1. Home
  2. ગુજરાતી
  3. નવા સંસદ ભવન પર વિશાળ રાષ્ટ્રીય પ્રતિક અશોક સ્તંભ સ્થાપિત – PM મોદીના હસ્તે કરાયું 6.5 મીટ રના આ સ્થંભનુ’ ઉદ્ધાટન
નવા સંસદ ભવન પર વિશાળ રાષ્ટ્રીય પ્રતિક અશોક સ્તંભ સ્થાપિત – PM મોદીના હસ્તે કરાયું 6.5 મીટ રના આ સ્થંભનુ’ ઉદ્ધાટન

નવા સંસદ ભવન પર વિશાળ રાષ્ટ્રીય પ્રતિક અશોક સ્તંભ સ્થાપિત – PM મોદીના હસ્તે કરાયું 6.5 મીટ રના આ સ્થંભનુ’ ઉદ્ધાટન

0
Social Share
  • સંસદ ભવન પર વિશાળ અશોક સ્થંભ સ્થાપિત કરાયો
  • પીએમ મોદીએ 6.5 મીટરના આ સ્થંભનું ઉદ્ધાટન કર્યું

 

દિલ્હી – આજે સોમવારના રોજ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ​​નવા સંસદ ભવનની છત પર વિશાળ અશોક સ્તંભનું અનાવરણ કર્યું હતું. આ સાથએ જ આ સ્થંભને તૈયાર કરનારા શ્રમજીવીઓ સાથે પણ પીએમ મોદીએ વાતચીત કરી હતી.

આ ખાસ પ્રસંગે  રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ રાય અને કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી હરદીપ સિંહ પુરી પણ હાજર હતા. અશોક સ્તંભના ઉદ્ઘાટન બાદ પીએમ નરેન્દ્ર મોદી પણ તેની પાસે ઉભા રહીને ફોટો પડાવતા કેમેરામાં કેદ થયા હતા

જાણો અશોક સ્તંભની ખાસિયત

  • આ રાષ્ટ્રીય પ્રતિક અશોક સ્તંભનું વજન  9 હજાર 500 કિલોગ્રામનું છે
  • જો તેને બનાવાની વાત કરીએ તો તે  કાંસાનું બનેલું છે 
  • આ સ્તંભની ઊંચાઈ સૌથી ઈંચી એટલે કે  6.5 મીટર રાખવામાં આવી છે.
  • આ સ્તંભની પહોળાઈ  4.4 મીટર છે
  • આ સ્તંભને બનાવવા માટે 9 મહિના જેટલો સમય લાગ્યો છે
  • આ સ્તંભ સંસદ ભવનની નવી ઇમારતની છતની મધ્યમાં સ્થાપિત કરવામાં આવ્યું છે.
  • આ સ્તંભને સપોર્ટ માટે 6 હજાર 500 કિલોગ્રામનું સ્ટીલ સ્ટ્રક્ચર પણ તૈયાર કરવામાં આવ્યું છે.
  • આ થાંભલાના નિર્માણમાં કુલ 8 તબક્કામાં કામ કરવામાં આવ્યું હતું. તે કન્સેપ્ટ સ્કેચ, ક્લે મોડેલિંગ અને કોમ્પ્યુટર ગ્રાફિક્સ સહિત કુલ 8 રાઉન્ડમાં તૈયાર કરવામાં આવ્યું છે.

આ અશોક સ્તંભ કુલ 150 ભાગોમાં બાંધવામાં આવ્યો હતો. આને છત પર લઈ જવા બાદ એસેમ્બલ કરવામાં આવ્યા હતા તેમને એસેમ્બલ કરવાનું કામ એપ્રિલના અંતમાં શરૂ કરવામાં આવ્યું હતું. લગભગ બે મહિના જેટલો સમય થયો છે.ઉલ્લેખનીય છે  કે નવા સંસદ ભવનનું કામ પણ ઝડપથી ચાલી રહ્યું છે. તેમાં આવી ઘણી વસ્તુઓ છે, જે અગાઉની બિલ્ડિંગથી અલગ હશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code