1. Home
  2. Tag "ncp"

NCPના નામે બેન્કમાં એકાઉન્ટ ખોલાવી ડોનેશન ઉઘરાવનારા શખસની સાયબર ક્રાઈમે કરી ધરપકડ

અમદાવાદઃ લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ રાજકિય પક્ષો ચૂંટણી પ્રચારના કામે લાગી ગયા છે. ત્યારે પાર્ટીના નામે બેન્કમાં ફેક એકાઉન્ટ ખોલીને લોકો પાસેથી ફંડ ઉઘરાવવાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ના નામે બંધન બેન્કમાં એકાઉન્ટ ખોલાવીને તેની વિગતો સોશિયલ મીડિયા પર વહેતી કરી પાર્ટીના નામે ડોનેશન લેવાતું હોવાની જાણ થતાં એનસીપીના ખજાનચીએ […]

બારામતી બેઠક પર નણંદ-ભાભીનો જંગ: સુપ્રિયા સુલે સામે લડશે અજીત પવારના પત્ની ચૂંટણી?

પુણે: દેશની લોકસભા ચૂંટણીની તૈયારીમાં તમામ પક્ષો લાગી ગયા છે. જો કે હાલ ઉમેદવારોના નામની ઘોષણા થઈ નથી. પરંતુ કેટલાક સ્થાનો પર ઉમેદવારો લગભગ નિર્ધારીત છે. મહારાષ્ટ્રની બારામતી લોકસભા બેઠક હાઈપ્રોફાઈલ છે અને અહીં પવાર પરિવારની વચ્ચે ચૂંટણી જંગ લડાવાનો છે. એનસીપીના શરદ પવાર જૂથના ઉમેદવાર સુપ્રિયા સુલે ફરીથી અહીંથી ચૂંટણી લડશે. તો શરદ પવારના […]

મહારાષ્ટ્રમાં મોટો ખેલ?: કૉંગ્રેસમાં શરદ પવારના જોડાવાની અટકળો, અનિલ દેશમુખે ભણ્યો નનૈયો

મુંબઈ: પોતાના ભત્રીજા અજીત પવારને નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીનું ચૂંટણી ચિન્હ મળ્યા બાદ અચાનક રાજકીય રીતે નબળા થઈ ગયેલા શરદ પવાર મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટો ખેલ કરવા જઈ રહ્યા છે. ઝી ન્યૂઝના અહેવાલમાં સૂત્રોને ટાંકીને દાવો કરાયો છે કે એક સમયના દિગ્ગજ કોંગ્રેસી નેતાઓમાં સામેલ એવા શરદ પવાર પોતાની જૂની પાર્ટીમાં વાપસી કરવા જઈ રહ્યા છે. તેના […]

“નાક કાપીને ચોંટાડનારા નેતાજી!”: ભગવાન રામને માંસાહારી ગણાવીને શરદ પવારના “પોઠિયા” જિતેન્દ્ર અવ્હાડે માંગી માફી

મુંબઈ: રાજનીતિની નીચતા અને છીછરાપણું એનસીપીના નેતા જિતેન્દ્ર અવ્હાડના વાણીવિલાસમાં જોવા મળ્યા. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રીરામજન્મભૂમિ પર ભવ્ય રામમંદિરમાં ભગવાન રામલલાને સિંહાસન પર વિરાજમાન કરવામાં આવશે. પ્રાણ પ્રતિષ્ઠા બાદ આ મંદિરનું લોકાર્પણ થશે. પણ તેને પહેલા ભગવાન રામને શરદ પવારના બેહદ નિકટવર્તી અને એનસીપીના ધારાસભ્ય જિતેન્દ્ર અવ્હાડે ભગવાન રામને માંસાહારી ગણાવ્યા બાદ નાક કાપીને ચોંટાડવાની […]

NCPના વડા શરદ પવાર અને અજીત પવાર ઉપર શિવસેનાએ કર્યાં આકરા પ્રહાર

મુંબઈઃ શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)એ પણ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી વચ્ચેની ખેંચતાણ પર મોટી પ્રતિક્રિયા આપી છે. પાર્ટીના મુખપત્ર સામનામાં એનસીપી ચીફ શરદ પવાર અને રાજ્યના ડેપ્યુટી સીએમ અજિત પવાર પર આકરા પ્રહાર કર્યાં છે. સામનાના તંત્રીલેખમાં બારામતીમાં અજિત પવારની રેલીના સંદર્ભમાં કહેવામાં આવ્યું છે કે ડેપ્યુટી સીએમ કહી રહ્યા છે કે તેમને સત્તા નથી […]

