1. Home
  2. ગુજરાતી
  3. ઔરંગાબાદમાં રાજ ઠાકરેએ શરદ પવાર પર સાધ્યું નિશાન, કહી આ વાત
ઔરંગાબાદમાં રાજ ઠાકરેએ શરદ પવાર પર સાધ્યું નિશાન, કહી આ વાત

ઔરંગાબાદમાં રાજ ઠાકરેએ શરદ પવાર પર સાધ્યું નિશાન, કહી આ વાત

0
Social Share

મુંબઈ: મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકર હટાવવાના મુદ્દે છેલ્લા કેટલાક સમયથી મહારાષ્ટ્ર નવનિર્માણના ચીફ રાજ ઠાકરે ચર્ચામાં રહે છે, આવામાં તેમણે હવે વધુ એક નિશાન શરદ પવાર પર સાધ્યું છે અને રાજકીય  વાતાવરણને વધારે ગરમ કરી દીધું છે. રાજ ઠાકરેએ પોતાના સંબોધનમાં વધુમાં કહ્યું કે, આજે ઘરે જઈને યુટ્યુબ પર જુઓ કે શું પવાર સાહેબે ક્યારેય છત્રપતિ શિવાજી વિશે વાત કરી છે. જે દિવસે મેં કહ્યું કે શરદ પવાર સાહેબ નાસ્તિક છે, પણ મારા શબ્દો તેમને ન ગમ્યા. મને જે ખબર હતી તે મેં કહ્યું. આ પછી તેમણે દેવી-દેવતાઓના ફોટા કાઢ્યા. પરંતુ તેમની પુત્રીએ પોતે કહ્યું છે કે મારા પિતા નાસ્તિક છે.

આ ઉપરાંત રાજ ઠાકરેએ ઔરંગાબાદમાં કહ્યું કે, મને શંકા હતી કે આ રેલીને મંજૂરી મળશે કે નહીં. તેમણે કહ્યું કે આ સભા માત્ર આટલા સુધી સીમિત નહીં રહે. હું તમામ જિલ્લાઓમાં જઈશ અને  સભાઓ કરીશ. રાજ્યના દરેક જિલ્લામાં આવી રેલીઓનું આયોજન કરવામાં આવશે.

લાઉડસ્પીકર અંગે રાજ ઠાકરેએ કહ્યું કે, આ મુદ્દો અચાનક નથી આવ્યો. લાઉડસ્પીકર કોઈ ધાર્મિક મુદ્દો નથી, સામાજિક મુદ્દો છે. તેને ધાર્મિક મુદ્દો બનાવવાનો પ્રયાસ કરશો નહીં. જો આપણે તે કરીશું, તો અમે તેને પણ મુદ્દો બનાવીશું. જો યુપીમાં લાઉડસ્પીકર હટાવવામાં આવ્યા તો મહારાષ્ટ્રમાં કેમ નહીં? જો લાઉડસ્પીકર પર અઝાન થશે તો હનુમાન ચાલીસા પણ વાંચવામાં આવશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code