1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમરેલીના રાજુલા અને જાફરાબાદમાંથી છેલ્લા બે વર્ષમાં 31 સિંહને પાંજરે પુરીને સ્થળાંતર કરાયું
અમરેલીના રાજુલા અને જાફરાબાદમાંથી છેલ્લા બે વર્ષમાં 31 સિંહને પાંજરે પુરીને સ્થળાંતર કરાયું

અમરેલીના રાજુલા અને જાફરાબાદમાંથી છેલ્લા બે વર્ષમાં 31 સિંહને પાંજરે પુરીને સ્થળાંતર કરાયું

0
Social Share

અમરેલીઃ  જિલ્લામાંથી સ્થળાંતર કરાયેલા સિંહનો મુદ્દો તાજેતરમાં  વિધાનસભામાં પણ ગુંજ્યો હતો. ધારાસભ્ય અંબરીશ ડેરના સવાલના જવાબમાં રાજ્ય સરકારે અમરેલી જિલ્લામાંથી બે વર્ષમાં 31 સિંહનું સ્થળાંતર કરાયું હોવાનો સ્વીકાર કર્યો હતો. બીમારી કારણોસર સિંહનું સ્થળાંતર કરાયું હોવાનો દાવો કરાયો છે. જો કે, સિંહપ્રેમીઓ આ દાવાને નકારી રહ્યા છે. અમરેલી જિલ્લામાં ધારીના વન વિસ્તારથી લઈને છેક રાજુલાના દરિયાકાંઠા સુધી નવરાજો હરતા-ફરતા જોવા મળે છે. સિંહોને આ વિસ્તાર અનુકૂળ આવી ગયો છે. લોકો પણ સિંહને કોઈ ખલેલ પહોંચાડતા નથી.ત્યારે સિંહને રેસ્ક્યુ કરીને સ્થળાંતર કરવા સામે લોકોમાં વિરોધ ઊબો થયો છે.

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય અંબરિશ ડેરએ પ્રશ્ન પૂછ્યો હતો કે, છેલ્લા બે વર્ષ દરમિયાન રાજુલા-જાફરાબાદ વિસ્તારમાંથી કેટલા સિંહનું કયા કારણોસર સ્થળાંતર કરવામા આવ્યું? રાજય સરકાર દ્વારા આ મુદ્દે જવાબ આપતા 31-08- 2021 થી 2 વર્ષ દરમિયાન રાજુલા જાફરાબાદ વિસ્તારના કુલ 31 સિંહોને અન્ય સ્થળે લઈ જવાયાનો જવાબ આપ્યો હતો. તારીખ 01-09-2019 થી 31-08-2020 સુધીમાં તો (11)સિંહ લઈ જવાયા ત્યારબાદ 01-09- 2020 થી 31-08-2021 (20) સિંહો લઈ જવાયા છે. રાજ્ય સરકાર દ્વારા સિંહો ને લઈ જવા મુદ્દે કહ્યું હતું કે, બીમાર સિંહો અને માતા સાથે વિખૂટા પડી ગયેલા સિંહબાળનું સ્થળાંતર કરાયું છે. આ પ્રકારના કારણો અને વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ આ માટે એનાયત થયેલી સતાના રુએ ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડન કક્ષાએથી મંજૂરી આપવામાં આવી છે. ઉક્ત સ્થિતિ એ 23 સિંહો ને રાજુલા અને જાફરાબાદ વિસ્તારમાં 5 સિંહોને ગીર રક્ષિત વિસ્તારમાં મુક્ત કર્યા જ્યારે 03 સિંહ સારવાર દરમિયાન મોત નીપજયા હતા. સમગ્ર મામલે પૂર્વ વાઈલ્ડ લાઈફ વોર્ડન વિપુલ લહેરીએ કહ્યું હતું કે, આટલા બધા સિંહોને લઈ જવા પાછળ હજુ કારણ શંકાસ્પદ લાગી રહ્યું છે. કેમ કે અહીં ખૂબ વાતાવરણ સારું છે બીમાર પડવાની વાત છે જ નહીં અને અન્ય વિસ્તારમાં સ્થળાંતર થાય છે ત્યાં સિંહો બીમાર પડી મરી રહ્યા છે. સરકાર સિંહોને લઈ ગયા પછી અહીં છોડ્યા જ નથી અત્યારે સિંહોની સુરક્ષા વધારવાની જરૂર છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code