1. Home
  2. Tag "MIGRATION"

સ્થળાંતર કરનારી 22 ટકા પ્રજાતિઓ પર લુપ્ત થવાના જોખમ, UNના અહેવાલમાં ખુલાસો

નવી દિલ્હીઃ યુનાઈટેડ નેશન્સ દ્વારા બહાર પાડવામાં આવેલ સ્થળાંતરિત પ્રજાતિઓ પરના પ્રથમ અહેવાલ મુજબ, વિશ્વભરમાં સ્થળાંતર કરનારી પ્રજાતિઓ ગંભીર પડકારોનો સામનો કરી રહી છે. જો સકારાત્મક પ્રયાસો કરવામાં નહીં આવે, તો 22 ટકા સ્થળાંતરિત પ્રજાતિઓ ટૂંક સમયમાં લુપ્ત થઈ શકે છે. તેનો અર્થ એ છે કે વિશ્વમાં દરેક પાંચમી સ્થળાંતરિત પ્રજાતિઓ લુપ્ત થવાની આરે છે. આ […]

વાવાઝોડાના સંકટ વચ્ચે 8 જિલ્લામાં 95 હજાર લોકોનું સ્થળાંતર, વન્ય જીવોની સુરક્ષાનું પણ આયોજન

અમદાવાદઃ રાહત કમિશનર આલોક પાંડેએ જણાવ્યું હતું કે, બિપરજોય વાવાઝોડાની ગતિમાં છેલ્લા કેટલાક કલાકોમાં ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગતિમાં ઘટાડો આવ્યો હોવાથી વાવાઝોડું હવે ગુરૂવારે રાત્રે 9 થી 10 કલાકની આસપાસ દરિયાકાંઠે ટકરાશે તેવું અનુમાન છે. સંભવિત વાવાઝોડું જ્યારે જમીન સાથે ટકરાશે ત્યારે પવનની ગતિ 115-125 કિમી પ્રતિ કલાક રહેવાની સંભાવના છે. […]

છોટાઉદેપુર જિલ્લામાં ચૂંટણી ટાણે આદિવાસી શ્રમિકો રોજગારી માટે સ્થળાંતર થવા લાગ્યાં

છોટાઉદેપુરઃ આદિવાસીઓની બહુમત વિસ્તાર ગણાતા છોટાઉદેપુર પંથકમાં ખેતી અને ડોલોમાઈટ અને રેતીનો કારોબાર એક માત્ર રોજગારનું માધ્યમ છે. એટલે આ વિસ્તારમાં રોજગારી માટે આદિવાસી શ્રમિકો નાન-મોટા શહેરોમાં જઈને રોજગારી મેળવતા હોય છે. છેલ્લા બે વર્ષ દરમિયાન કોરોના કાળ બાદ ભયંકર મંદી આવી જતાં આદિવાસી પ્રજાએ ભારે હાલાકીનો સામનો કર્યો હતો. રોજ મજૂરી કરી પોતાનું પેટિયું […]

વઢવાણમાં શિયાળાના આગમન સાથે વિદેશી યાયાવર પક્ષીઓનું આગમન

અમદાવાદઃ પક્ષી તીર્થ વઢવાણામાં સાવ હળવા પગલે દેશી વિદેશી યાયાવર પક્ષીઓની પાપા પગલી થવા માંડી છે. વિશાળ શિયાળુ પક્ષી મેળાની પાંખાળી સૃષ્ટિના આ કાર્યવાહકોએ જોરશોર થી તૈયારી શરૂ કરી દીધી છે.        પક્ષી,પ્રકૃતિ અને વન્ય જીવોના ચાહક તસવીરકાર ડો.રાહુલ ભાગવત અને સીમા આભાળે એ વઢવાણા ખાતે જઈને આ પૂર્વ તૈયારીઓ નરી આંખે નિહાળીને સાપ જેવી લચકદાર […]

