળી હતી. જેમાં ઝાલાવાડના તમામ ગામોના અગરિયાઓ સ્વયંભૂ ભેગા થયા હતા. જેમાં પોતાની લડાઇ પોતે લડવા અગરિયા મહાસંઘની સર્વાનુમતે રચના કરવામાં આવી હતી. જેમાં અગરિયા મહાસંઘની કમિટીમાં અગરિયાના દરેક ગામને પ્રતિનિધિત્વ આપવાની સાથે અગરિયા કાર્ડનો બહિષ્કારનું એલાન કરવામાં આવ્યું હતુ. અને સર્વે અને સેટલમેન્ટ વિભાગને રહી ગયેલા અગરિયાઓના ફોર્મ ભરી અને ફેર વિચારણા માટે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code