1. Home
  2. ગુજરાતી
  3. અમદાવાદમાં પરંપરાગત યોજાતી રથયાત્રામાં ભગવાન જગન્નાથ શેરવાની જેવા વાઘા પહેરીને પરિક્રમા કરશે

અમદાવાદમાં પરંપરાગત યોજાતી રથયાત્રામાં ભગવાન જગન્નાથ શેરવાની જેવા વાઘા પહેરીને પરિક્રમા કરશે

0
Social Share

અમદાવાદ : શહેરમાં અષાઢી બીજના દિને ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલરામજી શહેરની નગરચર્યાએ નીકળશે. ભગવાનની રથયાત્રા માટે હજુ મંજુરી આપવામાં આવી નથી.પણ સરકારનું સકારાત્મક વલણ હોવાથી અને કોરોનાના કેસ ઘટી ગયા હોવાથી મંજુરી મળશે તે નક્કી છે. તેથી જગન્નાથ મંદિરમાં તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. રથયાત્રાને લઈ ભગવાનના વાઘા તૈયાર થઈ રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાનના વાઘા માટે કપડું ગોકુળ, મથુરાથી મંગાવવામાં આવ્યું છે. આ વાઘા પર જરદોશી, પેચ અને કુંદન વર્ક કરવામાં આવશે.

રથયાત્રામાં ભગવાનની પાઘડીમાં પણ વિવિધતા જોવા મળશે. મુગટ. પાઘ, રજવાડી પાઘ, મોરપીંછ પાઘ સાથે પ્રથમ વખત ભગવાન જોવા મળી શકે છે. ગુજરાતી બાંધેજ પાઘડી માટે બાંધણી ખરીદી લેવામાં આવી છે. આમ, ભગવાનના વાઘા વિવિધ રંગના જોવા મળશે. જેમાં ભગવાન ને પ્રિય તેવા લાલ, લીલા, વાદળી, પીળાં, આસમાની જેવા રંગો હશે. આ વર્ષે રથયાત્રાના દિવસે ભગવાન રજવાડી વેષ ધારણ કરશે. ભગવાન માટે 6 જોડી વાઘા બનાવામાં આવી રહ્યા છે. જેમાં વિવિધ વર્ક જોવા મળી શકે છે. ભગવાન આ વર્ષે શેરવાની જેવા વાઘા પહેરી ભક્તોને દર્શન આપશે. તથા ભગવાન અમાસના દિવસે લીલા રંગના વાઘા ધારણ કરશે. ભગવાનના વાઘા બનાવવાનું કામ અખાત્રીજના દિવસે મુહૂર્ત કરી શરૂ કરવામાં આવે છે. આ વર્ષે સુનિલભાઈની સાથે અન્ય 7 લોકો મળી ભગવાનના વાઘા તૈયાર કરી રહ્યા છે.

ભગવાનને મામાના ઘર સરસપુરથી રથયાત્રાના દિવસે જે ભેટ સોગાદોની સાથે જે વાઘા અર્પણ કરવામાં આવશે તેને લઈને પણ તૈયારીઓ શરૂ થઈ છે. મામાના ઘરના વાઘા માટે અમદાવાદના સુરત અને વૃંદાવનથી કપડું મંગાવવામાં આવ્યું છે. હાલ વાઘા પર કરવાનું કામ વર્ક વૃંદાવનમાં થઇ રહ્યું છે. મામાના ઘરેથી દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશે રૂપના વાઘા અર્પણ કરવામાં આવશે. જેમાં લાલા, વાદળી અને કેસરી કલરના કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે જ તેની પર વિવિધ મલ્ટી રંગનું વર્ક કરવામાં આવશે. જેના પેચ વૃંદાવનથી મંગાવવામાં આવ્યા છે. ભગવાનને એક જોડી વાઘા મામાના ઘરેથી અર્પણ કરવામાં આવે છે, જેમાં નાના મોટા થઈ કુલ 100 જેટલા વાઘા તૈયાર કરવામાં આવે છે. મામેરાના વાઘા તૈયાર કરવા માટે યતિન ભાઈ સાથે 9 લોકોની ટીમ છેલ્લા 25 દિવસથી કામ કરી રહી છે. હજી મામેરાના વાઘા તૈયાર થતા 10 દિવસ જેટલો સમય લાગી શકે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code