1. Home
  2. ગુજરાતી
  3. ઝડપથી જમવાની ટેવ છે તો એ તમારી મોટી ભૂલ છે, આજથી જ સુધારી દો આ ખરાબ આદત
ઝડપથી જમવાની ટેવ છે તો એ તમારી મોટી ભૂલ છે, આજથી જ સુધારી દો આ ખરાબ આદત

ઝડપથી જમવાની ટેવ છે તો એ તમારી મોટી ભૂલ છે, આજથી જ સુધારી દો આ ખરાબ આદત

0
Social Share
  • ઝડરપથી સજવમિં એ ખરાબ આદત હોઈ શકે
  • જમવાનું હંમેશા ચાવીને ગળે ઉતારવું 
  • ઝડપથી જમવાથી પાચન ક્રિયામાં થાય છે ફેરફાર

ક્યારેક ક્યા જવાની ઉતાવળે તો ક્યારેક કંટાળાથી આવા ઘણા કારણોથી આપણે ઝડપી ઝડપી જમી લેતા હોઈએ છીએ જો કે ઝડપી જમવાથી પાચનક્રિયા પર ખરાબ અસર પડે છે,. તજો તમને ઝડપી જમવાની આદત હોય તો હવે સુધારી લેજો,કેટલીકવાર ઝડપી ખાવાનું કારણ તમારી જીવનશૈલી પણ હોય છે કારણ કે અનેક પ્રકારની વ્યસ્તતા વચ્ચે તમારી પાસે સમયનો અભાવ હોય છે. પરંતુ શું તમે જાણો છો કે ઉતાવળમાં ખાવાનું કેટલું નુકસાનકારક હોઈ શકે છે અને તેનાથી તમને કઈ સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે.

જાણો ઝડપી ખાવાથી થતા નુકશાન વિશે

ઝડપથી ખાવાથી  શરીરને સંપૂર્ણ પોષણ મળતું નથી –  ખૂબ જ ઝડપથી ખાવાથી વધારે ખાવાની સમસ્યા થઈ શકે છે. ઉતાવળમાં ખાવાથી આપણા શરીરને પોષક તત્વો પણ મળતા નથી. જ્યારે આપણે ખોરાક ખૂબ જ ઝડપથી ખાઈએ છીએ, ત્યારે આપણને ધ્યાન નથી હોતું કે આપણે કેટલી માત્રામાં ભોજન ખાઈ રહ્યા છીએ. અતિશય આહારનું આ કારણ છે. જેના કારણે વજન વધે છે અને જ્યારે વજન વધે છે ત્યારે અનેક બીમારીઓ આપણને ઘેરી લે છે.

ઝડપી ખાવાથી દિમાગમાં ખોટો મેસેજ આવે છે – જ્યારે તમે ઉતાવળમાં ખોરાક ખાઓ છો, ત્યારે તમારા મગજને એ સંદેશ પણ નથી મળતો કે તમારું પેટ ભરાઈ ગયું છે અથવા તમે હવે ભૂખ્યા છો.જેને લઈને ખોરાકની માત્રા વઘઘટ થી શકે છે જેની સીધી એસર આરોગ્ય પર પડે છે

 ઝડપથી ખાવાથઈ  વજનમાં થાય છે ઝડપી વધારો – જો તમે ખૂબ જ ઝડપથી ખોરાક ખાવ છો તો વજન ઝડપથી વધે છે. બીજી તરફ જો આપણે જમતા સમયે ખોરાકને યોગ્ય રીતે ચાવીએ તો શરીરને પોષક તત્વો મળે છે અને સ્થૂળતાની સમસ્યા આપણને ઘેરતી નથી.ઝડપી ખોરાક આખો ગળી જવાથી પાચનશક્તિ મબળી પડે છે, છેવટે પેટમાં પણ દુખાવો રહે છે

ઝડપથી ખવાતું ભોજ ડાયાબિટીસનું જોખમ – જેમ જલ્દી અને વારંવાર ખાવાથી લોહીમાં શુગરનું પ્રમાણ અચાનક વધી જાય છે. અને પછી ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સની સમસ્યા વધવા લાગે છે. આ તમને ડાયાબિટીસનો શિકાર બનાવે છે 

ઝડપથી ખવાતો ખોરાક પાચન પર અસર કરે છે – જલ્દી ખાવાની તચમારી ટેવ પાચન તંત્ર પર પણ અસર કરે છે. લોકો ઉતાવળમાં મોટા ટુકડાઓ ઉપાડે છે અને ખોરાકને ચાવ્યા વગર ગળી જાય છે. ઘણી વખત પાણી પીધા પછી ખોરાક ખાય છે. આવી સ્થિતિમાં ભોજન યોગ્ય રીતે પચતું નથી અને ઘણી સમસ્યાઓ થવા લાગે છે. આનાથી પાચનતંત્ર પ્રભાવિત થાય છે.

 

 

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code