1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. બેંક કર્મીઓ માટે સારા સમાચાર – આ મહિનાથી વધશે તમારો પગાર
બેંક કર્મીઓ માટે સારા સમાચાર – આ મહિનાથી વધશે તમારો પગાર

બેંક કર્મીઓ માટે સારા સમાચાર – આ મહિનાથી વધશે તમારો પગાર

0
Social Share
  • આ મહિનાથી બેંક કર્મીઓનો વધશે પગાર
  • મોંઘવારી ભથ્થામાં 3.3 ટકાનો વધારો કરવા આવ્યો

દિલ્હીઃ-સમગ્ર દેશમાં કોરોનાકાળ દરમિયાન કેટલાક લોકોએ નોકરી ગુમાવી તો કેટલાક લોકોને પગારમાં કપાતનો માર વેઠવો પડ્યો ત્યારે હવે ઘીરે ઘીરે સ્થિતિ સામાન્ય થતી જોવા મળી રહી છે. સરકારી બેંકોમાં કામ કરતા લોકો માટે હવે સારા સમાચાર મળી રહ્યા છે.

વાત જાણ એમ છે કે સરકારી બેંકમાં કામ કરતા લોકોનો આ મહિનાથી પગારમાં વધારો થઈ શકે છે,સરકારી બેન્કના કર્મચારીને મોંઘવારી ભથ્થામાં 3.3 ટકાનો વધારો કરવામાં કરવામાં આવ્યો છે. આ વધારો ફેબ્રુઆરી 2021થી એપ્રિલ 2021 સુધી કરવામાં આવેલ છે. ઇન્ડિય બેન્ક એસોસિએશન દ્રારા આ મામલે આદેશ જારી કર્યા છે.

ઓલ ઈન્ડિયા એવરેજ કન્ઝ્યૂમર પ્રાઈઝ ઓક્ટોબર વર્ષ 2020મા વધી ને 7855.76 પર પહોંચી ગયો હોત જેમાં હાલ વધુ વધારો નોંધાયો છે જે. નવેમ્બર અને ડિસેમ્બરમાં ક્રમશ 7882.74 થઇ ચૂકી છે.

એસબીઆઈ પીઓ ના આરંભી બેઝિક 27000 રૂપિયા હોય છે. DAમાં 3.3 ટકાના વધારા સાથે સેલરી લગભગ 900 રૂપિયા મહિના વધશે. એમાં 4 ઇન્ક્રીમેન્ટ પણ જોડી દેવામાં આવશે.ત્યાર બાદ કર્મીના પ્રમોશન બાદ વધારે બેઝિક 42000 રૂપિયા સુધી જતું રહેતું હોય છે. એટલું બેઝિક મેળવવા માટે POની સેલરીમાં લગભગ 1386 રૂપિયાનો બદલાવ જોવા મળે આ સાથે જ ઉપરી અધિકારી સેલરીમાં હજારો રૂપિયાનો વધારો આ હિસાબે કરવામાં આવ્યો છે.

કુલ 8.5 લાખ કોરોના મહામારી વચ્ચે 8.5 લાખ બેન્ક કર્મીઓ માટે વિતેલુ વર્ષ 2020 સારું રહ્યું છે. બેન્ક કર્મચારી સંઘ અને ભારતીય બેક સંઘવચ્ચે સેલરીમાં 15 ટકા વાર્ષિક વધારાને લઇ કરાર કરવામાં આવ્યો છે. આ કરારથી બેંકો પર 7,900 કરોડ રૂપિયાનો બોજ સહન કરવો પડશે.

સાહિન-

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code