NCPના કોઈ ભાગલા પડ્યાં નથી અને અજીત પવાર પાર્ટીના નેતા છેઃ શરદ પવાર

પુણેઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારે કહ્યું કે, પાર્ટીમાં કોઈ વિભાજન નથી અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર પાર્ટીના નેતા તરીકે ચાલુ રહેશે. તેમણે એમ પણ કહ્યું કે, કેટલાક નેતાઓએ “અલગ રાજકીય વલણ” લઈને NCP છોડી દીધી છે, પરંતુ આને પાર્ટીમાં ભાગલા ન કહી શકાય. પવારે બારામતીમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન આ વાત […]

અજિત પવાર સાથેની અવારનવાર મુલાકાતોથી શરદ પવારની છબી ખરડાય છેઃ શિવસેના (UBT)

મુંબઈઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ શરદ પવાર અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર વચ્ચેની અવારનવાર બેઠકો NCPના વડાની છબી ખરડાઈ રહી છે. શિવસેના-ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે (શિવસેના-યુબીટી) એ સોમવારે આ દાવો કર્યો હતો. શિવસેનાના (UBT) મુખપત્ર ‘સામના‘ એ એક સંપાદકીયમાં કહ્યું છે કે શરદ પવાર (તેમના કાકા) સાથે અજિત પવારની વારંવારની મુલાકાતો જોવી રસપ્રદ છે […]

મહારાષ્ટ્રની શિંદે સરકારનું વિસ્તરણ, NCPમાંથી આવેલા ધારાસભ્યોને સોંપાઈ મહત્વની જવાબદારી

મુંબઈઃ મહારાષ્ટ્રમાં અજીત પવાર એનસીપીના વડા શરદ પવાર સામે બળવો કરીને સમર્થકો સાથે એકનાથ શિંદે સરકારમાં જોડાયાં હતા. જે બાદ સરકારમાં મંત્રી મંડળના વિસ્તરણને લઈને લાંબા સમયથી ચર્ચા ચાલતી હતી. જેનો આજે અંત આવ્યો છે. આજે મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. તેમજ અજીત પવાર સાથે આવેલા એનસીપીના ધારાસભ્યોને પણ મંત્રીમંડળમાં સ્થાન […]

NCPમાં પક્ષના નામ અને ચૂંટણી ચિન્હની લડાઈ વચ્ચે હવે કાકા-ભત્રીજા વચ્ચે પોસ્ટર વોર શરૂ થયું

મુંબઈઃ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ને લઈને રાજકીય યુદ્ધ ચાલી રહ્યું છે. NCP નેતા અજિત પવારના બળવાખોર વલણે મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. કાકા અને ભત્રીજાની લડાઈ વચ્ચે હવે પોસ્ટર વોર શરૂ થઈ ગયું છે. દિલ્હીમાં વિવિધ સ્થળોએ જૂના પોસ્ટરોની જગ્યાએ નવા પોસ્ટરો લગાવવામાં આવી રહ્યા છે. ક્યાંક દ્રોહી છે તો ક્યાંક સત્ય માટે […]

મહારાષ્ટ્રમાં સત્તાપલટો કરતા શરદ પવારે જ શીખવ્યું હતુઃ રાજ ઠાકરે

મુંબઈઃ મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોમાં થઈ રહેલી રાજકીય ઘટનાઓ “ઘૃણાસ્પદ” છે અને મતદારોનું “ભયંકર અપમાન” છે. તેમ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના પ્રમુખ રાજ ઠાકરેએ જણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારે જ  મહારાષ્ટ્રમાં ‘રાજકીય બળવો’નો પરિચય રાજકીય નેતાઓ અને પ્રજાને કરાવ્યો હતો. શરદ પવારે સત્તાપલટો કરવાનું શીખવ્યું હતું, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code