1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાંધીધામ-પુરી સુપર ફાસ્ટ ટ્રેનમાં નંદુરબાર નજીક આગ લાગી, મુસાફરો સહીસલામત
ગાંધીધામ-પુરી સુપર ફાસ્ટ ટ્રેનમાં નંદુરબાર નજીક આગ લાગી, મુસાફરો સહીસલામત

ગાંધીધામ-પુરી સુપર ફાસ્ટ ટ્રેનમાં નંદુરબાર નજીક આગ લાગી, મુસાફરો સહીસલામત

0
Social Share

સુરતઃ ગુજરાત-મહારાષ્ટ્રની સરહદે આવેલા નંદુરબાર રેલવે સ્ટેશન નજીક ગાંધીધામ-પુરી સુપર ફાસ્ટ ટ્રેનમાં આગ લાગતા પ્રવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. પેન્ટ્રી કારમાં લાગેલી આગ બે કોચ સુધી પહોંચી ગઈ હતી. જેથી પેસેન્જર જીવ બચાવી ભાગ્યા હતાં. સમગ્ર દુર્ઘટના અંગે રેલવે પ્રશાસનને જાણકારી મળતાં અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. સાથે જ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. આગના પગલે ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો.

રેલવેના સૂત્રોના જણાવ્યા મુજબ નંદુરબારથી ગાંધીધામ તરફ જતી સુપર ફાસ્ટ ટ્રેનમાં આગ લાગી ગઈ હતી. પેન્ટ્રી કારમાં આગ લાગતા અફડાતફડી સર્જાઈ હતી. બાદમાં પેન્ટ્રી બોગી અલગ કરવામાં આવી હતી. જો કે બે ડબ્બામાંથી ધુમાડા નીકળી રહ્યા હતાં. જેથી ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવી લેવાયો હતો. સુપર ફાસ્ટ ટ્રેનમાં આગ લાગતાં રેલ વ્યવહાર વ્યવહાર ખોરવાયો હતો. પેસેન્જર થી ભરેલી ટ્રેન હોવાથી ભયનો માહોલ સર્જાયો હતો. જો કે હાલ પ્રાથમિક જાણકારી પ્રમાણે કોઈ જાનહાની નથી નોધાઈ.હાલ રેલવે અધિકારી અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.પેન્ટ્રી બોગીમાં રહેલો સામાન બળીને ખાક થયો છે. સવારે 11 વાગે ટ્રેન નંદુરબાર સ્ટેશનથી નીકળી થોડે આગલ જતાં ટ્રેનની પેન્ટ્રીમાં આગ લાગી હતી.

રેલવે બોર્ડના સભ્ય સંજય શાહએ જણાવ્યું હતું કે, ટ્રેનમાં આગ લાગ્યાની જાણ થતાં જ  રેલવેના અધિકારીઓ તેમજ ફાયર બ્રીગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. કોઈ ઈજા જાનહાનિ સર્જાઈ નથી. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. હાલ તપાસ ચાલી રહી છે. આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code