1. Home
  2. ગુજરાતી
  3. શબરીમાલા મંદિરમાં ભક્તોનું ઘોડાપુર- આજે 1 લાખથી વધુ લોકો કરશે દર્શન, ભીડને નિયંત્રિત કરાશે
શબરીમાલા મંદિરમાં ભક્તોનું ઘોડાપુર- આજે 1 લાખથી વધુ લોકો કરશે દર્શન, ભીડને નિયંત્રિત કરાશે

શબરીમાલા મંદિરમાં ભક્તોનું ઘોડાપુર- આજે 1 લાખથી વધુ લોકો કરશે દર્શન, ભીડને નિયંત્રિત કરાશે

0
Social Share
  • શબરીમાલા મંદિરમાં ભક્તોની ભારે ભીડ
  • 1લાખથી વધુ લોકો આજે કરશે દર્શન

શબરીમાલા મંદિર દેશભરમાં જાણીતું મંદિર છે અહી દેશવિદેશથી ભક્તો દર્શન કરવા આવતા હોય છે ત્યારે હાલ આ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે.સબરીમાલા મંદિરમાં દર્શન માટે રેકોર્ડ ઓનલાઈન બુકિંગ કરાવીને સોમવારે 1 લાખથી વધુ શ્રદ્ધાળુઓ મંદિરમાં ઉમટી પડ્યા હતા.

ભક્તોની ભારે સંખ્યાને લઈને મંદિરના અધિકારીઓએ કહ્યું કેઆજરોજ સોમવાર માટે 1, લાખ 7 હજારથછી પણ વધુ ભક્તોએ દર્શન માટે બુકિંગ કરાવ્યું છે. ભારે ભીડને ધ્યાનમાં રાખીને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.પોલીસથી લઈને અનેક સુરક્ષા પર ખા ધ્યાન આપવામાં આવ્યું છે.

આ સાથે જ  મંદિર પહોંચેલા ભક્તોને નિયંત્રિત કરવામાં આવી રહ્યા છે અને પંપાથી સન્નિધનમ સુધી વિવિધ જૂથોમાં લઈ જવામાં આવશે. આ માટે દરેક પોઈન્ટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે

અહી ભક્તોના ભારે ધસારાને કારણે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારીના પગલા લેવામાં આવ્યા છે. ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે પોલીસ ઉપરાંત આરએએફ અને એનડીઆરએફના જવાનોની સેવાઓનો પણ ઉપયોગ કરવામાં આવશે.

જાણકારી પ્રમાણે ભક્તોની ભારે ભીડવને લીેન દર્શનના કલાકમાં કલાકનો વધારો પણ કરવામાં આવ્યો છે.ભીડ જોઈને અધિકારીઓએ કહ્યું કે દર્શનનો સમય એક કલાક વધારી દેવામાં આવ્યો છે.  77,216 લોકોએ સબરીમાલા દર્શન માટે 13 ડિસેમ્બરે અને 14 ડિસેમ્બર માટે  64,617 લોકોએ ઓનલાઈન બુકિંગ કરાવ્યું હતું. શનિવારે સાંજે 5 વાગ્યા સુધી લગભગ 60 હજારથી વધુ લોકોએ સબરીમાલાની મુલાકાત લીધી હતી.

અધિકારીઓ એ આપેલી માહિતી પ્રમાણે લાઈનમાં દર્શન માટે રાહ જોઈ રહેલા ભક્તોને હળવો ખોરાક અને પીવાનું પાણી આપવામાં આવશે. સબરીમાલાના સ્પેશિયલ ઓફિસર હરિશ્ચંદ્ર નાઈકે જણાવ્યું હતું કે, પોલીસ ઉપરાંત આરએએફ અને એનડીઆરએફના જવાનોની સેવાઓનો ઉપયોગ ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે કરવામાં આવશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code