1. Home
  2. ગુજરાતી
  3. ઉચ્ચ ગુણવત્તાવાળા ભારતીય ઉત્પાદનો આત્મનિર્ભર ભારત અને આર્થિક સમૃદ્ધિમાં ફાળો આપશેઃ ડો. મનસુખ માંડવિયા
ઉચ્ચ ગુણવત્તાવાળા ભારતીય ઉત્પાદનો આત્મનિર્ભર ભારત અને આર્થિક સમૃદ્ધિમાં ફાળો આપશેઃ ડો. મનસુખ માંડવિયા

ઉચ્ચ ગુણવત્તાવાળા ભારતીય ઉત્પાદનો આત્મનિર્ભર ભારત અને આર્થિક સમૃદ્ધિમાં ફાળો આપશેઃ ડો. મનસુખ માંડવિયા

0
Social Share

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ, રસાયણ અને ખાતર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ, રાજ્ય મંત્રી, (રસાયણ અને ખાતર અને નવા મંત્રાલય) ભગવંત ખુબાની હાજરીમાં “ઇન્ડસ્ટ્રી કનેક્ટ 2022” : ઉદ્યોગ અને એકેડેમિયા સિનર્જી નવીકરણ ઊર્જા) પર સેમિનારનું નવી દિલ્હીમાં ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે, કોવિડ મહામારીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈજ્ઞાનિક અને તબીબી સમુદાયને તમામ સમર્થન આપ્યું છે, જેના કારણે ભારત રસી સંશોધનમાં અન્ય વિકસિત દેશો સાથે ખભે ખભા મિલાવીને ચાલે તે સુનિશ્ચિત કરે છે. તેમણે રાષ્ટ્રની પ્રગતિ માટે ઈનોવેશન અને ટેક્નોલોજીના મહત્વ પર ભાર મૂક્યો અને વધુ ઉદ્યોગ-શૈક્ષણિક ભાગીદારી માટે આહ્વાન કર્યું જે સંશોધન, નવીનતા અને શિક્ષણને પ્રોત્સાહન આપશે.

કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવિયાએ વધુમાં જણાવ્યું હતું કે, નવીન ઉત્સાહ અને ગુણવત્તાયુક્ત ઉત્પાદનોનું ઉત્પાદન સ્કેલ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડના વિઝનને સાકાર કરવામાં મદદ કરશે. ઉચ્ચ ગુણવત્તાવાળા ભારતીય ઉત્પાદનો દૂર દૂર સુધી જશે અને આત્મનિર્ભર ભારત અને ભારતની આર્થિક સમૃદ્ધિમાં ફાળો આપશે. માંડવિયાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ સેમિનાર આ ધ્યેયને હાંસલ કરવા માટે રોડમેપ બનાવવા પર વિચારણા કરશે.

આ પ્રસંગ્રે ભગવંત ખુબાએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આત્મનિર્ભર ભારતનું વિઝન માત્ર આત્મનિર્ભર બનવાનું જ નથી પરંતુ વૈશ્વિક સમુદાયની અપેક્ષાઓ પણ પૂર્ણ કરે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે રાસાયણિક અને પેટ્રોકેમિકલ ઉદ્યોગ પણ માત્ર સ્થાનિક જરૂરિયાતોને જ નહીં પરંતુ નિકાસને વેગ આપીને અને વૈશ્વિક માંગને પૂરી કરીને પણ આ વિઝનમાં યોગદાન આપવા માટે અનન્ય રીતે તૈયાર છે અને CIPET એ આમાં મહત્ત્વની ભૂમિકા ભજવવાની છે.

સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પેટ્રોકેમિકલ્સ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નૉલૉજી (સીઆઇપીઇટી) અને ફેડરેશન ઑફ ઇન્ડિયન ચેમ્બર્સ ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રી (ફિક્કી)ના સહયોગથી કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર મંત્રાલય, ભારત સરકાર દ્વારા આજે “ઇન્ડસ્ટ્રી કનેક્ટ 2022” : ઉદ્યોગ અને એકેડેમિયા સિનર્જી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનાર દરમિયાન, “ઇન્ડસ્ટ્રી કનેક્ટ 2022”માં બે તકનીકી સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટેકનિકલ સત્રોમાં સેક્ટરના મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે CIPET, TDB (ટેક્નોલોજી ડેવલપમેન્ટ બોર્ડ) અને વિવિધ ઉદ્યોગ સંગઠનોના અધિકારીઓની હાજરી જોવા મળી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code