1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ
  4. સુપ્રીમ કોર્ટમાં કેજરિવાલના જામીન પરની સુનાવણીમાં ખંડપીઠે પ્રશ્નોની ઝડી વરસાવી, કાલે ફેસલો
સુપ્રીમ કોર્ટમાં કેજરિવાલના જામીન પરની સુનાવણીમાં  ખંડપીઠે પ્રશ્નોની ઝડી વરસાવી, કાલે ફેસલો

સુપ્રીમ કોર્ટમાં કેજરિવાલના જામીન પરની સુનાવણીમાં ખંડપીઠે પ્રશ્નોની ઝડી વરસાવી, કાલે ફેસલો

0
Social Share

નવી દિલ્હીઃ દિલ્હી લિકર પોલિસી કેસ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા જેલ હવાલે કરાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને હવે વચગાળાના જામીન માટે ગુરુવાર સુધી રાહ જોવી પડશે. શરાબકાંડમાં પોતાની ધરપકડને પડકારતી રીટ અરજી પર સુનાવણી સમયે એક તબકકે સુપ્રીમકોર્ટે શા માટે કેજરીવાલને વચગાળાના જામીન ન આપવા તે મુદે ઈડી તરફથી રજુ થયેલા એડી. સોલીસીટર જનરલ અને સોલીસીટર જનરલની સાથે સુપ્રીમકોર્ટના ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના અને દીપાંકર દતાની ખંડપીઠે પ્રશ્નોની ઝડી વરસાવી હતી.

દિલ્હી લિકર પોલિસી કેસ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા કરાયેલી ધરપકડને પડકારતી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી સમાપ્ત થઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન વચગાળાના જામીન પર કશું કહ્યું નહોતું, કશું બોલ્યા વગર બેન્ચ ઊભી થઈ ગઈ અને આ સમયે વચગાળાના જામીન પર કોઈ આદેશ આપ્યો ન હતો. સુપ્રીમ કોર્ટે, મંગળવારે કથિત લિકર પોલિસી કેસમાં તેમની ધરપકડ વિરુદ્ધ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની અરજી પર સુનાવણી કરતી વખતે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને ઘણા મહત્ત્વપૂર્ણ પ્રશ્નો પૂછ્યા હતા. સુપ્રીમ કોર્ટે તપાસમાં વિલંબ પર EDને પ્રશ્ન કર્યો હતો કે દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં સાક્ષીઓ અને આરોપીઓને સીધા સંબંધિત પ્રશ્નો કેમ પૂછવામાં આવ્યા નથી. કોર્ટે તપાસમાં ED દ્વારા લેવામાં આવેલા સમય પર સવાલ ઉઠાવતા કહ્યું કે વસ્તુઓને પ્રકાશમાં લાવવામાં બે વર્ષ લાગ્યાં. તેની સાથે જ જણાવ્યું હતું કે, ચોકકસપણે આ કેસ અન્ય જેવો છે પરંતુ ભુલવું ન જોઈએ કે કેજરીવાલ ચુંટાયેલી સરકારના વડા છે, અને તેથી અમે તેમને વચગાળાના જામીન આપવા વિચારણા કરી શકીએ છીએ.

સર્વોચ્ચ અદાલતમાં સોલીસીટર જનરલ એસ.વી.રાજુએ એવો દાવો કર્યો હતો કે રૂા.100 કરોડના હવાલા ટ્રાન્ઝેકશન અંગે પણ અમે રજુ કરવા માંગીએ છીએ કે અને મનીષ સીસોદીયાના જામીન નકારતા સમયે પણ એક ફરિયાદ આવી હતી અને રૂા.1100 કરોડ એટેચ કરાયા છે. જો કે સુપ્રીમકોર્ટના ન્યાયમૂર્તિ ખન્નાએ સીધો પ્રશ્ન પૂછયો કે તમે જ રૂા.100 કરોડના અપરાધની વાત કરી હતી તો રૂા.1100 કરોડ કઈ રીતે થઈ ગયા. આ તબકકે રાજુએ વળતી દલીલ કરતા જણાવ્યું કે જે ફાયદો થયો છે તે રૂા.1100 કરોડનો છે. પરંતુ સુપ્રીમકોર્ટે તે દલીલ માન્ય રાખી ન હતી. જો કે કેજરીવાલને જામીન આપી શકાય છે, તે સંકેત આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે નિયમિત જામીન પણ મંજુર કરી શકીએ છીએ તો વચગાળાના શા માટે નહી.

અદાલતે સ્વીકાર્યુ હતું કે મુખ્યમંત્રી એ કોઈ અધિકાર ધરાવતા નથી. પરંતુ ચુંટણી પાંચ વર્ષમાં એક વખત આવે છે અને અમે ઈચ્છતા નથી કે જે રાજનેતા અપરાધમાં સામેલ હોય તેને અલગથી ટ્રીટ કરવામાં આવે. ચુંટણી એ ફસલ નથી કે દર છ મહિને તે આવી શકે. હવે સર્વોચ્ચ અદાલત  ગુરુવારે આ અંગે નિર્ણય આપે તેવી ધારણા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code