કચ્છના માલધારીઓએ પશુધન સાથે શરૂ કરી હિજરત, લખપત તાલુકામાં ઘાસચારાની વિકટ સમસ્યા

ભૂજ :  ઉનાળાના આગમનની ઘડીઓ ગણાય રહી છે, ત્યારે કચ્છમાં માલધારીઓએ હિજરત શરૂ કરી દીધી છે. આમ તો દર વર્ષે માલધારીઓ પોતાના પશુઓ સાથે હિજરત કરીને દક્ષિણ ગુજરાત તરફ જતા હોય છે, અને ઉનાળો પૂર્ણ થતાં જ અષાઢી બીજ પહેલા માદરે વતન પરત ફરતા હોય છે. કચ્છમાં નર્મદાના નીર પહોંચ્યા હોવા છતાં ઘાસચારાની કાયમ સમસ્યાઓ […]

મુંબઈમાં ફરીથી લોકડાઉનના ભણકારા વચ્ચે પરપ્રાંતિય શ્રમજીવીઓની હિજરત

દિલ્હીઃ ભારતમાં કોરોનાની પ્રથમ લહેરમાં લોકડાઉન આપવામાં આવતા અનેક પરપ્રાંતિય શ્રમજીવીઓ ફસાયાં હતા. તેમજ તેમને ભારે હાલાકોની સામનો કરવો પડ્યો હતો. જો કે, કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકારો દ્વારા તેમને પરત ઘરે મોકલી આપવાની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. હાલ કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ છે. દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં મોટી સંખ્યામાં પોઝિટિવ […]

તાલિબાનની દહેશતથી અફઘાનીઓની હિજરત, 3,00,000 લોકો ઇરાન પહોંચ્યા

અફઘાનિસ્તાનમાં હજારો શરણાર્થીઓની ઇરાન તરફ હિજરત 3,00,000 લોકો અફઘાનિસ્તાનથી ઇરાન પહોંચ્યા તેનાથી યુરોપ પણ પ્રભાવિત થવાની સંભાવના નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જા બાદ ત્યાં સ્થિતિ દિવસે દિવસે વધુ ભયજનક બની રહી છે. તાલિબાનીઓ સામાન્ય પ્રજા પર જોહુકમી, અત્યાચાર, દમન અને શોષણ કરી રહ્યાં છે ત્યારે તાલિબાનના ડરથી અફઘાનિસ્તાનથી હજારોની સંખ્યામાં લોકો ઇરાન તરફ હિજરત […]

અમરેલીના રાજુલા અને જાફરાબાદમાંથી છેલ્લા બે વર્ષમાં 31 સિંહને પાંજરે પુરીને સ્થળાંતર કરાયું

અમરેલીઃ  જિલ્લામાંથી સ્થળાંતર કરાયેલા સિંહનો મુદ્દો તાજેતરમાં  વિધાનસભામાં પણ ગુંજ્યો હતો. ધારાસભ્ય અંબરીશ ડેરના સવાલના જવાબમાં રાજ્ય સરકારે અમરેલી જિલ્લામાંથી બે વર્ષમાં 31 સિંહનું સ્થળાંતર કરાયું હોવાનો સ્વીકાર કર્યો હતો. બીમારી કારણોસર સિંહનું સ્થળાંતર કરાયું હોવાનો દાવો કરાયો છે. જો કે, સિંહપ્રેમીઓ આ દાવાને નકારી રહ્યા છે. અમરેલી જિલ્લામાં ધારીના વન વિસ્તારથી લઈને છેક રાજુલાના […]

તાઉ-તેના ડરથી લોકો ભારે હૈયે રડતા રડતા ઘર છોડી સ્થળાંતર કરવા તૈયાર થયા

વેરાવળઃ તાઉ-તે’ વાવાઝોડાએ સૌરાષ્ટ્રના સાગરકાંઠાના લોકોને ભયભીત કરી મુક્યા છે. હજુ કોરોનાનો ડર ઓછો થયો નહતો ત્યાં જ વાવાઝોડાના ડરથી લોકો ફફડી ગયા છે. જેમાં ખાસ કરી દરિયાઇ વિસ્તારમાં 10 નંબરનું સિગ્નલ લાગતાં લોકોને સાવચેત રહેવા અને સ્થળાંતર કરવા કામગીરી હાથ ધરવામાં આવી છે. સોમનાથમાં રવિવાર સાંજ સુધીમાં 2500 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ત્યાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code