1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પાટડીના ફતેપુર ગામે બાળકો ક્લાસરૂમમાં હતા અને શિક્ષકો શાળાને લોક મારીને જતા રહ્યા
પાટડીના ફતેપુર ગામે બાળકો ક્લાસરૂમમાં હતા અને શિક્ષકો શાળાને લોક મારીને જતા રહ્યા

પાટડીના ફતેપુર ગામે બાળકો ક્લાસરૂમમાં હતા અને શિક્ષકો શાળાને લોક મારીને જતા રહ્યા

0
Social Share

સુરેન્દ્રનગરઃ જિલ્લાના પાટડી તાલુકાના ફતેપુર ગામની પ્રાથમિક શાળામાં શાળા છૂટવાના સમયે બાળકો ઘેર જતાં રહ્યા હશે, એમ માનીને ક્લાસરૂમમાં જોયા વિના જ શાળાને તાળાં મારીને શિક્ષકો ઘેર જતાં રહ્યા હતા. દરમિયાન શાળાના ક્લાકરૂમમાંથી શાળાના દરવાજા સુધી આવ્યા તો શાળાના દરવાજાને તાળાં લાગેલા હતા. આથી બાળકો રડવા લાગતા અને બુમાબુમ કરતા ગ્રામજનો દોડી આવ્યા હતા. અને શાળાનો ગેટ તોડીને બાળકોને બહાર કાઢ્યા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ પાટડી તાલુકાની  ફતેપુર પ્રાથમિક શાળામાં બાળકો રૂમમાં હતા અને શિક્ષકો રૂમને તાળા મારીને ઘરે જતા રહેતા અફડાતફડી મચી જવા પામી હતી. બાદમાં શાળાના બાળકોએ રોકકળ સાથે આક્રાંદ કરી મૂકતા વાલીઓ શાળામાં દોડી ગયા હતા. અને શાળાનો ગેટ તોડીને વાલીઓએ બાળકોને બહાર કાઢ્યા હતા. આ અંગે તાલુકા શિક્ષણ અધિકારીના કહેવા મુજબ, શિક્ષકોને એમ હતું કે વિદ્યાર્થીઓ ઘરે જતા રહ્યા હશે. બાદમાં જાણ થતાં શિક્ષકોએ જ આવીને બળકોને બહાર કાઢ્યા હતા.

ફતેપુરના ગ્રામજનોના કહેવા મુજબ અમારા ગામની પ્રાથમિક શાળામાં 21 જેટલા બાળકોને બંધ કરી શિક્ષકો જતા રહ્યા હતા. આ બાદ ગભરાયેલા બાળકોએ રોકકળ કરતાં આજુબાજુના લોકોને ધ્યાને આવ્યું હતું. આ બાદ બાળકોના વાલીઓ શાળાએ દોડી આવ્યા હતા. આ ઘટના બાદ રોષે ભરાયેલા કેટલાક વાલીઓએ શાળાનો ગેટ તોડી નાખ્યો હતો અને બાળકોને બહાર કાઢ્યા હતા. આ બનાવમાં શાળામાં બંધ થઇ ગયેલા તમામ 21 બાળકો પહેલા ધોરણમા અભ્યાસ કરે છે. આ પ્રાથમિક શાળામાં ધોરણ 1થી 8ના અંદાજે 300 જેટલા બાળકો અભ્યાસ કરે છે. ગામના આગેવાનો દોડી આવતા સમજાવટના અંતે દોઢથી બે કલાકની ભારે જહેમત બાદ મામલો થાળે પડ્યો હતો.

આ અંગે તાલુકા શિક્ષણાધિકારી આંબુભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે, ફત્તેપુર ગામમાં કોઈ તિથિ ભોજન હતુ. જેમાં બાળકો ત્યાં ભોજન માટે ગયા હતા. એટલે શાળાના શિક્ષકો જ્યારે સ્કૂલમાં આવ્યા ત્યારે એમને થયું કે બધા બાળકો ઘેર જતા રહ્યાં છે. એટલે એ લોકો બહારની જાળી લોક કરીને નીકળી ગયા હતા. બાદમાં એમણે બાળકો શાળામાં બંધ થયાનું ધ્યાનમા આવતા તેઓ તરત જ પાછા સ્કૂલમા આવીને દરવાજો ખોલીને બાળકોને બહાર કાઢ્યા હતા. હાલ મે આ બાબતે શાળાના આચાર્ય ગોવિંદભાઇને બોલાવી એમનો ખુલાસો લેવાની સાથે નોટીસ આપવાની તજવીજ હાથ ધરી છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code