1. Home
  2. ગુજરાતી
  3. યુક્રેન અને રશિયા વચ્ચેના તણાવને દૂર કરવાની દિશામાં ભારતના પ્રયાસો
યુક્રેન અને રશિયા વચ્ચેના તણાવને દૂર કરવાની દિશામાં ભારતના પ્રયાસો

યુક્રેન અને રશિયા વચ્ચેના તણાવને દૂર કરવાની દિશામાં ભારતના પ્રયાસો

0
Social Share

નવી દિલ્હીઃ રશિયાના હુમલા પર ભારતના વલણ પર યુક્રેને અસંતોષ વ્યક્ત કર્યો હતો. યુક્રેનના રાજદૂત ઇગોર પોલિખાએ કહ્યું કે અમે ભારતના વલણથી અત્યંત નિરાશ છીએ. અમે અપેક્ષા રાખીએ છીએ કે ભારત અમારી બાજુ વધુ મજબૂત રીતે રજૂ કરશે. પોલિખાએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં ભારતનું કદ મોટું છે અને અમે આશા રાખીએ છીએ કે પીએમ નરેન્દ્ર મોદી આ મામલે હસ્તક્ષેપ કરે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે તેમના સારા સંબંધો છે. જો કે, તેમની ટિપ્પણીનો ભારત દ્વારા તરત જ જવાબ આપવામાં આવ્યો હતો અને યુક્રેનિયન રાજદૂતના આરોપોને ફગાવી દેવામાં આવ્યા હતા.

વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ કહ્યું કે, જે પરિસ્થિતિ સર્જાઈ છે તેમાં ભારત પણ એક પક્ષ છે. તેની અસર આપણા અર્થતંત્ર પર પણ પડશે અને યુક્રેનમાં મોટી સંખ્યામાં અમારા વિદ્યાર્થીઓ પણ હાજર છે. વસ્તુઓ બદલાઈ રહી છે અને ભારત તેના રાષ્ટ્રીય હિતો જાળવી રાખવા માટે તમામ પ્રયાસો કરશે. અમે યુક્રેનના સંપર્કમાં છીએ. આ મુદ્દે તમામ સંબંધિત પક્ષો સાથે વાત કરવામાં આવી રહી છે. આપણે એક બાજુ વાત કરીએ છીએ અને બીજી બાજુએ વાત નથી કરતા એ કહેવું યોગ્ય નથી.

હર્ષવર્ધન શ્રૃંગલાએ કહ્યું, વિશ્વના તમામ દેશો સાથે ભારતના સારા સંબંધો છે. અમે દરેક સાથે સારા સંબંધો રાખ્યા છે, પછી તે અમેરિકા હોય, રશિયા હોય કે યુરોપિયન યુનિયન. યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં હંમેશા અમારું ધ્યાન તણાવને સમાપ્ત કરવા પર રહ્યું છે. અમે માનીએ છીએ કે રાજદ્વારી વાતચીત દ્વારા જ સમસ્યાઓનું નિરાકરણ લાવી શકાય છે. યુક્રેનના રાજદૂત ઇગોર પોખિલાની ટિપ્પણી પર હર્ષવર્ધન શ્રિંગલાએ કહ્યું કે અમે તમામ પક્ષોના સંપર્કમાં છીએ અને આ મુદ્દાને ઉકેલવા માંગીએ છીએ.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code