1. Home
  2. ગુજરાતી
  3. હવે ખાતેધારકોના ચેક ઝડપી ક્લિયર થશે, RBIએ લીધો આ નિર્ણય
હવે ખાતેધારકોના ચેક ઝડપી ક્લિયર થશે, RBIએ લીધો આ નિર્ણય

હવે ખાતેધારકોના ચેક ઝડપી ક્લિયર થશે, RBIએ લીધો આ નિર્ણય

0
Social Share
  • હવે ખાતેધારકોને ચેક ક્લિયરન્સ માટે વધુ સમય પ્રતિક્ષા નહીં કરવી પડે
  • RBIએ ચેક ક્લિયરન્સના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો
  • RBIએ ચેક ટ્રંકેશ સિસ્ટમનો વ્યાપ વધારવાનો નિર્ણય કર્યો

નવી દિલ્હી: હવે ખાતેધારકોને ચેક ક્લિયરન્સ માટે વધુ સમય સુધી પ્રતિક્ષા નહીં કરવી પડે કારણ કે RBIએ ચેક ક્લિયરન્સના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. RBIએ ચેક ટ્રંકેશ સિસ્ટમનો વ્યાપ વધારવાનો નિર્ણય કર્યો છે. જેની અસર 18 હજાર બેંક શાખાઓમાં પડશે. જાણકારી અનુસાર આ વર્ષે સપ્ટેમ્બર માસથી નવો નિયમ લાગુ પડશે.

પ્રાપ્ત વિગતો અનુસાર RBIએ પેમેન્ટ અને સેટલમેન્ટ સિસ્ટમને સુઘડ, ઝડપી બનાવવા માટે બાકીની તમામ 18 હજાર બ્રાંચોને અપડેટ કરવાનો નિર્ણય કર્યો છે. જે પણ બ્રાંચ સેન્ટ્રલાઇઝ ક્લિયરિંગ સિસ્ટમ ચેક ટ્રંકેશ સિસ્ટમ હેઠળ નથી તેમને સપ્ટેમ્બર સુધીમાં CTS હેઠળ લાવી દેવામાં આવશે. CTSનો ઉપયોગ 2010થી કરવામાં આવે છે અને તે હેઠળ લગભગ 1 લાખ 50 હજાર બેંક શાખાઓ પહેલેથી જ છે.

શું છે CTS?

CTS એટલે કે ચેક ટ્રંકેશન સિસ્ટમ એ ચેક ક્લિયર કરવાની એક પ્રક્રિયા છે. જેમાં જાહેર કરવામાં આવેલા ચેકને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું નથી પડતું. પરંતુ ચેક જે બેંકમાં જાય છે. ત્યાંથી ચેક જાહેર કરનારી બ્રાંચમાં મોકલવામાં આવે છે. આ કારણે  ચેક ક્લિયર થવામાં વધારે સમય લાગે છે. વર્ષ 2010થી ભારતમાં CTS હેઠળ ચેક ક્લિયર કરવામાં આવે છે જેમાં દેશની લગભગ 1 લાખ 50 હજાર શાખાઓ જોડાયેલી છે. હવે બાકીની શાખાઓને પણ જલ્દી જ આ સિસ્ટમ હેઠળ જોડી દેવામાં આવશે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code